અમદાવાદ : ઘોડાસરથી જાન લઈને સેટેલાઈટ જતા પરિવારની 3 કારને ડમ્પર ચાલકે અડફેટમાં લીધી...

અમદાવાદ શહેરના ઘોડાસર વિસ્તારમાં મંગલેશ્ર્વર મહાદેવથી નવા ઓવરબિજ થઈ નેશનલ હાઈવે જતા માર્ગ પર માટી ભરેલ ડમ્પરે જાનૈયાઓની કારોને અડફેટમાં લીધી હતી.

New Update
  • ઘોડાસર વિસ્તારમાં ડમ્પર ચાલકે સર્જ્યો અકસ્માત

  • જાનૈયાઓની 3 લકઝરીયુસ કારોને અડફેટમાં લીધી

  • અકસ્માતથી આસપાસના લોકોના જીવ તાળવે ચોંટ્યા

  • સંભવિત મોટી જાનહાનિ ટળી જતા જાનૈયાઓને હાશકારો

  • ટ્રાફિક પોલીસે ડમ્પર સહિત ચાલકની અટકાયત કરી

અમદાવાદ શહેરના ઘોડાસર વિસ્તારમાં ડમ્પર ચાલકે જાનૈયાઓની 3 લકઝરીયુસ કારોને અડફેટમાં લઈ અકસ્માત સર્જ્યો હતો.

અમદાવાદ શહેરના ઘોડાસર વિસ્તારમાં મંગલેશ્ર્વર મહાદેવથી નવા ઓવરબિજ થઈ નેશનલ હાઈવે જતા માર્ગ પર માટી ભરેલ ડમ્પરે જાનૈયાઓની કારોને અડફેટમાં લીધી હતી. જેના કારણે જાનૈયાઓ સહિત આસપાસના લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. જોકેઆ અકસ્માતમાં ઘોડાસરથી જાન લઈને સેટેલાઈટ જતા શાહ પરિવારની 3 લકઝરીયુસ કારોને મોટુ નુકશાન થવા પામ્યું છે. આ અકસ્માતમાં સંભવિત મોટી જાનહાનિ ટળી જતા શાહ પરિવાર સહિત જાનૈયાઓએ હાશકારો અનુભવ્યો હતો. તો બીજી તરફબનાવની જાણ થતાં જ ટ્રાફિક પોલિસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવ્યો હતોઅને ડમ્પર સહિત ચાલકની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisment
Advertisment
Read the Next Article

અમદાવાદ : ચંડોળા ડિમોલિશનનો બીજો તબક્કો,ચાર દિવસ ચાલશે કામગીરી, ત્રણ હજારથી વધુ પોલીસ જવાનો તૈનાત

ડિમોલિશનની કાર્યવાહી સવારે સાતથી બપોરના એક તથા બપોરે ત્રણથી સાંજના છ વાગ્યા સુધી ચાલશે. જેના માટે 35થી વધુ જેસીબીનો ખડકલો કરી દેવાયો છે.

New Update
  • ચંડોળા તળાવ પાસે ડિમોલિશનનો બીજો તબક્કો

  • ત્રણ હજારથી વધુ પોલીસ જવાન તૈનાત

  • 35થી વધુ જેસીબી મશીનનો ખડકલો

  • ચાર દિવસ ચાલશે ડિમોલિશનની કામગીરી

  • ડિમોલિશન પૂર્ણ થયા બાદ બાઉન્ડ્રી વોલ બનશે

Advertisment

અમદાવાદના ચંડોળા તળાવ પાસે આજથી ડિમોલિશનનો બીજો તબક્કો શરૂ થયો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. ચાર દિવસમાં ડિમોલિશન પૂર્ણ કરી બાઉન્ડ્રી વોલ બનાવવામાં આવશે,તેમ જાણવા મળ્યું છે.

અમદાવાદના ચંડોળા તળાવ અને આસપાસ કરવામાં આવેલા ગેરકાયદે દબાણ હટાવવાના પહેલા તબક્કામાં આશરે દોઢ લાખ ચોરસ મીટર જમીન ખાલી કરાવવામાં આવી હતી. એવામાં આજથી ડિમોલિશનનો બીજો તબક્કો શરૂ થયો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. ચાર દિવસમાં ડિમોલિશન પૂર્ણ કરી બાઉન્ડ્રી વોલ બનાવવામાં આવશે.

ડિમોલિશનની કાર્યવાહી સવારે સાતથી બપોરના એક તથા બપોરે ત્રણથી સાંજના છ વાગ્યા સુધી ચાલશે. જેના માટે 35થી વધુ જેસીબીનો ખડકલો કરી દેવાયો છે. અસરગ્રસ્તોને ખસેડવા માટે AMTSની બસો તથા મેડિકલ ટીમો પણ તૈનાત કરવામાં આવી છે. બીજા તબક્કાનું ડિમોલિશન ચાર દિવસ સુધી ચાલશેતે પછી કાટમાળ હટાવ્યા બાદ સરકારી જમીનની આસપાસ બાઉન્ડ્રી વોલ બનાવવામાં આવશે.

આ અંગે વધુ માહિતી આપતા પોલીસ કમિશનર જી એસ મલિકે જણાવ્યું છેકે ડિમોલિશનની કાર્યવાહીમાં ત્રણ હજાર પોલીસ કર્મચારી, SRPની 25 કંપનીઓ બંદોબસ્ત માટે તૈનાત રહેશે. બીજા તબક્કામાં અઢી લાખ ચોરસ મીટર જમીન પરનું દબાણ દૂર કરવામાં આવશે.

Advertisment