અમદાવાદ: કોરોના સંક્રમણ ફરી માથું ઉચકશે ! એક જ દિવસમાં 16 પોઝિટિવ કેસ

અમદાવાદમાં ઓસરી ગયેલું કોરોનાનું સંક્રમણ હવે ફરી ફૂંફાડો મારી રહ્યું છે. એક જ દિવસમાં 16 જેટલા કોરોનાના કેસો નોંધાયા છે

New Update
અમદાવાદ: કોરોના સંક્રમણ ફરી માથું ઉચકશે ! એક જ દિવસમાં 16 પોઝિટિવ કેસ

દિવાળીના તહેવારો પૂર્ણ થતાં જ અમદાવાદમાં કોરોના ફરીથી ફૂંફાડા મારી રહ્યો છે એક જ દિવસમાં કોરોનાના 16 પોઝિટિવ કેસ નોધાતા આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે

Advertisment W3.CSS

અમદાવાદમાં ઓસરી ગયેલું કોરોનાનું સંક્રમણ હવે ફરી ફૂંફાડો મારી રહ્યું છે. અમદાવાદમાં એક જ દિવસમાં 16 જેટલા કોરોનાના કેસો નોંધાયા છે, જેને લઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ એલર્ટ થઈ ગયો છે. અમદાવાદ શહેરમાં બહારગામથી આવતા લોકોને ટ્રેસિંગ અને ટ્રાવેલ હિસ્ટ્રી પણ તપાસવામાં આવશે.16 કેસમાં પશ્ચિમ ઝોનમાં આવતા વિસ્તારમાં વધુ કેસો નોંધાયા છે. પશ્ચિમ વિસ્તારમાં આવતા પ્રહલાદનગર, ચાંદખેડા, બોપલ, પારડી અને નવરંગપુરામાં કેસો નોંધાયા છે.16 કેસમાંથી 11 અને 13 વર્ષના બે બાળક પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. નવેમ્બર મહિનાના 10 દિવસમાં જ શહેરમાં 52 કેસ નોંધાયા છે અને એની સામે 23 લોકો સાજા થયા છે.ઘોડા છુત્યા બાદ તબેલાને તાળા મારવા તંત્ર તૈયાર થયું. જે લોકો દિવાળીમાં બહાર ફરવા ગયા હતા તેમના ટેસ્ટિંગ માટે ડોમ ઉભા કરવાની વાત કોર્પોરેશન કરે છે પરંતુ આ ડોમ પહેલેથી જ ઉભા કરવાના હતા. જ્યારે મોટાભાગના લોકો જ્યારે ફરીને અમદાવાદ પરત આવ્યા ત્યારબાદ હવે કોર્પોરેશન ટેસ્ટિંગ ડોમ અમદાવાદના એન્ટ્રી પોઇન્ટ પર મુકવાનું કહે છે. તો શું આ તંત્રની બેદરકારી ના કહી શકાય. સાથે સાથે લોકોએ પણ સમજવાની જરૂર હતી કે કોરોના હજી ગયો નથી તેને હજી કાળજી રાખવાની જરૂર છે પરંતુ લોકોએ તહેવારોમાં ભાન ભૂલી બેફામ ખરીદી કરી સાથે જ મોટી સંખ્યામાં લોકો ભેગા થયા અને કોઈ પ્રકારની કાળજી રાખી નહીં જેથી ફરીથી કોરોના ફૂંફાડા મારી રહ્યો છે

Read the Next Article

અમદાવાદ: સાણંદમાં 19 વર્ષીય યુવકની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી

પાનના ગલ્લા ઉપર જ 19 વર્ષીય યુવકનેછરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. 19 વર્ષીય ભરત બળદેવભાઈ પટેલ જેની પ્રેમ સંબંધના કારણે હત્યાનિપજાવી કાઢવામાં આવી

New Update
Sanand Murder
અમદાવાદ ગ્રામ્યના સાણંદ વિસ્તારમાં 19 વર્ષીય યુવકનીહત્યા થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. સમગ્ર ઘટનાની જાણ સાણંદ GIDC પોલીસે તપાસ કરતાહત્યાનો આરોપી કાયદાના સંઘર્ષમાં આવેલો સગીર નિકળ્યો છે. જેણે પાનના ગલ્લા ઉપર જ 19 વર્ષીય યુવકનેછરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. 19 વર્ષીય ભરત બળદેવભાઈ પટેલ જેની પ્રેમ સંબંધના કારણે હત્યાનિપજાવી કાઢવામાં આવી છે.
Advertisment
મૃતક યુવક સાણંદ તાલુકાના જોલાપુર ગામમાં પાનનો ગલ્લોચલાવતો હતો. 21મી મેના રાત્રે મૃતક જ્યારે પાનના ગલ્લે બેઠો હતો ત્યારે સગીરયુવક ત્યા આવ્યો હતો. અને ગુટકા લેવાના બહાને મૃતક સાથે વાતચીત હાથ ઘરી હતી. મૃતકજ્યારે ગુટકા લેવા માટે બેધ્યાન થયો ત્યારે સગીરે તેની પાસે રહેલ છરીના 2-3 ઘા મૃતકની છાતીમાં ઝીંકી દીધા હતા.
આ ઘટના નજરે જોનાર વ્યક્તિઓએ તુરંત પોલીસને જાણ કરીને મૃતકનેપ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સારવાર માટે ખસેડ્યો હતો. જોકે ફરજ પર હાજર ડોક્ટરોએભરતને મૃત જાહેર કર્યો હતો. જેને લઈ સાણંદ GIDC પોલીસે ગુનો નોંધી તજવીજ હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીયછે કે મૃતક યુવકની પ્રેમ સંબંધમાં હત્યા કરવામાં આવી છે મૃતક ભરત અને સગીરની બહેન વચ્ચે છેલ્લા 2 વર્ષથી પ્રેમસંબંધ હતો અને અગાઉ 6 મહિના પહેલા જ સગીર યુવકે તેની બહેન સાથેના પ્રેમસંબંધ બાબતેમૃતક વચ્ચે માથાકૂટ થઈ હતી. જેમાં સગીર યુવકે તેની બહેન સાથે પ્રેમ સંબંધ ન રાખવાતેમજ વાતચીત ન કરવા માટે ધમકી આપી હતી.
Advertisment
Latest Stories