
ભરૂચ: સંસ્કૃતિ સમાજ સંસ્થાન ટ્રસ્ટ દ્વારા નવરાત્રીના પર્વ નિમિત્તે આરતી શણગાર સ્પર્ધા યોજાય
માં નવ દુર્ગાનાની આરાધનાનું પર્વ નવરાત્રીની ઉજવણી સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા નંદેલાવ ગામની મિશ્ર શાળામાં કરવામાં આવી ગુજરાત | સમાચાર |
માં નવ દુર્ગાનાની આરાધનાનું પર્વ નવરાત્રીની ઉજવણી સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા નંદેલાવ ગામની મિશ્ર શાળામાં કરવામાં આવી. જેમાં વિદ્યાર્થીઓની દ્વારા આરતી શણગારની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું.
આ સ્પર્ધામાં શાળાની વિદ્યાર્થીનીઓએ ખૂબ જ સુંદર રીતે ઘરેલું ચીઝ વસ્તુઓ અને પ્રાકૃતિક ચીજ વસ્તુઓથી આરતીનો શણગાર કર્યો હતો. આ પ્રસંગે સંસ્કૃતિ ટ્રસ્ટના સ્થાપક પ્રકાશચંદ્ર પટેલ, હેમાબેન પટેલ પ્રમુખ અંજલીબેન ડોગરા, પ્રોજેક્ટ ચેરમેન શિલાબેન પટેલ, સંસ્થાના સભ્યો તથા શાળા આચાર્ય તથા શિક્ષકગણ ઉપસ્થિત રહ્યો હતો.
