ભાવનગર જિલ્લામા આજે ૧૯ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા,૨૬ દર્દીઓ બન્યા કોરોનામુક્ત
BY Connect Gujarat21 Dec 2020 2:44 PM GMT
X
Connect Gujarat21 Dec 2020 2:44 PM GMT
ભાવનગર જિલ્લામા આજરોજ ૧૯ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૫,૬૭૮ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૧૧ પુરૂષ અને ૩ સ્ત્રી મળી કુલ ૧૪ કેસ નોંધાયા છે. જ્યારે તાલુકાઓમા ભાવનગર તાલુકાના વરતેજ ગામ ખાતે ૧, ઉમરાળા તાલુકાના અમલપર ગામ ખાતે ૩ તેમજ મહુવા ખાતે ૧ કેસ મળી ૫ લોકોના કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.
જ્યારે આજરોજ ભાવનગર મહાનગરપાલિકાના ૧૧ તેમજ તાલુકાઓના ૧૫ એમ કુલ ૨૬ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. આમ જિલ્લામા નોંધાયેલા ૫,૬૭૮ કેસ પૈકી હાલ ૮૮ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમા કુલ ૫,૫૧૪ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા ૬૯ દર્દીઓનુ અવસાન થયેલ છે.
Next Story