અંકલેશ્વરઃ નેશનલ હાઈવે ઉપરથી પસાર થતા વ્યક્તિનું અજાણ્યા વાહનની ટક્કરે મોત
BY Connect Gujarat5 Jun 2018 7:13 AM GMT
X
Connect Gujarat5 Jun 2018 7:13 AM GMT
અંકલેશ્વર પાસેથી પસાર થતા નેશનલ હાઈવે ઉપર આવેલા જીઆઈડીસીનાં ઓવર બ્રિજ નીચથી રસ્તો ક્રોસ કરતાં એક વ્યક્તિને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી હતી. વાહનની અડફેટે આવેલા વ્યક્તિનું ગંભીર ઈઝાના કારણે સ્થળ પર જ મોત મિપજ્યું હતું. જ્યારે અકસ્માત સર્જક અજાણ્યો વાહન ચાલક સ્થળ પરથી નાસી છૂટ્યો હતો. અકસ્માતને પગલે નજીકમાંથી પસાર થતા લોકો સ્થળ પર દોડી આવ્યા હતા. લોકોએ 108ને કોલ કર્યો હતો પરંતુ વધુ ઈજા થવાને કારણે અજાણી વ્યક્તિનું મોત થતાં પોલીસને જાણ કરવામાં આવી હતી.
Next Story