Connect Gujarat
Featured

ગુજરાત રાજ્યમાં કોરોનાના 778 નવા કેસ નોંધાયા,17 દર્દીઓના મોત, કુલ કેસની સંખ્યા 37636 પર પહોંચી

ગુજરાત રાજ્યમાં કોરોનાના 778 નવા કેસ નોંધાયા,17 દર્દીઓના મોત, કુલ કેસની સંખ્યા 37636 પર પહોંચી
X

ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 778 નવા પોઝીટીવ કેસ નોંધાયા છે. આ સાથે જ કુલ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 37636 થઈ ગઈ છે. જ્યારે વધુ 17નાં મોત સાથે મૃત્યુઆંક 1979 પર પહોંચ્યો છે. આજે 421 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે અત્યાર સુધી 26744 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે.

આજે 778 નવા નોંધાયેલ કેસ પૈકી સુરતમાં 249, અમદાવાદમાં 187, વડોદરામાં 68, રાજકોટમાં 40, વલસાડમાં 21, મહેસાણા 15,ભરૂચ 15, કચ્છમાં 14, ગાંધીનગરમાં 13, નવસારીમાં 13, ભાવનગરમાં 21, બનાસકાંઠા 12, ખેડા 11, સુરેન્દ્રનગર 11, આણંદ 10, જામનગરમાં 8, જૂનાગઢ 13, મહિસાગર 7, અમરેલી 6, દાહોદ 6, ગાંધીનગર 5, પાટણ 5, મોરબી 5, અરવલ્લી 4, પંચમહાલ 4, ગીર સોમનાથ 3, તાપી 3, સાબરકાંઠા 2, છોટા ઉદેપુર 2, નર્મદા 1, બોટાદ 1 અને દેવભૂમિ દ્વારકામાં એક કેસ નોંધાયો છે.

ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વધુ 17 દર્દીઓના કોવિડ-19ના કારણે મોત થયા છે. અમદાવાદમાં – 5, સુરત - 3, દેવભૂમિ દ્વારકા - 1, બનાસકાંઠા - 1, જામનગર 2, મોરબી 1, પાટણ 1, ખેડા 1, રાજકોટ 1 અને ગાંધીનગરમાં 1 મોત થયું છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 26744 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે. હાલમાં 8913 એક્ટિવ કેસ છે, જેમાંથી 61 વેલ્ટીલેટર પર છે અને 8852 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4,25,830 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

Next Story