Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: બે સંતાનની માતાએ વિધર્મી યુવક સામે નોંધાવી દુષ્કર્મની ફરિયાદ,જુઓ શું છે મામલો

મહિલા સાથે અવારનવાર આરોપીએ દુષ્કર્મ આચર્યું હતું. મહિલાએ લગ્નની વાત કરતાઆરોપીએ પહેલા પતિથી છૂટાછેડા લેવા જણાવ્યું હતું

X

અમદાવાદના વેજલપુર પોલીસ સ્ટેશનમાં બે સંતાનની માતાએ જુહાપુરાના સંકલીતનગરમાં રહેતાં વિધર્મી યુવક સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે અમદાવાદના વેજલપુર પોલીસ સ્ટેશનમાં બે સંતાનની માતાએ જુહાપુરાના સંકલીતનગરમાં રહેતાં વિધર્મી યુવક મુસ્તકીમ મો.ખાન પઠાણ વિરૂદ્ધ સોમવારે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.બનાવની વિગત મુજબ મહિલાનો પરિચય મુસ્તકીમ સાથે થયો હતો બાદમાં બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો.

મહિલા સાથે અવારનવાર આરોપીએ દુષ્કર્મ આચર્યું હતું. મહિલાએ લગ્નની વાત કરતાઆરોપીએ પહેલા પતિથી છૂટાછેડા લેવા જણાવ્યું હતું.મહિલાએ પહેલા પતિથી છૂટાછેડા લીધા બાદ આરોપીને લગ્ન કરવા જણાવ્યું હતું જો કે, લગ્નની વાત આવતા આરોપીએ ફોન બંધ કરી મહિલા સાથેનો સંપર્ક તોડી નાંખ્યો હતો જે બાદ મહિલાએ વેજલપુર પોલીસ મથકમાં યુવક સામે દુષ્કર્મ અંગેની ફરિયાદ નોંધાવી છે. પોલીસે મહિલાની ફરિયાદના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Next Story