વલસાડ પાસે સુરતની કાર અકસ્માતમાં કારે મારી 3 પલટી, ૩નાં મોત, ૩ ઘાયલ

વલસાડના ધરમપુર ચાર રસ્તા પાસેથી પસાર થઈ રહેલી સુરતના રહીશોની કાર બેથી ત્રણ પલટી મારી જતા સર્જાયેલા અકસ્માતમાં કારમાં સવાર ત્રણ વ્યક્તિઓનાં સ્થળે જ કરુણ મોત નીપજ્યા હતાં જ્યારે કારમાં સવાર અન્ય ત્રણ વ્યક્તિઓને ગંભીર ઇજા થઇ હતી. જે બાબતે સિટી પોલીસે તપાસ શરૂ કરી છે.
વાપીથી સુરત તરફ જવા માટે નીકળેલી અર્ટિકા કાર (નંબર જીજે 05 જેએમ 8484)ના ચાલકે વલસાડના ધરમપુર ચાર રસ્તા પાસેથી પસાર થતી વેળા કારના સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતા કાર હાઇવે પર જ બે થી ત્રણ વાર પલટી મારી ગઈ હતી. કાર પલટી મારી જતા સર્જાયેલા અકસ્માતમાં કારમાં સવાર સુરતના ત્રણ વ્યક્તિઓનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. જ્યારે કારમાં સવાર અન્ય ત્રણ વ્યક્તિઓને ગંભીર ઇજા થઇ હતી. ઇજા પામેલા વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાયા છે.
જોકે હજુ અકસ્માતમાં મોતને ભેટનાર તથા ઇજા પામનારા વ્યક્તિઓની ઓળખ હજુ થઇ શકી નથી. પોલીસે મૃતક વ્યક્તિઓ અને ઇજા પામેલ વ્યક્તિઓ સુરતના કયા વિસ્તારના રહીશ છે, તે બાબતે પ્રાથમિક તપાસ શરૂ કરી હતી. પોલીસે આ બાબતે સત્તાવાર ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTવડોદરા : મગરના મોઢામાં આવી ગયો યુવકનો મૃતદેહ, 3થી વધુ મગરો વચ્ચે...
7 Jun 2022 9:12 AM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચમાં સોશિયલ મીડિયાએ શું લીધો યુવતીનો ભોગ..?, યુવતીએ જાતે દુપટ્ટા...
10 Jun 2022 5:15 AM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMT
ભરૂચ: ખાનગી હોસ્પિટલમાં તબીબોની બેદરકારીના કારણે દર્દીનુ મોત નીપજયું...
28 Jun 2022 12:35 PM GMT'અસામાજિક તત્વોનો આંતક' દસાડાના વણોદ ખાતે નાઇટ ડ્યુટી કરી રહેલા GRD...
28 Jun 2022 12:04 PM GMTઅમદાવાદ : જગન્નાથ રથયાત્રામાં નિજ મંદિરથી દરિયાપુર સુધી સંવેદનશીલ...
28 Jun 2022 11:50 AM GMTપાવાગઢ પર્વતની ઢંકાયેલી સુંદરતા બહાર આવી, જુઓ પ્રાકૃતિક નજારો
28 Jun 2022 11:41 AM GMTરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર યશવંત સિંહા ગાંધીનગર આવશે, કોંગ્રેસ ધારાસભ્યો...
28 Jun 2022 11:32 AM GMT