ભરૂચ: આદિવાસી સમાજના માછીમારોએ કલેક્ટર કચેરી ખાતે પાઠવ્યું આવેદન

New Update
ભરૂચ: આદિવાસી સમાજના માછીમારોએ કલેક્ટર કચેરી ખાતે પાઠવ્યું આવેદન
  • વાગરા તાલુકા આદિવાસી સામાજના માછીમારોએ પાઠવ્યું આવેદન
  • નદીના વહેણમાં હજારોની સંખ્યામાં ખૂંટાઓ બન્યા રોજગારી સામે પ્રશ્ન
  • માથાભારે ઇસમોએ ૧૫થી ૧૬ ફૂટ જેટલા ખૂંટાઓ ચોંઢી દેતા સમસ્યા
  • માંગણીઓ નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી

ભરૂચ જીલ્લામાંથી પસાર થતી નર્મદા નદી મુખ્યત્વે માછીમાર સમાજ માટે જીવાદોરી સમાન છે, ત્યારે નર્મદા નદીના વહેણમાં હજારોની સંખ્યામાં ખૂંટાઓ લાદી દેવામાં આવતા હોય છે. આ ખૂંટાઓ તેમના માછીમારીના વ્યવસાય સામે પડકારરૂપ સાબિત થતાં હોવાથી તેને કાયમી ધોરણે દૂર કરવા, તેઓને બે તકનું જમવાનું આપવું, તેઓના દેવાની માફી સાથે ચુકવણી કરવી, કાયમી વૈકલ્પિક રોજગારી આપવા સહિતની માંગણીઓ સાથે વાગરા તાલુકા આદિવાસી સામાજના માછીમારો દ્વારા ભરુચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.

ભરૂચથી દહેજ સુધી નર્મદા નદીના ભરતી તથા ઓટના વહેણમાં ભાભરા પાણીના વિસ્તારમાં છૂટાં જાળો નાંખીને બારેમાસ માછલી પકડી વ્યવસાય કરતાં માછીમાર સમાજના લોકોને નદીમાં ખૂંટા નાખવા સામે મોટો પ્રશ્ન નડી રહ્યો છે. ચોમાસાની સિઝન આવે છે ત્યારે ભરૂચ તાલુકા તથા વાગરા તાલુકાના નર્મદા નદીના કિનારે આવેલ મહેગામ, મનાડ, કલાદરા, સૂવા, વેંગણી, અંભેટા, કોલીયાદ, રહીયાદ, જાગેશ્વર અને હાંસોટ તાલુકાના કિનારે આવેલ કેટલાક ગામોના માથાભારે લોકો દ્વારા નર્મદા નદીના પટના બન્ને કિનારાનો જાહેર જળમાર્ગ બંધ થઈ જાય તે રીતે ૧૫થી ૧૬ ફૂટ જેટલા ખૂંટાઓ ચોંઢી દેવામાં આવે છે, ત્યારે આ વર્ષે પણ માછીમારીની સિઝન શરૂ થતાં પહેલા જ માથાભારે ઇસમો દ્વારા નર્મદા નદીમાં હજારોની સંખ્યામાં ખૂંટાઓ ચોંઢી દેવામાં આવ્યા છે, જેના કારણે નાવડી વડે છૂટાં જાળો નાંખીને માછલી પકડી વ્યવસાય કરતાં માછીમારો માટે નર્મદા નદીનો જળમાર્ગ બંધ થઈ ગયેલ છે. આ ઉપરાંત નદીમાં નાંખવામાં આવતી જાળો પણ ખૂંટાઓમાં ફસાઈ જવાની સમસ્યાનો સામનો માછીમારોને કરવો પડે છે. આ પડકાર સામે હવે તેઓને બે તકનું જમવાનું આપવું, તેઓના દેવાની માફી સાથે ચુકવણી કરવી, કાયમી વૈકલ્પિક રોજગારી આપવા સહિતની વિવિધ માંગણીઓ સાથે ભરૂચના વાગરા તાલુકા આદિવાસી સામાજના માછીમારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ભરુચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પોતાનો વિરોધ નોંધાવી આવેદન પત્ર પાઠવ્યું હતું. જો આવનાર દિવસોમાં આ તમામ માંગણીઓ નહીં સંતોષવામાં આવે તો માછીમાર સમાજ દ્વારા રસ્તે ઉતરી ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.

Read the Next Article

નશાકારક દવાના દુરુપયોગ-ગેરકાયદે વેચાણને નાથવા રાજ્યના તમામ મેડિકલ સ્ટોર્સમાં ગુજરાત પોલીસનું મેગા સર્ચ…

ગુજરાત રાજ્યમાં નશાકારક દવાઓના દુરુપયોગ અને ગેરકાયદેસર વેચાણને રોકવા માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની સૂચનાથી તા. 9 જુલાઇ-2025 બપોરે 12 વાગ્યાથી રાજ્યભરના

New Update
MixCollage-09-Jul-2025-08-36-PM-6592

ગુજરાત રાજ્યમાં નશાકારક દવાઓના દુરુપયોગ અને ગેરકાયદેસર વેચાણને રોકવા માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની સૂચનાથી તા. 9 જુલાઇ-2025 બપોરે 12 વાગ્યાથી રાજ્યભરના મેડિકલ સ્ટોર્સમાં ગુજરાત પોલીસ દ્વારા મેગા ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ હેઠળ આવરી લેવાતી દવાઓનું પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણપ્રતિબંધિત દવાઓનો જથ્થોનિયમોની વિરુદ્ધ વધુ પડતો દવાઓનો સંગ્રહ અને મેડિકલ સ્ટોર્સ દ્વારા રાખી ન શકાય તેવી દવાઓના વેચાણને અટકાવવાનો તથા નશાકારક દવાઓનું પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ અટકાવવાનો આ ચેકીંગ અભિયાનનો મુખ્ય હેતુ છે. આ મેગા ચેકીંગ અભિયાનમાં રાજ્યના તમામ શહેરો અને જિલ્લાઓમાં સ્થાનિક પોલીસ મથકના ઈનચાર્જલોકલ ક્રાઈમ બ્રાન્ચ (એલ.સી.બી.)સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (એસ.ઓ.જી.) અને જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓના સંકલનમાં વ્યાપક ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. આ કાર્યવાહી ડીવાયએસપી/ડીસીપીના સુપરવિઝન હેઠળ ચલાવવામાં આવી રહી છે. જેમાં તમામ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારીઓએ અલગ-અલગ ટીમો બનાવીને મેડિકલ સ્ટોર્સ ખાતે દરોડા પાડી બારીક ચેકીંગ કરી રહ્યા છે. આ ચેકિંગમાં ખાસ કરીને શાળાઓકોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓની નજીક આવેલી મેડિકલ સ્ટોર્સ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. જ્યાં નશાકારક દવાઓના દુરુપયોગની શક્યતા વધુ હોય છે.

જોકેખાસ કરીને જે દવા કન્ટેન્ટનો નશા માટે દુરુપયોગ થઈ શકે છેતેનું પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ થતું હોવાનું જણાય તો કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં એમીડોપાયરિનફેનાસેટિનનિયાલામાઇડક્લોરામ્ફેનિકોલફેનીલેફ્રાઇનફ્યુરાઝોલિડોનઓક્સિફેનબુટાઝોન તેમજ મેટ્રોનીડાઝોલનો સમાવેશ થાય છે. આ દવાઓ ફક્ત ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન સાથે જ વેચાવી જોઈએઅને તેનું ગેરકાયદેસર વેચાણ આરોગ્ય અને સમાજ માટે ગંભીર જોખમ ઉભું કરે છે. આ ચેકીંગ અભિયાન અંતર્ગત સાંજે 4 વાગ્યા સુધીમાં વલસાડ જિલ્લામાં 282 મેડિકલ સ્ટોર્સનું સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં એકNDPS એક્ટ હેઠળનો કેસ સહિત કુલ 45 કેસ નોંધવામાં આવ્યા છે. તે ઉપરાંત સુરત શહેરમાં 333 મેડિકલ સ્ટોર્સમાં ચેકીંગ કરી એક મેડિકલ સ્ટોરમાંથી 93 કોડીન સીરપ તેમજ એક મેડિકલ સ્ટોરમાંથી 15 કોડીન સીરપ અને પાંચ આલ્પ્રામાઝોલ બોટલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તે ઉપરાંત પાટણ જિલ્લામાં ચાર વાગ્યા સુધીમાં 61 મેડિકલ સ્ટોર્સનવસારીમાં 184જામનગરમાં 66 મેડિકલ સ્ટોર્સમાં ચેકીંગભરૂચ જિલ્લામાં 258 સ્થળે ચેકીંગ તેમજ આહવા ડાંગમાં 23 મેડિકલ સ્ટોર્સમાં ચેકીંગ કરવામાં આવ્યું છે. તે ઉપરાંત દાહોદ જિલ્લામાં કુલ 129 મેડિકલ સ્ટોરપંચમહાલ જિલ્લામાં 112 અને ગાંધીનગર જિલ્લામાં 317 મેડિકલ સ્ટોર્સમાં ચેકીંગ હાથ ધરાયું હતુંઅને આ અભિયાન રાજ્યના તમામ શહેરો અને જિલ્લાઓમાં આગામી દિવસોમાં પણ યથાવત રાખવામાં આવશે.