ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં તા. 21મી સપ્ટેમ્બર શુક્રવારના રોજ સવારથી સાંજ સાડા સાત કલાક સુધી વીજ ગ્રાહકોને વીજ પુરવઠો મળશે નહીંજેની સર્વે ગ્રાહકોએ નોંધ લેવા વીજ નિગમ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

આવતીકાલે તા. 21મી સપ્ટેમ્બર શુક્રવારના રોજ દક્ષિણ ગુજરાત વીજ કંપની લી. દ્વારા અંકલેશ્વર શહેરમાં 66 KV અર્બન સબ સ્ટેશનમાંથી નીકળતા 22 KV GHB ફીડર ઉપર અગત્યનું સમારકામ કરવાનું હોવાથી અંકલેશ્વર શહેરના ગુજરાત ગેસસુરતી ભાગોળગુજરાત હાઉસીંગ બોર્ડભાટવાડમુલ્લાવાડકાગદીવાડફેઈઝ પાર્કચાંદની પાર્કરણછોડરાય નગરદેસાઈ ફળીયાસમડી ફળીયાગોયા બજારકેશવપાર્કરાધેપાર્કપીરામણ નાકાબ્રિજનગરયુનાઈટેડ કોમ્પલેક્ષબાલાજી કોમ્પલેક્ષઉકાઈ કોલોનીકસાઈવાડસુથાર ફળિયાકાઝી ફળિયાનગરપાલિકા વિસ્તારતાલુકા સેવા સદન તથા પિરામણ ગ્રામ્ય વિસ્તારમાં વીજ પુરવઠો સવારે 9:30 કલાકથી સાંજે 5:00 કલાક સુધી બંધ રહેશે. જોકેવીજ નિગમ દ્વારા સમારકામની કામગીરી પૂર્ણ થયે તાત્કાલિક વીજ ગ્રાહકોને કોઈપણ જાતની જાણ કર્યા વગર વીજ પુરવઠો રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવશે.