મહિલા સાથે ગેંગરેપ થયા બાદ આટલી હદે આચરાઈ ક્રૂર બર્બરતા!

New Update
મહિલા સાથે ગેંગરેપ થયા બાદ આટલી હદે આચરાઈ ક્રૂર બર્બરતા!

૩૫ વર્ષીય મહિલાની સાથે ગેંગરેપ કર્યા બાદ એક મંદિરની યજ્ઞશાળામાં જીવતી સળગાવી

ઉત્તર પ્રદેશના સંભલ વિસ્તારમાં દિલ હચમચાવી દેનાર ઘટના સામે આવી છે. અહીંના 5 લોકો પર આરોપ છે કે તેમને ૩૫ વર્ષીય મહિલાની સાથે ગેંગરેપ કર્યા બાદ એક મંદિરની યજ્ઞશાળામાં જીવતી સળગાવી હતી. મહિલાના ઘરની પાસે મંદિર હતો, જ્યાં આ શરમજનત ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે.

મહિલાના પતિનો આરોપ છે કે પીડિતે ખુદને જીવતી સળગાવ્યા પહેલા થોડીક મિનિટો પહેલા પોલીસને ૧૦૦ નંબર પર ફોન કર્યો હતો, પરંતુ તેમને સામેથી કોલનો કોઈ જવાબ આપ્યો નહોતો.દિલ હચમચાવી નાખનાર આ બીભત્સ ઘટના રાજપુરા પોલીસ સ્ટેશન નજીક આવેલા એક ગામમાં બની હતી,જ્યાં શનિવારે રાત્રે ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો અને તેમના પતિ ગાજિયાબાદમાં મજૂરીનું કામ કરે છે.

પોલીસે જણાવ્યું કે, ઘટના પહેલા મહિલા પોતાના ઘરમાં સૂઈ રહી હતી અને હુમલાવર ઘરમાં જબરદસ્તી ઘૂસી આવ્યા અને તેની સાથે આ નૃશંસ વ્યવહાર કર્યો હતો. પોલીસે આ મામલામાં ૫ લોકો વિરુદ્ધ ગેંગરેપ અને હત્યાના આરોપમાં ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ ઘટના શનિવારે શનિવારે રાત્રે લગભગ ૨.૩૦ વાગ્યાની છે.

મૃતક મહિલાના પતિએ પોલીસને પોતાની ફરિયાદમાં જણાવ્યું, આ તમામ પાંચેય આરોપી શનિવારે રાત્રે લગભગ ૨.૩૦ વાગે તેના ઘરમાં જબરદસ્તીથી દાખલ થયા હતા. તે સમયે મારી પત્ની ઘરમાં એકલી હતી અને રાત્રે ભારે વરસાદ પડી રહ્યો હતો. તે સમયે ઘરમાં માત્ર કેરોસીનના સહારે એક લેમ્પ સળગી રહ્યો હતો. પાંચેય આરોપીઓએ એક એક કરીને મારી પત્નીની સાથે બળાત્કાર કર્યો હતો.

મહિલાના પતિને જણાવ્યું, આ ઘટના બાદ મારી પત્નીએ પોતાની આપવીતી પોતાના પિતરાઈ ભાઈને સંભળાવી કારણ કે ત્યારે મારો અને મારી પત્નીના ભાઈનો ફોન પહોંચની બહાર બતાવી રહ્યા હતો. પરંતુ તે પહેલા મારી પત્નીનો પિતરાઈ ભાઈ પોલીસ કે પરિવારજનોને કહી કોઈ મદદ કરે તે પહેલા પાંચેય ઘરમાં ફરીથી દાખલ થઈને તેને ઘસેડીને બાજુમાં આવેલા મંદિરમાં લઈ જઈને જીવતી સળગાવી દીધી હતી.

રાજપુરા પોલીસ સ્ટેશનના એસએચઓ અરૂણ કુમારે જણાવ્યું, ફરિયાદ નોંધવામાં આવી ચૂકી છે. પોલીસને આરોપીઓની ઓળખ આરામ સિંહ મહાવીર, ચરણ સિંહ, ગુલ્લૂ અને કુમરપાલના રૂપમાં થઈ છે. પાંચેય આરોપીઓ પણ આ ગામના છે, જેમાં મહિલા રહે છે અને આરોપ છે કે તે છેલ્લા કેટલાંક દિવસોથી પીડિત મહિલાને હેરાન કરી રહ્યા હતા.

Read the Next Article

સુરતના એકમાત્ર “પ્લાસ્ટિક મુક્ત” અલથાણ પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરાયું...

સુરત જિલ્લાના નાગરિકોને ઝડપી ન્યાય મળે અને સરળતાથી પોલીસ સેવા સુલભ બને તે માટે અલથાણ પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

New Update

નાગરિકો માટે પોલીસ સેવા સુલભ બને તેવું આયોજન

સુરતનું એકમાત્ર પ્લાસ્ટિક મુક્ત અલથાણ પોલીસ સ્ટેશન

અલથાણ પોલીસ સ્ટેશનનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે લોકાર્પણ કરાયું

પોલીસ સ્ટેશનમાં રેઇન વોટર હારવેસ્ટિંગની વિશેષ વ્યવસ્થા

સુરત જિલ્લાના નાગરિકોને ઝડપી ન્યાય મળે અને સરળતાથી પોલીસ સેવા સુલભ બને તે માટે અલથાણ પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અલથાણ પોલીસ સ્ટેશન સુરતનું એકમાત્ર પ્લાસ્ટિક મુક્ત પોલીસ સ્ટેશન તેમજ સોલાર પાવર સિસ્ટમથી સંચાલિત છેત્યારે આ પોલીસ સ્ટેશનમાં રેઇન વોટર હારવેસ્ટિંગની પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ અલથાણ પોલીસ સ્ટેશનનું નિરીક્ષણ કર્યું હતું. ગૃહ રાજ્યમંત્રીએ રાજ્યમાં શાંતિસુરક્ષા સલામતીના મૂળમાં ઉત્તમ કાયદો અને વ્યવસ્થા તેમજ ન્યાયની આશામાં પોલીસ સ્ટેશને આવતા ફરિયાદી તથા આમ નગારિક નિરાશ ન થાય તેમજ નાગરિકોની સમસ્યાઓફરિયાદોમાં અલથાણ પોલીસ સ્ટેશન મદદરૂપ થાય તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. આ લોકાર્પણ કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રી મુકેશ પટેલસંદીપ દેસાઈધારાસભ્ય સંગીતા પાટીલસુરત શહેર પોલીસ કમિશનર સહિત પોલીસ અધિકારીઓસામાજિક આગેવાનો  સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories