ભરૂચ સ્વામિનારાયણ સત્સંગ કેન્દ્ર ખાતે યોજાયો માતૃ-પિતૃ વંદના કાર્યક્ર્મ

New Update
ભરૂચ સ્વામિનારાયણ સત્સંગ કેન્દ્ર ખાતે યોજાયો માતૃ-પિતૃ વંદના કાર્યક્ર્મ

ભરૂચના એસ.એમ.વી.એસ. સ્વામિનારાયણ સત્સંગ કેન્દ્ર મકતમપુર ખાતે માતૃ-પિતૃ વંદના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

એસ.એમ.વી.એસ. સ્વામિનારાયણ સત્સંગ કેન્દ્ર મકતમપુર પોલીસ મથકની પાછળ દર શનિવારે સાંજે ૭ થી ૯ દરમિયાન યોજાતી સત્સંગ સભાના વિશિષ્ટ આયોજન રૂપે સંસ્થાના સંસ્થાપક ગુરૂવર્ય પૂ.બાપુજી અને પ.પૂ.સ્વામીની આજ્ઞાથી સત્સંગ કેન્દ્ર ખાતે “માતૃ-પિતૃ વંદના પર્વ” ઉજવવામાં આવ્યો હતો.જેમાં ૪૦૦ જેટલા બાળકો-બાળીકાઓ અને માતા-પિતાએ લાભ લીધો હતો.આ કાર્યક્રમમાં બાળકોને માતાપિતાની સેવા અને વાલી તરીકે બાળકો પ્રત્યેપ્રત્યેની ફરજો વિષય ઉપર સુરતથી ખાસ પધારેલા પૂ.ઉપાસના સ્વામી તથા પૂ. ઉત્સવ સ્વામીએ સૌને લાભાંવીત કર્યા હતા. આ કાર્યક્રમમાં શાસ્ત્રોક્ત વિધિ દ્વારા બાળકોને ભારતીય સંસ્કૃતિમાં રસ તરબોળ કરાયા હતા. દરમિયાન મોટા ભાગના હાજરજનોના હૌયા કરૂણામય બની આંખો ભીંજાઇ જવા પામી હતી.

Read the Next Article

“વિશ્વ વસ્તી દિન” : ભરૂચના આમોદમાં આરોગ્ય કર્મચારીઓએ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો...

ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે વિશાળ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

New Update

આજરોજ ઠેર ઠેર વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરાય

ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા આયોજન

આમોદ તાલુકા આરોગ્ય કચેરી દ્વારા કાર્યક્રમ યોજાયો

આરોગ્ય કર્મચારીઓ દ્વારા સૂત્રોચાર સાથે રેલી યોજાય

સૂત્રો પોકારી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો

ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે વિશાળ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા-ભરૂચના માર્ગદર્શન હેઠળ આમોદ તાલુકા આરોગ્ય કચેરી દ્વારા વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આમોદ તાલુકા આરોગ્ય કચેરીથી મામલતદાર કચેરી સુધી આરોગ્ય કર્મચારીઓએ હાથમાં વિવિધ પ્લેકાર્ડ લખેલા સૂત્રોચાર સાથે વિશાળ રેલી યોજી હતી. જેમાં આમોદ તાલુકાના સમનીઆછોદ તેમજ માતર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ આરોગ્ય કર્મચારીઓ હાજર રહ્યા હતા. આ સાથે જ આમોદ તાલુકા આરોગ્ય અધિકારી ડો. કંચનકુમાર સિંગ પણ રેલીમાં જોડાયા હતા. રેલી દરમિયાન આરોગ્ય કર્મચારીઓએ હાથમાં વિવિધ સૂત્રો લખેલા પ્લેકાર્ડ બતાવી લોકોને જાગૃત કર્યા  હતા. તેમજ'નાનું કુટુંબસુખી કુટુંબ', 'માઁ બનવાની એ જ ઉંમરજ્યારે શરીર અને મન હોય તૈયારજેવા સૂત્રો પોકારી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો. વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે આમોદ તાલુકા આરોગ્ય અધિકારી કંચનકુમાર સિંગ દ્વારા વસ્તી નિયંત્રણ કરવા લોકોને અપીલ કરવામાં આવી હતી.

Latest Stories