Connect Gujarat
ગુજરાત

ભરૂચ જીલ્લા કવિઠા ગામ ખાતે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે

ભરૂચ જીલ્લા કવિઠા ગામ ખાતે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે
X

B.A.P.S સ્વામિનારાયણ મંદિરમાં બે દિવસ ધાર્મિક કાર્યક્રમો થકી લોકો ધર્મના રંગે રંગાશે

ભરૂચ જીલ્લાનાં કવિઠા ગામ ખાતે B.A.P.S સ્વામિનારાયણ સંસ્થાનું ભવ્ય મંદિર નિર્માણ કરવામાં આવ્યુ છે. આ મંદિરનાં તા – ૧૦ અને ૧૧મીનાં રોજ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમો યોજાશે. જેનાં પ્રગટ બ્રહમ સ્વરૂપ પ.પૂ. પ્રમુખ સ્વામી મહારાજે પ્રતિષ્ઠિત કરેલ મૂર્તિઓની સ્થાપના વિધી સદગુરૂવર્ય પ.પૂ.ઈશ્વર ચરણ સ્વામીનાં હસ્તે કરવામાં આવશે.

તા – ૧૦-૦૪-૨૦૧૬ રવિવારનાં રોજ સવારે ૮ કલાકે વિશ્વ શાંતિ મહાયાગ તેમજ બપોરનાં ૩ કલાકે શોભાયાત્રા યોજાશે, જયારે તા – ૧૧મીના રોજ સવારે ૮ કલાકે મૂર્તિ પ્રતિષ્ઠા વિધી, ૧૦ કલાકે પૂર્તિ પ્રતિષ્ઠા સભા અને ત્યારબાદ બપોરનાં ૧૨ કલાકે મહાપ્રસાદીનો લ્હાવો લેવા ધર્મભિની જનતાને આમંત્રણ પાઠવવામાં આવ્યુ છે.

Next Story