અમદાવાદ: અસામાજિક તત્વોનો વધતો જતો આતંક, જુઓ કેવી રીતે લોકોમાં ફેલાવી રહ્યા છે ભય....
BY Connect Gujarat27 Jan 2020 6:30 AM GMT
X
Connect Gujarat27 Jan 2020 6:30 AM GMT
અમદાવાદમાં દિન-પ્રતિદિન
અસામાજિક તત્વોનો આતંક ધીરેધીરે વધતો જઈ રહ્યો છે ત્યારે અમદાવાદના પૂર્વ
વિસ્તારમાં મધરાતે કેટલાક અસામાજિક તત્વો દ્વારા સોસાયટીમાં બાઈકોને આગ ચાંપીને
ફરાર થઈ ગયા. હાલ સ્થાનિક પોલીસ દ્વારા તપાસની તજવીજ હાથ ધરાઈ છે.
અમદાવાદના અસામાજીક તત્વોને હવે કાયદા કાનૂનનો કોઈ પણ
પ્રકારનો ભય નથી રહ્યો. અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે. ત્યારે શહેરના
સ્મશાનગૃહ પાસે બહારની બાજુ પાર્ક કરેલી બાઇકોને આગ ચંપી કરી અસામાજિક તત્વો ફરાર
થઈ ગયા.ઉલ્લેખનીય છે કે આજ વિસ્તારમાં
નવરાત્રિ જેવા તહેવારો દરમિયાન આવા અસામાજીક તત્વો દ્વારા હથિયારો લઈને લોકોમાં
પોતાનો ડર ફેલાવાનો પણ મામલો સામે આવ્યો હતો તે સમયે સ્થાનિક લોકોના ગાડીઓની પણ
તોડફોડ કરી હતી. હાલ આ મામલે ખોખરા પોલીસ સ્ટેશન દ્વારા તપાસના ચક્રો ગતિમાન
કરવામાં આવ્યા છે.
Next Story