ભરૂચમાં સરકારી અનાજનાં ગોડાઉનમાં જીવાત પડતા સ્થાનિકોમાં રોષ

New Update
ભરૂચમાં  સરકારી અનાજનાં ગોડાઉનમાં જીવાત પડતા સ્થાનિકોમાં રોષ

ભરૂચમાં સરકારી અનાજનાં ગોડાઉનમાં જીવાતનો ઉપદ્રવ વધતા સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો.

publive-image

ભરૂચનાં નવી વસાહત પાસેનાં લાહોરી ગોડાઉનમાં સંગ્રહ કરવામાં આવેલ અનાજમાં મોટા પ્રમાણમાં જીવાત પડી છે, જે અંગેની જાણ સ્થાનિક લોકોને થતા તેઓમાં ભારે રોષની લાગણી જોવા મળી હતી.

publive-image

સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો હતો કે અનાજનાં ગોડાઉનમાં જીવાત પડવાનાં કારણે તેઓના ઘર અને અનાજમાં પણ જીવાતનો ઉપદ્રવ વધ્યો છે. સ્થાનિકોનાં હોબાળા બાદ ગોડાઉનમાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો હોવાનું પણ જાણવા મળ્યુ છે.