Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : કાલુપુર મસ્જિદમાં શંકાસ્પદ વ્યક્તિ ઘૂસયો હોવાનો કોલ મળતા પોલીસ તંત્રમાં દોડધામ, જુઓ પછી શું થયું.!

દિવાળીના તહેવાર પહેલા જ અમદાવાદના કાલુપુરમાં શંકાસ્પદ વ્યક્તિઓ ઘુસ્યા હોવાના કોલ મળતા શહેરના ચાર પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડતો થઈ ગયો.

X

ગઈકાલે જ અમદાવાદ પોલીસ કમિશનર દિવાળીને લઈને એલર્ટનું જાહેરનામું બહાર પાડ્યું અને આજે સવારે શહેરમાં શંકાસ્પદ વ્યક્તિ હોવાના શહેર પોલીસ કંટ્રોલ રૂમના એક કોલ મળતાની સાથે પોલીસ તંત્રમાં દોડધામ મચી ગયો હતો.

દિવાળીના તહેવાર પહેલા જ અમદાવાદના કાલુપુરમાં શંકાસ્પદ વ્યક્તિઓ ઘુસ્યા હોવાના કોલ મળતા શહેરના ચાર પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડતો થઈ ગયો. કાલુપુર બ્રિજ પાસે મસ્જિદમાં શંકાસ્પદ વ્યક્તિ ઘુસ્યા હોવાના શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન આવ્યો હતો. આ કોલ મળતા જ સાત મસ્જિદમાં પોલીસે તપાસ કરી. શહેર કોટડા રુકુન શહિદ, ફાતિમા, સુલેમાની, માધુપુરામાં પીર હેબતપુર, દરિયાપુર અને કાલપુરમાં આવેલ મસ્જિદોમાં તપાસ કરવામાં આવી. તપાસના અંતે પોલીસને કોઈ જ શંકાસ્પદ વસ્તુ કે વ્યક્તિ મળી આવ્યો નહી. ત્યારે તપાસના અંતે પોલીસના હાથે કંઇ ના લાગતાં આ કોલ ખોટો હોવાનું પુરવાર થયું હતું.

Next Story