Connect Gujarat

ભરૂચ ખાતે ST કર્મચારીઓ માટે નિ:શુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

ભરૂચ ખાતે ST કર્મચારીઓ માટે નિ:શુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો
X

ભરૂચ ભોલાવ ખાતે આવેલ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ વિભાગીય કચેરી ખાતે શ્રમિક કામદાર કલ્યાણ સંઘ અને ઇનફિનીટી હેલ્થ સોલ્યુશન્સ પ્રા.લી અંકલેશ્વર ના સહયોગ થી આરોગ્ય ચકાસણી અને માર્ગ દર્શન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું.

2

આ શિબિરનો 200 જેટલા કર્મચારિઓ એ લાભ લીધો હતો,આ પ્રસંગે શ્રમિક કામદાર કલ્યાણ સંઘ નાં અધ્યક્ષ ડી.સી.સોલંકી,ગુજરાત માર્ગ વાહન વ્યવહાર નિગમ વિભાગીય નિયામક એલ.જી.હર્ષે,ઇનફિનીટી હેલ્થ સોલ્યુશન્સ પ્રા.લી ના ડાયરેક્ટર રાજેશ પટેલ અને તેઓની ટીમે ઉપસ્થિત રહીને સેવાઓ આપી હતી,જયારે ડો.કેતન પટેલે કર્મચારીઓ ને સ્વાસ્થ્ય સંબંધિત માર્ગદર્શન આપ્યું હતું.

Next Story