Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : દિલ્હીના CM અરવિંદ કેજરીવાલની ધરપકડ કરાતાં AAPનો ઉગ્ર વિરોધ, પોલીસે કરી અટકાયત...

દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલની ઇડી દ્વારા ધરપકડ કરવામાં આવી છે..

X

દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલની ઇડી દ્વારા ધરપકડ કરવામાં આવી છે, ત્યારે સમગ્ર ગુજરાતમાં આ મામલે AAP અને કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયા હતા.

દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલની ઇડી દ્વારા ગત તા. 21 માર્ચની સાંજે દારૂ નીતિ કેસમાં સીએમ આવાસથી ધરપકડ કરવામાં આવી હતી, ત્યારે અરવિંદ કેજરીવાલની ધરપકડ મામલે સમગ્ર રાજ્યમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. અમદાવાદમાં પણ આમ આદમી પાર્ટીના ગુજરાત રાજ્યના પ્રમુખ ઇશુદાન ગઢવી, આપના નેતા પ્રવીણ રામ સહિતના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ભાજપ અને ઇડી વિરુદ્ધ પ્રદર્શન કરવા મામલે ઇશુદાન ગઢવી સહિત આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. વિરોધ પ્રદર્શન કરવા મામલે જ્યારે ઇશુદાન ગઢવી મીડિયા સાથે વાત કરી રહ્યા હતા, ત્યારે જ પોલીસ દ્વારા તેઓને પકડીને પોલીસ વાનમાં પૂરી દેવામાં આવ્યા હતા. આ સાથે જ 20થી વધુ કાર્યકર્તાઓની પોલીસે દ્વારા અટકાયત કરવામાં આવી હતી.

Next Story