અંકલેશ્વરમાં નવી ચલણી નોટ માટે બેંકો પર કતાર લાગી
BY Connect Gujarat10 Nov 2016 6:15 AM GMT
X
Connect Gujarat10 Nov 2016 6:15 AM GMT
અંકલેશ્વરમાં વહેલી સવાર થી જ જુનુ ચલણ વટાવવા માટે બેંકોમાં ગ્રાહકોની લાઈન લાગી હતી.
કેન્દ્ર સરકારે ઓચિંતા જ સર્જેલી રૂપિયા 500 અને 1000ની ચલણી નોટની સર્જીકલ સ્ટ્રાઇક બાદ લોકોમાં નવા ચલણ ને લઈને ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.
આજ થી દરેક બેંકો માંથી તેમજ પોસ્ટ ઓફિસ માંથી જૂની 500 અને 1000 રૂપિયાની નોટો બદલવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ત્યારે અંકલેશ્વરમાં ગ્રાહકો એ વહેલી સવાર થી જ બેંકો પર લાંબી કતારો લગાવી હતી. અને નવા ચલણ ને સ્વીકારવા માટે ગ્રાહકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.
Next Story