સીએમના નિવેદન પર કોંગ્રેસનો વળતો જવાબ,અમિત ચાવડાએ કહ્યુ ભાજપનો ભ્રષ્ટાચારએ જ શિષ્ટાચાર

New Update
સીએમના નિવેદન પર કોંગ્રેસનો વળતો જવાબ,અમિત ચાવડાએ કહ્યુ ભાજપનો ભ્રષ્ટાચારએ જ શિષ્ટાચાર

કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા  દ્વારા મુખ્યમંત્રીના ૨૦-૨૦ મેચના નિવેદન બાદ પત્રકાર પરિષદ

યોજીને ભાજપ પર આકરા શાબ્દિક પ્રહારો કર્યા હતા.

મુખ્યમંત્રી વિજયરૂપાણીના 20- 20ના નિવેદન બાદ ફરી રાજકારણ ગરમાયુ

છે ત્યારે સામે વિપક્ષ આ મામલે વ્યંગ કરવાનું ચૂક્યુ નથી. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ

અમિત ચાવડાએ આ મામલે નિવેદન આપતા જણાવ્યું હતું કે આડકતરી રીતે મુખ્યમંત્રીએ

પોતાના જ કેટલાક નેતાઓ ઉપર નિવેદન કર્યું છે. ભાજપમાં ભ્રષ્ટાચાર જ શિષ્ટાચાર બની

ગયો છે અને મુખ્યમંત્રીને માહિતી મેળવવી જોઈએ કે કોના નામે કેટલી મિલકતો છે