અમદાવાદ : બાંગ્લાદેશી યુવતી પડી "અમદાવાદી"ના પ્રેમમાં, પણ અંતે જવું પડ્યું જેલ.

બાંગ્લાદેશથી ટુરિસ્ટ વિઝા પર આવેલી મહિલા અમદાવાદના એક યુવક સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રેમ સબંધમાં બંધાયને

New Update
અમદાવાદ : બાંગ્લાદેશી યુવતી પડી "અમદાવાદી"ના પ્રેમમાં, પણ અંતે જવું પડ્યું જેલ.

બાંગ્લાદેશથી ટુરિસ્ટ વિઝા પર આવેલી મહિલા અમદાવાદના એક યુવક સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રેમ સબંધમાં બંધાયને લિવ ઇન રિલેશનશિપમાં રહેતી હતી, ત્યારે ગ્રામ્ય SOG પોલીસે 2 નકલી પાસપોર્ટ, 2 નકલી આધાર કાર્ડ સહિતના મુદ્દામાલ સાથે બાંગ્લાદેશી મહિલાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદ ગ્રામ્ય SOG પોલીસ દ્વારા વિદેશમાંથી આવીને ભારતમાં રહેતા લોકોની તપાસ કરવામાં આવી રહી હતી, ત્યારે પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, ચાંગોદર વિસ્તારમાં આવેલ સત્યેશ રેસિડેન્સીમાં રહેતી મહિલા સોનુ જોશી કે, જે મૂળ સોનુ જોશી નથી, અને તેનું મૂળ નામ સિરીના હુસૈન છે. આ મહિલા મૂળ બાંગ્લાદેશની છે, અને ભારતમાં આવીને ખોટી રીતે રહે છે. જેથી પોલીસે તેના ઘરમાં તપાસ કરતા તે ટુરિસ્ટ વિઝા પર આવી હતી, અને ત્યારબાદ પરત ગઈ ન હતી. આરોપી પાસેથી બાંગ્લાદેશ અને ભારતના નકલી પાસપોર્ટ પણ મળી આવ્યા છે. વર્ષ 2020માં તેણે ભારતનો પાસપોર્ટ બનાવડાવ્યો હતો. મહત્વની વાત તો એ છે કે, યુવતી પાસેથી મળી આવેલ તમામ દસ્તાવેજો હૈદરાબાદના છે. ઉપરાંત તપાસમાં સામે આવ્યું છે કે, યુવતી ચાંગોદર વિસ્તારમાં જેના ઘરે લિવ ઇનમાં રહેતી હતી. તે યુવક સાથે ફેસબુકના માધ્યમથી તે પ્રેમ સબંધમાં બંધાય હતી. ત્યારબાદ બન્નેને 2 વર્ષની બાળકી પણ છે. યુવક સાથે રહેવા માટે ટુરિસ્ટ વિઝા પર અમદાવાદ આવી નામ અને ઓળખ બદલી તે ચાંગોદરમાં રહેવા લાગી હતી, ત્યારે હાલ તો પોલીસ તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Read the Next Article

અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ રદ, ટેકઓફ પહેલાં ખામી સર્જાઈ

અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ રદ કરવામાં આવી છે કારણ કે તેમાં ટેકઓફ પહેલાં ખામી સર્જાઈ હતી. જોકે, ફ્લાઇટ રદ થવાથી મુસાફરોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો

New Update
AMADAVAD PALIN RAD

ગયા અઠવાડિયે અમદાવાદમાં થયેલા ભયાનક વિમાન દુર્ઘટના બાદ, ઘણી સાવધાની રાખવામાં આવી રહી છે. અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ રદ કરવામાં આવી છે કારણ કે તેમાં ટેકઓફ પહેલાં ખામી સર્જાઈ હતી. જોકે, ફ્લાઇટ રદ થવાથી મુસાફરોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.

વિમાન દુર્ઘટના પછી પહેલીવાર એર ઇન્ડિયાની ફ્લાઇટ (AI-159) લંડન જતી હતી, પરંતુ પ્રસ્થાન પહેલાં, ફ્લાઇટની તપાસ કરવામાં આવી અને તેમાં ટેકનિકલ ખામી જોવા મળી અને પછી તેને ફ્લાઇટ માટે રદ કરવામાં આવી. આ ફ્લાઇટ ક્યારે ઉડશે તે અંગે કોઈ માહિતી નથી. આ ફ્લાઇટ કાલે ઉડશે કે નહીં તે અંગે કંઈ કહેવામાં આવ્યું નથી.
પ્રાપ્ત માહિતી અનુસાર, ટેકઓફ પહેલાં ફ્લાઇટમાં ખામી જોવા મળી હતી, જેના પછી ફ્લાઇટ રદ કરવામાં આવી હતી. જોકે, ફ્લાઇટ રદ થવાને કારણે ત્યાં હાજર ઘણા મુસાફરોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ ફ્લાઇટમાં મોટાભાગના લોકો રાજકોટ, આણંદ, હાલોલ, ખંભાતના મુસાફરો છે.

ફ્લાઇટ રદ કરવા અંગે મુસાફરોએ જણાવ્યું હતું કે એર ઇન્ડિયાની ટીમે જણાવ્યું હતું કે ફ્લાઇટ રદ કરવામાં આવી છે. AI 171 ને બદલે, હવે પ્લેનને AI 159 નંબર આપવામાં આવ્યો છે.પ્રાપ્ત માહિતી અનુસાર, આ ફ્લાઇટ આજે બપોરે 1:10 વાગ્યે ઉપડવાની હતી. પરંતુ સવારથી ફ્લાઇટ મોડી પડી રહી હતી. જોકે, હવે ખામીને કારણે આ ફ્લાઇટ રદ કરવામાં આવી છે.ગયા અઠવાડિયે ગુરુવારે અમદાવાદના મેઘનગરમાં થયેલા વિમાન દુર્ઘટના બાદ, એર ઇન્ડિયાની ફ્લાઇટ્સને સતત નુકસાન થઈ રહ્યું છે.