વાયુ વાવાઝોડાનુ સંકટ ટળતા સૌરાષ્ટ્રના 27 માર્કેટ યાર્ડ ફરી ધમધમતા થયા

New Update
વાયુ વાવાઝોડાનુ સંકટ ટળતા સૌરાષ્ટ્રના 27 માર્કેટ યાર્ડ ફરી ધમધમતા થયા

વાયુ વાવાઝોડાના કારણે છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્રના તમામ માર્કેટ યાર્ડ બંધ હતા. જો કે વાયુ વાવાઝોડાનુ સંકટ ટળતા આજથી માર્કેટ યાર્ડ ફરી ધમધમતા શરુ થયા છે.

વહેલી સવારના 8 વાગ્યાથી હરાજી સહિતની પ્રક્રિયા શરુ કરવામા આવી હતી. જો કે ચોમાસાનો પ્રારંભ થતા માર્કેટ યાર્ડમા ખેડૂતોની પાંખી હાજરી જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્રના 27 જેટલા માર્કેટ યાર્ડ બંધ રહેતા કરોડોનુ ટર્ન ઓવર ઠપ્પ થયુ હતુ.

Read the Next Article

શ્રાવણના તૃતિય સોમવારે આદિ જ્યોતીર્લિંગ સોમનાથ મહાદેવને ચંદન શૃંગાર કરાયો

શ્રાવણના તૃતિય સોમવારે આદિ જ્યોતીર્લિંગ સોમનાથ મહાદેવને ચંદન શૃંગાર કરવામાં આવેલ ભક્તો મહાદેવના દર્શન પૂજન અર્ચન કરી ધન્ય બન્યા હતા. ભગવાન સોમનાથ મહાદેવને

New Update
vlcsnap-2025-08-11-19h51m22s297

શ્રાવણના તૃતિય સોમવારે આદિ જ્યોતીર્લિંગ સોમનાથ મહાદેવને ચંદન શૃંગાર કરવામાં આવેલ ભક્તો મહાદેવના દર્શન પૂજન અર્ચન કરી ધન્ય બન્યા હતા.

ભગવાન સોમનાથ મહાદેવને આજે ખાસ શ્રાવણી સોમવારને દિવસે વિશેષ ચંદન શૃંગાર કરવામાં આવેલો હતો. 

ચંદન શિતળતા પ્રદાન કરનનારૂ માનવામાં આવે છે, જેથી મહાદેવ વિશ્વ શાંતિ અને કલ્યાણના ભાવ સાથે આ ખાસ શૃંગાર પૂજારી વૃંદ દ્વારા તૈયાર કરવામાં આવેલ. સાથે જ વિવિધ પૂષ્પો ગુલાબ ગલગોટા મોગરા સહિતના ફુલો અને ફુલહારોનો ઉપયોગ કરવામાં આવેલ હતો. આજરોજ 45 ધ્વજાપૂજન તેમજ 62 સોમેશ્વર મહાપૂજન, 715 રૂદ્રાભિષેક પૂજા-પાઠ કરવામાં આવ્યો હતો.  જેનો લાભ લઇ ભક્તો ધન્ય બન્યા હતા.

Latest Stories