Home > Featured > અમદાવાદ : બગોદરા હાઈવે નજીક ખાનપુર ફાટક પાસે રિક્ષા અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત, ચારના મોત
અમદાવાદ : બગોદરા હાઈવે નજીક ખાનપુર ફાટક પાસે રિક્ષા અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત, ચારના મોત
BY Connect Gujarat15 Dec 2020 4:25 PM GMT
X
Connect Gujarat15 Dec 2020 4:25 PM GMT
બગોદરા હાઈવે પર ખૂબ જ ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ધોળકા-બગોદરા હાઈવે પરના ખાનપુર ફાટક પાસે રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કુલ ચાર લોકોના મોત થયા છે. જ્યારે અન્ય ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ અકસ્માતને લઈને ધોળકા રૂરલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.
મૃતકમાં 14 વર્ષીય સગીરા, દોઢ વર્ષનું બાળક અને બે પુરુષ સહિત ચારના મોત છે. આ અકસ્માતમાં બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેમને અમદાવાદ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માતમાં કુલ 3 લોકોને ઈજાઓ પહોંચી હતી.
Next Story