શિક્ષકોના આ કાર્યથી ભિક્ષુકોના પેટનો ખાડો પુરાય છે,વિદ્યાર્થીઓને શિક્ષણનો પણ લાભ મળે છે.

New Update
શિક્ષકોના આ કાર્યથી ભિક્ષુકોના પેટનો ખાડો પુરાય છે,વિદ્યાર્થીઓને શિક્ષણનો પણ લાભ મળે છે.

હાલની પરિસ્થિતિની જો વાત કરીએ તો દેશમાં ગરીબી ઓછી થઈ હોય એવું લાગતું નથી. મેગાસીટીઓમાં જ્યારે ટ્રાફિક સિગ્નલ પર ગાડી ઉભેલી હોય ત્યારે ગાડીનો બંધ કાચ ખખડાવી મોટે ભાગે નાના બાળકો જ ભીખ માંગતા નજરે ચઢે છે,તેઓ ફક્ત પોતાના પેટનો ખાડો પુરવા જ આમ કરતા હોય છે.જો એવા ગરીબ લોકોને એક ટંકનું ખાવાનું જો નસીબ ન હોય તો ભણતરની વાત જ શું કરવી. આવો જ અનુભવ નર્મદા જિલ્લાના શિક્ષકોને પણ થયો ત્યારે એમણે આવા જરૂરિયાતમંદો માટે કંઈક કરવાનું મનોમન નક્કી કરી લીધું.

નર્મદા જિલ્લાની વિવિધ પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા કલ્પેશભાઈ મહાજન,નમીતાબેન મકવાણા,રાકેશભાઈ પંચોલી,કલ્પેશભાઈ ચૌહાણ,બિપિનભાઈ વ્યાસ,નિવિદભાઈ વાજા,જયભાઈ જોશી,ચિરાગભાઈ મપારા,મહેન્દ્રભાઈએ પ્રથમતો ભિક્ષુકોના પેટનો ખાડો પુરવાનું નક્કી કર્યું.આમ તો નોકરી કરતી મહિલાઓને ઘરની પણ જવાબદારી હોય છે તે છતાં પણ નમિતાબેન આ સેવાકીય કાર્યમાં જોડાયા છે.તમામ શિક્ષકોએ દર ગુરુવારે સાંજે એક "અન્નપૂર્ણા રથ" નામની વાન બનાવી છે જેમાં અમુક માત્રામાં શુદ્ધ શાકાહારી ભોજન બનાવી રાજપીપળા સહિત આસપાસના વિસ્તારોમાં ભિક્ષુકો અને ગરીબ લોકોને શોધવા નીકળી પડે છે અને ભોજન કરાવે છે.

આ કાર્ય દરમિયાન એમણે એવું પણ જોયું કે અમુક લોકો પાસે તો પહેરવાના કપડાનો પણ અભાવ હતો,જેથી એમણે શહેરના લોકો પાસેથી એવા કપડા ઉઘરાવવાની શરૂઆત કરી કે જે કપડા તેઓ પહેરતા ન હોય.એ ઉઘરાવેલા કપડા માંથી પહેરવા યોગ્ય કપડાં તેઓ અલગ કરી એને ધોઈ ઈસ્ત્રી કરી અને અન્નપૂર્ણા રથની સાથે સાથે વસ્ત્રપરબ ચલાવી જરૂરિયાત મંદોને કપડાનું પણ વિતરણ કરે છે.ઉઘરાવેલા કપડા માંથી જે પેહેરવા લાયક કપડા ન હોય એ કપડા તેઓ એક સંસ્થાને આપે છે,જે સંસ્થા એ કપડાનો ઉપયોગ વિદ્યાર્થીઓના પ્રોજેકટ બનાવવા માટે કરે છે.

ગરીબો લોકો આર્થિક સંકડામણને લીધે ભણવા માટે અન્ય પુસ્તકો પણ ખરીદી શકતા નથી.ગરીબ લોકોના બાળકોને પણ એનો લાભ મળે એ માટે શિક્ષકોએ પુસ્તક પરબની પણ શરૂઆત કરી છે.જેમાં જે લોકોએ પુસ્તકો વાંચી લીધા હોય,પોતાના બાળકોનો અભ્યાસ પૂરો થઈ ગયો હોય અને એ પુસ્તકો પડી રહયા હોય એવા તમામ પુસ્તકો આ શિક્ષકો લાવી અને જરૂરિયાતમંદ અને ગરીબ બાળકોને વિનામૂલ્યે પુસ્તક પરબના માધ્યમથી શાળાકીય અભ્યાસ માટે આપે છે જેથી ગરીબ વિદ્યાર્થીઓને પણ હવે અભ્યસ હાલ એમની પુસ્તક પરબમાં ધાર્મિક,નોવેલ,મોટીવેશનલ અને જનરલ નોલેજના પુસ્તકોનો પણ ભંડાર થયો છે,સામે કોઈક પુસ્તક જો આપે તો એના બદલીમાં વ્યક્તિને એ પુસ્તકો પણ તેઓ વિનામૂલ્યે આપે છે.

આ શિક્ષકોને સેવાકીય કાર્યની શરૂઆતમાં નાણાકીય ઘણી તકલીફો પડી પરંતુ જેમ જેમ આ બાબતે લોકો જાણતા થયા તેમ તેમ શિક્ષકોને દાતાઓ પણ મળતા ગયા.હાલમાં અન્નપૂર્ણા રથ માટે લોકો નાણાકીય નહિ પરંતુ વિવિધ સામગ્રીઓ આપે છે.સાથે સાથે પુસ્તક પરબ માટે એમને એક સંસ્થાએ દાન કર્યું છે,જેથી સારા સારા વિષયોના પુસ્તકો હવે તેઓ પસ્તી માંથી પણ ખરીદે છે.આ કાર્યની સાથે સાથે નર્મદા જિલ્લાના આ શિક્ષકોની ટીમ શિયાળામાં ધાબળા,ઉનાળામાં ચપ્પલ અને ચોમાસામાં છત્રીનું પણ જરૂરિયાત મંદોને વિતરણ કરે છે.ટૂંકમાં એવું જરૂર કહી શકાય કે નર્મદા જિલ્લાના આ તમામ શિક્ષકોના સેવાકીય કાર્યથી આજે ભિક્ષુકોના પેટનો ખાડો પુરાય છે સાથે સાથે ગરીબ વિદ્યાર્થીઓને શિક્ષણનો પણ લાભ મળે છે.

Read the Next Article

નશાકારક દવાના દુરુપયોગ-ગેરકાયદે વેચાણને નાથવા રાજ્યના તમામ મેડિકલ સ્ટોર્સમાં ગુજરાત પોલીસનું મેગા સર્ચ…

ગુજરાત રાજ્યમાં નશાકારક દવાઓના દુરુપયોગ અને ગેરકાયદેસર વેચાણને રોકવા માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની સૂચનાથી તા. 9 જુલાઇ-2025 બપોરે 12 વાગ્યાથી રાજ્યભરના

New Update
MixCollage-09-Jul-2025-08-36-PM-6592

ગુજરાત રાજ્યમાં નશાકારક દવાઓના દુરુપયોગ અને ગેરકાયદેસર વેચાણને રોકવા માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની સૂચનાથી તા. 9 જુલાઇ-2025 બપોરે 12 વાગ્યાથી રાજ્યભરના મેડિકલ સ્ટોર્સમાં ગુજરાત પોલીસ દ્વારા મેગા ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ હેઠળ આવરી લેવાતી દવાઓનું પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણપ્રતિબંધિત દવાઓનો જથ્થોનિયમોની વિરુદ્ધ વધુ પડતો દવાઓનો સંગ્રહ અને મેડિકલ સ્ટોર્સ દ્વારા રાખી ન શકાય તેવી દવાઓના વેચાણને અટકાવવાનો તથા નશાકારક દવાઓનું પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ અટકાવવાનો આ ચેકીંગ અભિયાનનો મુખ્ય હેતુ છે. આ મેગા ચેકીંગ અભિયાનમાં રાજ્યના તમામ શહેરો અને જિલ્લાઓમાં સ્થાનિક પોલીસ મથકના ઈનચાર્જલોકલ ક્રાઈમ બ્રાન્ચ (એલ.સી.બી.)સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (એસ.ઓ.જી.) અને જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓના સંકલનમાં વ્યાપક ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. આ કાર્યવાહી ડીવાયએસપી/ડીસીપીના સુપરવિઝન હેઠળ ચલાવવામાં આવી રહી છે. જેમાં તમામ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારીઓએ અલગ-અલગ ટીમો બનાવીને મેડિકલ સ્ટોર્સ ખાતે દરોડા પાડી બારીક ચેકીંગ કરી રહ્યા છે. આ ચેકિંગમાં ખાસ કરીને શાળાઓકોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓની નજીક આવેલી મેડિકલ સ્ટોર્સ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. જ્યાં નશાકારક દવાઓના દુરુપયોગની શક્યતા વધુ હોય છે.

જોકેખાસ કરીને જે દવા કન્ટેન્ટનો નશા માટે દુરુપયોગ થઈ શકે છેતેનું પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ થતું હોવાનું જણાય તો કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં એમીડોપાયરિનફેનાસેટિનનિયાલામાઇડક્લોરામ્ફેનિકોલફેનીલેફ્રાઇનફ્યુરાઝોલિડોનઓક્સિફેનબુટાઝોન તેમજ મેટ્રોનીડાઝોલનો સમાવેશ થાય છે. આ દવાઓ ફક્ત ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન સાથે જ વેચાવી જોઈએઅને તેનું ગેરકાયદેસર વેચાણ આરોગ્ય અને સમાજ માટે ગંભીર જોખમ ઉભું કરે છે. આ ચેકીંગ અભિયાન અંતર્ગત સાંજે 4 વાગ્યા સુધીમાં વલસાડ જિલ્લામાં 282 મેડિકલ સ્ટોર્સનું સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં એકNDPS એક્ટ હેઠળનો કેસ સહિત કુલ 45 કેસ નોંધવામાં આવ્યા છે. તે ઉપરાંત સુરત શહેરમાં 333 મેડિકલ સ્ટોર્સમાં ચેકીંગ કરી એક મેડિકલ સ્ટોરમાંથી 93 કોડીન સીરપ તેમજ એક મેડિકલ સ્ટોરમાંથી 15 કોડીન સીરપ અને પાંચ આલ્પ્રામાઝોલ બોટલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તે ઉપરાંત પાટણ જિલ્લામાં ચાર વાગ્યા સુધીમાં 61 મેડિકલ સ્ટોર્સનવસારીમાં 184જામનગરમાં 66 મેડિકલ સ્ટોર્સમાં ચેકીંગભરૂચ જિલ્લામાં 258 સ્થળે ચેકીંગ તેમજ આહવા ડાંગમાં 23 મેડિકલ સ્ટોર્સમાં ચેકીંગ કરવામાં આવ્યું છે. તે ઉપરાંત દાહોદ જિલ્લામાં કુલ 129 મેડિકલ સ્ટોરપંચમહાલ જિલ્લામાં 112 અને ગાંધીનગર જિલ્લામાં 317 મેડિકલ સ્ટોર્સમાં ચેકીંગ હાથ ધરાયું હતુંઅને આ અભિયાન રાજ્યના તમામ શહેરો અને જિલ્લાઓમાં આગામી દિવસોમાં પણ યથાવત રાખવામાં આવશે.

Latest Stories