Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર : રોષે ભરાયેલા ગ્રામજનોએ ગોવાલી રસ્તા પર સળગાવ્યા ટાયર

અંકલેશ્વર : રોષે ભરાયેલા ગ્રામજનોએ ગોવાલી રસ્તા પર સળગાવ્યા ટાયર
X

અંકલેશ્વર ગોવાલી નજીક ટ્રકની અડફેટે આવતા 18 વર્ષીય યુવાનના મોત નીપજ્યું હતું, યુવાનના મોતથી ગોવાલીમાં રહેતા ગ્રામજનો રોષે ભરાયા હતા. ગોવાલીના રસ્તા પર સ્પીડ બ્રેકરની માંગ સાથે રસ્તાઓ પર ટાયર સળગાવી ગ્રામજનોએ વિરોધ કર્યો હતો.જોકે રસ્તા પર ટાયર સળગાવાથી ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી.

[playlist type="video" ids="81364"]

ગોવાલી નજીક ટ્રકની અડફેટે આવતા યુવાનનું મોત થયું હતું અને ટ્રક ચાલક આ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ ઘટનાની જાણ ઝઘડિયા પોલીસને થતા, પોલીસએ ઘટના સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી, ઝઘડિયા પોલીસે ગ્રામજનોને લેખિતમાં બમ્પર મુકવા બાંહેધરી આપતા વાહન વ્યવહાર શરૂ કરાયો હતો,

Next Story