Connect Gujarat
ગુજરાત

વ્યારાનાં બાલપુર ખાતે મતદાર જાગૃતિ અભિયાન યોજાયુ

વ્યારાનાં બાલપુર ખાતે મતદાર જાગૃતિ અભિયાન યોજાયુ
X

વ્યારા તાલુકાનાં બાલપુર ગામ ખાતે સેવાસેતુ કાર્યક્રમ અંતર્ગત મતદાર જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યુ હતુ.

વ્યારા તાલુકાનાં બાલપુર ગામ ખાતે સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી એન.કે.ડામોરનાં માર્ગદર્શન હેઠળ લાભાર્થીઓને મતદાન જાગૃતિ અંગે માહિતી આપવામાં આવી હતી.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઈવીએમ મશીન સાથે વીવીપેટ મશીનનો પણ ઉપયોગ થવાનો છે, ત્યારે મશીન સંદર્ભે પણ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા, અને પોતાના અમૂલ્ય મતનું મૂલ્ય પણ સમજાવવામાં આવ્યું હતુ.

Next Story