Connect Gujarat
Featured

ગુજરાત રાજ્યમાં કોરોનાના વધુ 620 નવા કેસ નોંધાયા,20 દર્દીઓના મોત

ગુજરાત રાજ્યમાં કોરોનાના વધુ 620 નવા કેસ નોંધાયા,20 દર્દીઓના મોત
X

ગુજરાત રાજ્યમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે,રાજ્યમાં આજે છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 620 નવા પોઝીટીવ કેસ નોંધાયા છે, જ્યારે વધુ 20 દર્દીઓનાં મોત થયા છે. રાજ્યમાં આજે 422 દર્દીઓ સ્વસ્થ થયા છે. રાજ્યમાં હાલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 32643 પર પહોંચી છે. જ્યારે મૃત્યુઆંક 1848 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં 23670 દર્દીઓ સાજા થયા છે.

આજે 620 નવા નોંધાયેલ કેસ પૈકી સુરતમાં 199, અમદાવાદમાં 197, વડોદરામાં 52 , વલસાડ 20, જામનગરમાં 18 , આણંદ 14, ગાંધીનગર 13, પાટણ 11, કચ્છ 9, ભરૂચ 8, મહેસાણા 7, જૂનાગઢમાં 6, ખેડા 6, ભાવનગરમાં 8, રાજકોટમાં 6 , અરવલ્લી 5, પંચમહાલ 5, સાબરકાંઠા 4, બોટાદ 4, સુરેન્દ્રનગર 4, ગાંધીનગરમાં 3, ગીર સોમનાથ 3, પોરબંદર 3, અમરેલી 3, મહીસાગર 2, જૂનાગઢ 2, નવસારી 2, મોરબી 2, બનાસકાંઠા 1, નર્મદા 1, દેવભૂમિ દ્વારકા 1 અને અન્ય રાજ્ય 1 કેસ નોંધાયો છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વધુ 20 દર્દીઓના કોરોનાના કારણે મોત થયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 9, સુરત કોર્પોરેશનમાં 4, વડોદરા કોર્પોરેશનમાં 2, ગાંધીનગર 2, જૂનાગઢ કોર્પોરેશન 1, પાટણ 1 અને નવસારીમાં 1 દર્દીનું મોત થયું છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ 1848 લોકોનાં કોરોનાથી મોત થયા છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 23670 દર્દીઓ સારવાર બાદ સાજા થઈને ઘરે ગયેલ છે. હાલમાં 6928 એક્ટિવ કેસ છે, જેમાંથી 71 વેલ્ટીલેટર પર છે અને 6857 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 3,73,663 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

Next Story