Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વરનાં ભરૂચીનાકા પાસે પતંગ લૂંટવા જતા યુવાનને વીજ કરંટ લાગતા મોત

અંકલેશ્વરનાં ભરૂચીનાકા પાસે પતંગ લૂંટવા જતા  યુવાનને  વીજ કરંટ લાગતા મોત
X

અંકલેશ્વર ભરૂચીનાકા કબ્રસ્તાન પાસે પતંગ લૂંટવા જતા 28 વર્ષીય યુવાનને વીજ કરંટ લાગતા દાઝી જવાથી કરુણ મોતને ભેટ્યો હતો. જ્યારે વધુ એક બનાવમાં પણ યુવાન પતંગ લૂંટતી વખતે વીજ કરંટ થી દાઝી ગયો હતો.

અંકલેશ્વરમાં વાસી ઉત્તરાયણ પર્વ જાદવ પરિવાર માટે માતમમાં ફેરવાયો હતો. મુળ વાગરા તાલુકાનાં કેરવાડા ગામનાં વતની અને જૂનાદિવા રોડ પર બોરવાડી ખાતે રહેતા 28 વર્ષીય દેવેન્દ્રસિંહ જાદવ ભરૂચીનાકા પાસેનાં કબ્રસ્તાન પાસે પતંગ લૂંટવા માટે આશરે 5 વાગ્યાનાં અરસામાં ગયા હતા.

આ સમય દરમિયાન જીવતો વીજ તારને તેવો અડી જતા વીજ કરંટ લાગતા ગંભીર રીતે દાઝી ગયા હતા.અને જેના કારણે તેઓનું મોત નિપજ્યુ હતુ.

આ અંગે અંકલેશ્વર નગર પાલિકા ફાયર વિભાગમાં જાણ થતા તેવો ઘટના સ્થળે દોડી ગયા હતા. અને વીજ નિગમનો પુરવઠો બંધ થતા જ દેવેન્દ્રસિંહનો મૃતદેહ વીજ તાર થી અલગ કર્યો હતો.

અંકલેશ્વર શહેર પોલીસ તેમજ ડીજીવીસીએલની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતદેહને પી.એમ અર્થે ખસેડ્યો હતો.

જ્યારે બીજા એક બનાવમાં અંકલેશ્વર હાંસોટ રોડ પર આવેલ શાન્તનું રોયલ પાર્ક ખાતે મજૂરી કરતા મૂળ દાહોદનાં શ્રમજવી પરિવારનો 20 વર્ષીય મુકેશ પરમાર નામનો યુવાન પતંગ લૂંટવા જતા તેનો પગ નજીક રહેલ વીજ ટ્રાન્સફોર્મરને અડી જતા દાઝી ગયો હતો.

જેને લોકોએ ગંભીર હાલતમાં 108ની મદદ થી જયાબેન મોદી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડ્યો હતો.

Next Story