અમદાવાદ: મંદિરોને ટાર્ગેટ બનાવી લૂંટ ચલાવતી ગેંગના 4 સાગરીતો ઝડપાયા

લૂંટ અને ધાડ કરતી દાહોદની એક ગેંગના ચાર આરોપીઓની ધરપકડ હાથીજણ સર્કલ પાસેથી ગ્રામ્ય એલ.સી.બી એ ધરપકડ કરી લીધી છે

New Update
અમદાવાદ: મંદિરોને ટાર્ગેટ બનાવી લૂંટ ચલાવતી ગેંગના 4 સાગરીતો ઝડપાયા

લૂંટ અને ધાડ કરતી દાહોદની એક ગેંગના ચાર આરોપીઓની ધરપકડ હાથીજણ સર્કલ પાસેથી ગ્રામ્ય એલ.સી.બી એ ધરપકડ કરી લીધી છે. તાજેતરમાં સાણંદ પોલીસ સ્ટેશનની હદમાં ઉમિયા માતાજીના મંદિરમાં આ ગેંગ દ્વારા ધાડ પાડી લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો.

પહેલા નોરતાના દિવસે જ સાણંદ ખાતે આવેલા ઉમિયા મંદિરમાં લૂંટ અને ધાડની ઘટના બનવા પામી હતી, જેમાં આરોપી દ્વારા મંદિરના પૂજારીને માર મારવામાં આવ્યો હતો અને બંધક બનાવ્યા બાદ મંદિરમાં ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. મહત્વનું છે કે ગ્રામ્ય એલ.સી.બી. પોલીસે ઝડપેલા આ ગેંગના બે શખ્સો છે. જે બંને પિતરાઈ ભાઈઓ પણ છે.

ગ્રામ્ય એલ.સી.બી એ દાહોદની ગેંગની ધરપકડ કરીને અન્ય 06 જેટલા ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે જેમાં સાણંદમાં થયેલી ધાડ, વિરમગામ પાસે થયેલી મંદિરમાં ચોરી અને મોબાઈલ ફોનની લૂંટ, સાણંદના ઇયાવા ગામે મંદિરમાં ચોરી, અડાલજ ખાતે શનિદેવ મંદિરમાં રોકડા રૂપિયાની ચોરી તથા ગાંધીનગરમાં જૈન મંદિરમાં ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ સહિત વડસરમાં જૈન મંદિરમાં ચોરી ઘટનાને અંજામ આપી ચુક્યા છે. આ ગેંગના આરોપી કાળું વિરસિંહ હઠીલા, કેવન વિરસિંહ હઠીલા, હરેશ હઠીલા અને પ્રવીણ હઠીલા આ ચારેય આરોપીઓની હાલ ધરપકડ કરી લેવામાં આવી છે અને આ ગુનામાં સંડોવાયેલા અન્ય બે આરોપીઓ હાલ વોન્ટેડ જાહેર કરાયા છે. મહત્વનુ છે કે, આ ગેંગ સવારે આખો દિવસ મજૂરી કામ કરતી અને રાત્રે મંદિરને ટાર્ગેટ બનાવતી હતી.

Read the Next Article

અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ રદ, ટેકઓફ પહેલાં ખામી સર્જાઈ

અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ રદ કરવામાં આવી છે કારણ કે તેમાં ટેકઓફ પહેલાં ખામી સર્જાઈ હતી. જોકે, ફ્લાઇટ રદ થવાથી મુસાફરોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો

New Update
AMADAVAD PALIN RAD

ગયા અઠવાડિયે અમદાવાદમાં થયેલા ભયાનક વિમાન દુર્ઘટના બાદ, ઘણી સાવધાની રાખવામાં આવી રહી છે. અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ રદ કરવામાં આવી છે કારણ કે તેમાં ટેકઓફ પહેલાં ખામી સર્જાઈ હતી. જોકે, ફ્લાઇટ રદ થવાથી મુસાફરોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.

વિમાન દુર્ઘટના પછી પહેલીવાર એર ઇન્ડિયાની ફ્લાઇટ (AI-159) લંડન જતી હતી, પરંતુ પ્રસ્થાન પહેલાં, ફ્લાઇટની તપાસ કરવામાં આવી અને તેમાં ટેકનિકલ ખામી જોવા મળી અને પછી તેને ફ્લાઇટ માટે રદ કરવામાં આવી. આ ફ્લાઇટ ક્યારે ઉડશે તે અંગે કોઈ માહિતી નથી. આ ફ્લાઇટ કાલે ઉડશે કે નહીં તે અંગે કંઈ કહેવામાં આવ્યું નથી.
પ્રાપ્ત માહિતી અનુસાર, ટેકઓફ પહેલાં ફ્લાઇટમાં ખામી જોવા મળી હતી, જેના પછી ફ્લાઇટ રદ કરવામાં આવી હતી. જોકે, ફ્લાઇટ રદ થવાને કારણે ત્યાં હાજર ઘણા મુસાફરોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ ફ્લાઇટમાં મોટાભાગના લોકો રાજકોટ, આણંદ, હાલોલ, ખંભાતના મુસાફરો છે.

ફ્લાઇટ રદ કરવા અંગે મુસાફરોએ જણાવ્યું હતું કે એર ઇન્ડિયાની ટીમે જણાવ્યું હતું કે ફ્લાઇટ રદ કરવામાં આવી છે. AI 171 ને બદલે, હવે પ્લેનને AI 159 નંબર આપવામાં આવ્યો છે.પ્રાપ્ત માહિતી અનુસાર, આ ફ્લાઇટ આજે બપોરે 1:10 વાગ્યે ઉપડવાની હતી. પરંતુ સવારથી ફ્લાઇટ મોડી પડી રહી હતી. જોકે, હવે ખામીને કારણે આ ફ્લાઇટ રદ કરવામાં આવી છે.ગયા અઠવાડિયે ગુરુવારે અમદાવાદના મેઘનગરમાં થયેલા વિમાન દુર્ઘટના બાદ, એર ઇન્ડિયાની ફ્લાઇટ્સને સતત નુકસાન થઈ રહ્યું છે.