/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/07/maxresdefault-342.jpg)
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી વધીને 121.96 મીટરે પહોંચી ગઇ છે. ડેમમાં ઉપરવાસ માંથી 68023 ક્યુસેક પાણીની આવક થઇ છે. 24 કલાકમાં ડેમની સપાટીમાં 24 સેમીનો વધારો નોંધાયો છે. જેને કારણે હાલ ગુજરાતમાં સિંચાઇ માટે 12872 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ ડેમમાં 1690 એમસીએમ પાણીનો લાઇવ સ્ટોરેજ જથ્થો છે મધ્યપ્રદેશના ઇંદિરા સાગર અને ઓમકારેશ્વર ડેમના ટર્બાઇન ચાલુ કરવામાં આવતા ડેમની સપાટીમાં વધારો થયો છે.
સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો થતાં ગુજરાત તથા ખેડૂતો માટે સારા સમાચાર છે.હાલ તો ગુજરાત ની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ ખરેખર ગુજરાતની જીવાદોરી સાબિત થઈ રહી છે આવનારા દિવસોમાં ચોમાસુ નબરું રહે તોય ગુજરાતને પીવા અને સિંચાઈ માટે પાણી આપવામાં ડેમ સક્ષમ થવા જઇ રહ્યો છે.
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી વધીને 121.92 મીટરે પહોંચી ગઇ છે. હાલ ડેમમાં 1690 એમસીએમ પાણીનો લાઇવ સ્ટોરેજ જથ્થો છે.જેને કારણે ડેમમાં પાણીની સપાટીમાં સતત વધારો થવાના કારણે એક વર્ષ બાદ પહેલી વાર વીજ ઉત્પાદ શરૂ થયું છે. ડેમમાં પાણીની આવક વધતા CHPHના ત્રણ ટર્બાઇન શરૂ કરાયા છે.
છેલ્લા 24 કલકામામાં ડેમમાંથી દરરોજ 2557 મેધાવોટ વીજળીનું ઉત્પાદન થાય છે જોકે મધ્યપ્રદેશ દ્વારા જે વીજળી ગુજરાત નથી આપતી ના આક્ષેપો સાથે રાજકારણ પણ ગરમાયુ છે જેમાં આજે 1 વર્ષ બાદ CHPH ના 3 ટર્બાઇ ચાલુ કરવાથી હાલ વીજળીનું ઉત્પાદન સારું કરવામાં આવ્યું છે બીજી બાજુ 3 વર્ષ થી બંધ પડેલ RBPH (રિવર બેડ પાવર હાઉસ ) નું પણ તંત્ર દ્વારા મેન્ટેનેસ ચાલુ કરી દેવામાં આવ્યું છે તંત્ર નો દાવો છેકે 125 મીટર ની ઉપર નર્મદા ડેમ ની સપાટી જશે તો આ RBPH ના પાવર હાઉસ પણ શરૂ કરવામાં આવશે જેના થકી ગુજરાત મધ્યપ્રદેશ અને મહારાષ્ટ ને વીજળી પુરી પાડવામાં આવશે.