વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં સ્વૈચ્છિક સેવાભાવી સંસ્થાઓ, સમાજના વિવિધ વર્ગોને તેમજ નાગરિકોને જોડાવા જિલ્લા કલેક્ટરે કરી અપીલ

New Update
વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં સ્વૈચ્છિક સેવાભાવી સંસ્થાઓ, સમાજના વિવિધ વર્ગોને તેમજ નાગરિકોને જોડાવા જિલ્લા કલેક્ટરે કરી અપીલ

૨૧ મી જૂનના દિવસે સંયુક્ત રાષ્ટ્રસંઘ ધ્વારા વિશ્વ યોગ દિવસ ઉજવવા જાહેર કરેલ છે જેના અનુસંધાને ભરૂચ ખાતે વિશ્વયોગ દિવસની ઉજવણી જનઉત્સાહ અને ઉમંગ સાથે થશે. ભરૂચ ખાતે જિલ્લા કક્ષાની ઉજવણી નર્મદા ટાઉનશીપ ખાતે સવારે ૦૬:૩૦ કલાકથી ઉજવાશે. જેમાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા તથા સહકાર રાજ્ય મંત્રી ઇશ્વરસિંહ પટેલ પણ ઉપસ્થિત રહેશે. જી.એન.એફ.સી. ખાતે ૧૦ હજાર જેટલાં લોકો યોગ શિબિરમાં જાડાશે તે સાથે ભરૂચ જિલ્લામાં ૧૩૦૦ થી વધુ સ્થાનોએ ત્રણ લાખ પચ્ચીસ હજારથી વધુ લોકો સામૂહિક યોગ શિબિરમાં જાડાશે. આ ઉપરાંત ચાલુ વર્ષે રાજ્યના પ્રવાસન યાત્રાધામો અને ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્થાનો સાથે જાડીને યોગ સહ પ્રવાસનને વેગ આપવાના અભિગમના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં આવેલા ઐતિહાસિક સ્થળો જેવા કે, સ્તંભેશ્વર મહાદેવ કાવી-કંબોઇ, સ્વરાજ ભવન - જંબુસર સહિત અન્ય સથળોએ પણ યોગ શિબિરનું આયોજન કરાયું છે.

જિલ્લા કલેક્ટર રવિકુમાર અરોરાએ વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં સ્વૈચ્છિક સેવાભાવી સંસ્થાઓ સહિત સમાજના વિવિધ વર્ગોને જાડાવવા અનુરોધ ર્ક્યો છે તેમજ સમગ્ર જિલ્લામાં જિલ્લા કક્ષા, તાલુકા કક્ષાએ, તમામ સ્કુલો–શાળાઓમાં અને સંસ્થાઓ ધ્વારા યોજાનારા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા નાગરિકોને અપીલ કરવામાં આવી છે.

ભરૂચ જિલ્લાનો જિલ્લા કક્ષાનો વિશ્વ યોગ દિવસ ઉજવણીનો કાર્યક્રમ તા.૨૧ મી જૂન સવારે ૦૬ઃ૩૦ કલાકે નર્મદા ટાઉનશીપ, જીએનએફસી – ભરૂચ ખાતે યોજાનાર છે. સાથો સાથ સ્વામીનારાયણ મંદિર પરિસર, જે.પી.આર્ટસ કોલેજ – ભરૂચ, પ્રજાપતિ બ્રહ્માકુમારી – ઝાડેશ્વર, તપોવન સંસ્કૃત પાઠશાળા -ભરૂચ ખાતે યોગનો કાર્યક્રમ યોજાશે.

આ ઉપરાંત ભરૂચ તાલુકા કક્ષાએ ઝેડ.જે.પટેલ હાઇસ્કુલ ત્રાલસા, મહારાજા કે.જી.એમ. વિદ્યાલય, અંકલેશ્વર તાલુકા કક્ષાએ ડી.એ.આનંદપુરા સ્પોર્ટસ કોમ્પલેક્ષ. જી.આઇ.ડી.સી. અંકલેશ્વર, જ્ઞાનદીપ સ્કુલ અંદાડા, જંબુસર તાલુકા કક્ષાએ કંબોઇ તથા કલક ખાતે, આમોદ તાલુકા કક્ષાએ સરભાણ સ્વામીનારાયણ મંદિર અને નાહિયેર ગુરૂકુળ ખાતે, હાંસોટ તાલુકા કક્ષાએ કાકાબા હોસ્પિટલ, બીરલા સેલ્યુલોઝ કંપની - ખરચ, વાગરા તાલુકા કક્ષાએ પી.જે.છેડા હાઇસ્કુલ દહેજ, શ્રીમતી એમ.એમ.પટેલ સાર્વજનીક હાઇસ્કુલ – વાગરા, ઝઘડીયા તાલુકાકક્ષાએ મહાલક્ષ્મી મંદિર ઝઘડીયા અને દીવાનજી ધનજીશા હાઇસ્કૂલ,ઝઘડીયા, વાલીયા તાલુકા કક્ષાએ ઔદ્યોગિક તાલીમ સંસ્થા-વાલીયા, શ્રી રંગનવચેતન વિદ્યામંદિર વાલીયા, નેત્રંગ તાલુકા કક્ષાએ એમ.એમ.ભક્ત હાઇસ્કુલ- નેત્રંગ, આદર્શ નિવાસી શાળા - નેત્રંગ ખાતે યોગ શિબિર યોજાશે.

ભરૂચ નગરપાલિકા કક્ષાએ માતરીયા તળાવ–ભરૂચ અને સી.એમ.પાર્ટી પ્લોટ સીવીલ રોડ – ભરૂચ, અંકલેશ્વર નગરપાલિકા કક્ષાએ જવાહરબાગ ભરૂચીનાકા પાસે અંકલેશ્વર, જીનવાલા સ્કુલ કંપાઉન્ડ અંકલેશ્વર, જંબુસર નગરપાલિકા કક્ષાએ સ્વામીનારાયણ મંદિર હોલ જંબુસર, જે.એમ.શાહ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ જંબુસર, આમોદ નગરપાલિકા કક્ષાએ ચામડીયા હાઇસ્કુલ આમોદ, શુભમ પાર્ટી પ્લોટ સરભાણ રોડ - આમોદ ખાતે યોગ શિબિર યોજાશે.

જિલ્લાની તમામ પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, કોલેજા, આઇ.ટી.આઇ, ટેકનિકલ કોલેજા, નગરપાલિકા કક્ષાએ, તાલુકા કક્ષાએ તેમજ સ્વૈચ્છિક સેવાભાવી સંસ્થાઓ, દરેક ગ્રામ પંચાયત તેમજ જિલ્લાની શૈક્ષણિક - સામાજિક સંસ્થાઓ ખાતેના કેન્દ્રો ઉપર યોગ શિબિર યોજાશે.

Read the Next Article

નશાકારક દવાના દુરુપયોગ-ગેરકાયદે વેચાણને નાથવા રાજ્યના તમામ મેડિકલ સ્ટોર્સમાં ગુજરાત પોલીસનું મેગા સર્ચ…

ગુજરાત રાજ્યમાં નશાકારક દવાઓના દુરુપયોગ અને ગેરકાયદેસર વેચાણને રોકવા માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની સૂચનાથી તા. 9 જુલાઇ-2025 બપોરે 12 વાગ્યાથી રાજ્યભરના

New Update
MixCollage-09-Jul-2025-08-36-PM-6592

ગુજરાત રાજ્યમાં નશાકારક દવાઓના દુરુપયોગ અને ગેરકાયદેસર વેચાણને રોકવા માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની સૂચનાથી તા. 9 જુલાઇ-2025 બપોરે 12 વાગ્યાથી રાજ્યભરના મેડિકલ સ્ટોર્સમાં ગુજરાત પોલીસ દ્વારા મેગા ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ હેઠળ આવરી લેવાતી દવાઓનું પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણપ્રતિબંધિત દવાઓનો જથ્થોનિયમોની વિરુદ્ધ વધુ પડતો દવાઓનો સંગ્રહ અને મેડિકલ સ્ટોર્સ દ્વારા રાખી ન શકાય તેવી દવાઓના વેચાણને અટકાવવાનો તથા નશાકારક દવાઓનું પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ અટકાવવાનો આ ચેકીંગ અભિયાનનો મુખ્ય હેતુ છે. આ મેગા ચેકીંગ અભિયાનમાં રાજ્યના તમામ શહેરો અને જિલ્લાઓમાં સ્થાનિક પોલીસ મથકના ઈનચાર્જલોકલ ક્રાઈમ બ્રાન્ચ (એલ.સી.બી.)સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (એસ.ઓ.જી.) અને જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓના સંકલનમાં વ્યાપક ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. આ કાર્યવાહી ડીવાયએસપી/ડીસીપીના સુપરવિઝન હેઠળ ચલાવવામાં આવી રહી છે. જેમાં તમામ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારીઓએ અલગ-અલગ ટીમો બનાવીને મેડિકલ સ્ટોર્સ ખાતે દરોડા પાડી બારીક ચેકીંગ કરી રહ્યા છે. આ ચેકિંગમાં ખાસ કરીને શાળાઓકોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓની નજીક આવેલી મેડિકલ સ્ટોર્સ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. જ્યાં નશાકારક દવાઓના દુરુપયોગની શક્યતા વધુ હોય છે.

જોકેખાસ કરીને જે દવા કન્ટેન્ટનો નશા માટે દુરુપયોગ થઈ શકે છેતેનું પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ થતું હોવાનું જણાય તો કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં એમીડોપાયરિનફેનાસેટિનનિયાલામાઇડક્લોરામ્ફેનિકોલફેનીલેફ્રાઇનફ્યુરાઝોલિડોનઓક્સિફેનબુટાઝોન તેમજ મેટ્રોનીડાઝોલનો સમાવેશ થાય છે. આ દવાઓ ફક્ત ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન સાથે જ વેચાવી જોઈએઅને તેનું ગેરકાયદેસર વેચાણ આરોગ્ય અને સમાજ માટે ગંભીર જોખમ ઉભું કરે છે. આ ચેકીંગ અભિયાન અંતર્ગત સાંજે 4 વાગ્યા સુધીમાં વલસાડ જિલ્લામાં 282 મેડિકલ સ્ટોર્સનું સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં એકNDPS એક્ટ હેઠળનો કેસ સહિત કુલ 45 કેસ નોંધવામાં આવ્યા છે. તે ઉપરાંત સુરત શહેરમાં 333 મેડિકલ સ્ટોર્સમાં ચેકીંગ કરી એક મેડિકલ સ્ટોરમાંથી 93 કોડીન સીરપ તેમજ એક મેડિકલ સ્ટોરમાંથી 15 કોડીન સીરપ અને પાંચ આલ્પ્રામાઝોલ બોટલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તે ઉપરાંત પાટણ જિલ્લામાં ચાર વાગ્યા સુધીમાં 61 મેડિકલ સ્ટોર્સનવસારીમાં 184જામનગરમાં 66 મેડિકલ સ્ટોર્સમાં ચેકીંગભરૂચ જિલ્લામાં 258 સ્થળે ચેકીંગ તેમજ આહવા ડાંગમાં 23 મેડિકલ સ્ટોર્સમાં ચેકીંગ કરવામાં આવ્યું છે. તે ઉપરાંત દાહોદ જિલ્લામાં કુલ 129 મેડિકલ સ્ટોરપંચમહાલ જિલ્લામાં 112 અને ગાંધીનગર જિલ્લામાં 317 મેડિકલ સ્ટોર્સમાં ચેકીંગ હાથ ધરાયું હતુંઅને આ અભિયાન રાજ્યના તમામ શહેરો અને જિલ્લાઓમાં આગામી દિવસોમાં પણ યથાવત રાખવામાં આવશે.

Latest Stories