પદમભુષણ એવોર્ડ વિજેતા સંગીતકાર ખૈયામની ફાની દુનિયાને અલવિદા

New Update
પદમભુષણ એવોર્ડ વિજેતા સંગીતકાર ખૈયામની ફાની દુનિયાને અલવિદા

ભારતીય સંગીતની દુનિયાના જાણીતા સંગીતકાર અને ફીલ્મફેર અને પદમભુષણ સહિતના અનેક એવોર્ડ જીતી ચુકેલાં મહંમદ ઝહુર ખૈયામ હાશમીએ ફાની દુનિયાને અલવિદા કહી છે. ચાર દાયકા સુધી સંગીતના ક્ષેત્રમાં દબદબો ધરાવતાં ખૈયામ સાહેબે અનેક હીટ ફીલ્મી ગીતોમાં સંગીત આપ્યું છે.

ખૈયામ સાહેબનો જન્મ પંજાબના રાહોનમાં સાદાત હુસૈન તરીકે થયો હતો. તેઓ સંગીત શીખવા માટે દીલ્હી પહોંચ્યા હતાં પણ તેમને તેમનું શિક્ષણ પુરી કરવા માટે પરત મોકલી દેવામાં આવ્યાં હતાં. ત્યારબાદ તેઓ સંગીત શીખવા માટે લાહોર પહોંચ્યાં હતાં. જયાં તેમણે બાબા ચીશ્તી પાસે તાલીમ મેળવવાનું શરૂ કર્યું હતું.

તેમણે 1977માં ફીલ્મ કભી કભી અને 1982માં ફીલ્મ ઉમરાવ જાન માટે બેસ્ટ મ્યુઝીકનો ફીલ્મફેર એવોર્ડ પ્રાપ્ત કર્યો હતો. 2010માં લાઇફટાઇમ એચીવમેન્ટ એવોર્ડથી તેમને નવાજવામાં આવ્યાં હતાં. 2007માં સંગીત નાટક અકદામી એવોર્ડ પણ તેમની યશકલગીમાં ઉમેરાયેલો છે. 2011માં ભારત સરકારે તેમને પદમભુષણ એવોર્ડ આપી સન્માનિત કર્યા હતાં. કભી કભી મેરે દીલ મે ખ્યાલ આતા હે સહિતના અનેક સુપરહીટ ગીતો સામે ખૈયામ સાહેબનું નામ જોડાયેલું છે.

ખૈયામ સાહેબને અત્યાર સુધીમાં મળેલા એવોર્ડ :

  • 1977 : ફીલ્મફેર બેસ્ટ મ્યુઝીક ડીરેકટર એવોર્ડ ફીલ્મ કભી કભી :
  • 1977 : ફીલ્મફેર બેસ્ટ મ્યુઝીક ડીરેકટર એવોર્ડ ફીલ્મ ઉમરાવ જાન :
  • 1982 : નેશનલ ફીલ્મ એવોર્ડ ફોર બેસ્ટ મ્યુઝીક ડીરેકશન
  • 2007 : સંગીત નાટક અકાદમી એવોર્ડ
  • 2010 : ફીલ્મફેર લાઇફ ટાઇમ એચીવમેન્ટ એવોર્ડ
  • 2011 : પદમભુષણ
  • 2018 : હદયનાથ મંગેશકર એવોર્ડ
Read the Next Article

'ટ્રમ્પનો ટેરિફ હુમલો પણ ભારતની ગતિને રોકી નહીં શકે..! અમેરિકન એજન્સીએ આશ્ચર્યજનક કારણ આપ્યું...

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતીય આયાત પર ભારે ટેરિફ લાદવામાં આવ્યા હોવા છતાં, ભારતના આર્થિક વિકાસ પર ખાસ અસર પડશે નહીં, એમ એસપી ગ્લોબલ રેટિંગ્સના મતે.

New Update
1000265927

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતીય આયાત પર ભારે ટેરિફ લાદવામાં આવ્યા હોવા છતાં, ભારતના આર્થિક વિકાસ પર ખાસ અસર પડશે નહીં,

એમ એસપી ગ્લોબલ રેટિંગ્સના મતે.ભારતનું સોવરિન રેટિંગ આઉટલુક સકારાત્મક રહ્યું છે. નિષ્ણાતો માને છે કે, ભારતનું અર્થતંત્ર આ આંચકાનો સરળતાથી સામનો કરી શકશે. કારણ કે, અમેરિકામાં નિકાસ જીડીપીના માત્ર 2% છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય આયાત પર ભારે ટેરિફ લાદી દીધા છે. આ પછી ભારતીય નિકાસકારો નિરાશ થયા છે, પરંતુ S&P ગ્લોબલ રેટિંગ્સના ડિરેક્ટર યિફાર્ન ફુઆ કહે છે કે, આનાથી ભારતની આર્થિક પ્રગતિ પર કોઈ અસર પડશે નહીં. ભારતનું સોવરિન રેટિંગ આઉટલૂક સકારાત્મક રહેશે. નોંધનીય છે કે, રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ દંડ તરીકે, અમેરિકાએ ભારત પર કુલ 50 ટકા ટેરિફ લાદ્યો છે. 7 ઓગસ્ટથી 25 ટકા ટેરિફ લાગુ કરવામાં આવ્યો છે, અને બાકીનો 25 ટકા ટેરિફ 28 ઓગસ્ટથી શરૂ થશે. પરંતુ નિષ્ણાતો માને છે કે, ભારતનું અર્થતંત્ર આ આંચકાનો સામનો સરળતાથી કરી શકશે. ફુઆએ બુધવારે એશિયા-પેસિફિક સોવરિન રેટિંગ્સ પર એક વેબિનારમાં જણાવ્યું હતું કે, ભારતનું અર્થતંત્ર વેપાર પર વધુ નિર્ભર નથી. ભારતની અમેરિકામાં નિકાસ GDPના માત્ર 2 ટકા છે. તેથી, આ ટેરિફની ભારતના આર્થિક વિકાસ પર કોઈ મોટી અસર પડશે નહીં.
ગયા વર્ષે મે મહિનામાં, S&Pએ ભારતના સોવરિન રેટિંગ 'BBB-' ને સકારાત્મક દૃષ્ટિકોણ આપ્યો હતો. આ દેશના મજબૂત આર્થિક વિકાસને કારણે હતું. S&Pના તાજેતરના અનુમાન મુજબ, આ નાણાકીય વર્ષમાં ભારતનો GDP વૃદ્ધિ દર 6.5 ટકા રહેશે. આ ગયા વર્ષ જેટલો જ છે. ફુઆએ જણાવ્યું હતું કે, ફાર્માસ્યુટિકલ્સ અને કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ જેવા મુખ્ય નિકાસ ક્ષેત્રોને ટેરિફમાંથી મુક્તિ આપવામાં આવી છે. વધુમાં તેમણે કહ્યું, "લાંબા ગાળે, અમને નથી લાગતું કે, આ ટેરિફ ભારતના અર્થતંત્ર માટે મોટો ફટકો હશે. તેથી, ભારતનો સકારાત્મક દૃષ્ટિકોણ અકબંધ રહે છે, જ્યારે પૂછવામાં આવ્યું કે શું યુએસ ટેરિફ ભારતમાં રોકાણોને અસર કરશે, ત્યારે ફુઆએ કહ્યું કે, કંપનીઓ છેલ્લા કેટલાક વર્ષોથી 'ચાઇના પ્લસ વન' વ્યૂહરચના હેઠળ ભારતમાં તેમનો વ્યવસાય વધારી રહી છે. આ કંપનીઓ મોટે ભાગે ભારતની વિશાળ સ્થાનિક માંગને પહોંચી વળવા માટે અહીં આવી રહી છે, ફક્ત યુએસમાં નિકાસ કરવા માટે નહીં. ઘણી કંપનીઓ ભારતમાં રોકાણ કરી રહી છે. કારણ કે, અહીં મધ્યમ વર્ગ ઝડપથી વધી રહ્યો છે. જે લોકો ભારતમાં રોકાણ કરી રહ્યા છે. તેઓ ફક્ત યુએસ બજારને લક્ષ્ય બનાવી રહ્યા નથી,"