Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: ઉદયપુર અને જમ્મુ- કાશ્મીરમાં પકડાયેલા આરોપીઓના ભાજપ કનેક્શનના બેનર લાગતાં ખળભળાટ

અમદાવાદમાં ઉદયપુર હત્યાકાંડ અને જમ્મુકશ્મીરમાં ઝડપાયેલા આરોપીઓનું ભાજપ કનેકશન હોવાના પોસ્ટર લાગતા વિવાદ ઊભો થયો હતો

X

અમદાવાદમાં ઉદયપુર હત્યાકાંડ અને જમ્મુકશ્મીરમાં ઝડપાયેલા આરોપીઓનું ભાજપ કનેકશન હોવાના પોસ્ટર લાગતા વિવાદ ઊભો થયો હતો

ભાજપ નેતા નૂપુર શર્માના વિવાદિત નિવેદન બાદ દેશભરમાં ગુસ્સો હતો તો ઉદયપુરમાં કનૈયાલાલ દરજી નામના યુવકની હત્યા કેસમાં પકડાયેલા અને જમ્મુ-કાશ્મીરમાં પકડાયેલા આરોપીઓના ભાજપ સાથે કનેક્શન હોવાનો કોંગ્રેસ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે. અમદાવાદ શહેર યુથ કોંગ્રેસ પ્રમુખ દ્વારા આરોપીઓના ભાજપના નેતાઓ સાથેના ફોટા તેમજ તેઓ પાર્ટીના કાર્યકરો તેમજ હોદ્દેદારો હોવાના લખાણ સાથેના બેનરો શહેરના વિવિધ વિસ્તારમાં લગાવવામાં આવ્યા છે. કોંગ્રેસનાં યુવા કાર્યકારી અધ્યક્ષ જયનમ શર્માએ જણાવ્યું હતું કે ઉદયપુરમાં કનૈયાલાલની હત્યા કરનાર આરોપીઓ અને જમ્મુ-કાશ્મીરમાં પકડાયેલા આરોપીઓના સોશિયલ મીડિયામાં ભાજપના નેતાઓ સાથેના ફોટો સામે આવ્યો છે.ભાજપનો આ રાષ્ટ્રવાદ છે કે આંતકવાદ ?

શહેરના પૂર્વ વિસ્તારમાં ભાજપ પર આરોપ લગાવતા બેનરો લાગતાં ખળભળાટ મચી ગયો છે બેનરમાં આરોપી રિયાઝનો ઉપર અને નીચે ભાજપના નેતા સાથેનો ફોટો જ્યારે આરોપી તાલીમનો આતંકવાદી તાલીમ અને નીચે આઇટી સેલના ચીફ એવો ફોટો મુકવામાં આવ્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં આ રીતે બેનરો લગાવી વિરોધ નોધાવવામાં આવ્યો હતો

Next Story