અમદાવાદ : એક જ મિલકતનું અનેક વખત વેચાણ કરી કરોડો રૂપિયાની ઠગાઇ

એક જ મિલકતનું અનેક લોકોને વેચાણ કરી શાહ દંપત્તિએ કરોડો રૂપિયાની ઠગાઇ કરી હોવાની ફરીયાદ બોપલ પોલીસ સ્ટેશનમાં નોંધાય છે.

New Update
અમદાવાદ : એક જ મિલકતનું અનેક વખત વેચાણ કરી કરોડો રૂપિયાની ઠગાઇ

અમદાવાદમાં એક જ મિલકતનું અનેક લોકોને વેચાણ કરી શાહ દંપત્તિએ કરોડો રૂપિયાની ઠગાઇ કરી હોવાની ફરીયાદ બોપલ પોલીસ સ્ટેશનમાં નોંધાય છે....

ચિંતન શાહ અને હિરવા શાહએ પોતાનાં બંગ્લો અને ફ્લેટ વેચવાના નામે કરોડો રૂપિયાની છેતરપીંડી આચરી હોવાની ફરિયાદ નોંધાય છે.પાટણમાં રહેતા દેવચંદ પટેલને પોતાનાં કેનેડા ખાતે રહેતા ભાઈ માટે અમદાવાદમાં બંગલો લેવાનો હતો જેથી તેમણે બોપલની સ્કાય સિટીમાં ચિંતન શાહ અને હિરવા શાહની માલિકીનો બંગલાનો સાડા નવ કરોડ રૂપિયામાં સોદો કર્યો હતો. આ બંગલાનું બાનાખત કરાવી ચિંતન શાહે 2.23 કરોડ રૂપિયા લઇ લીધાં હતાં. થોડા સમય બાદ ફરિયાદીએ દંપતિનો સંપર્ક કરતા ફોન બંધ આવતો હતો. ફરિયાદીએ વધુ તપાસ કરાવતાં દંપતિ પોતાની તમામ ગાડીઓ વેચીને ફરાર થઈ ગયા હોવાનું અને બંગલો અન્ય વ્યકતિને વેચી દીધો હોવાનું જાણવા મળ્યું હતું.

આ ઠગ દંપત્તિએ આટલે ન અટકતા પોતાના જ પાડોશીને ફ્લેટ વેચવાના નામે ચૂનો લગાડ્યો છે..વેજલપુરમાં આશા કીરણ એપાર્ટમેન્ટમાં ઈશ્વર દેસાઈ કે જેઓ ચિંતન શાહની પાડોશમાં રહેતા હતાં. ચિંતન શાહે બોપલમાં સફલ ગાલા રીયલ્ટીમા આવેલો ફ્લેટ 60 લાખમાં વેચવાનું કહીને ટુકડે ટુકડે 30 લાખ પડાવ્યા હતા.. ફરિયાદીએ દસ્તાવેજ માટે કહેતા ચિંતન શાહ બહાના બતાવતો હતો. બાદમાં નવેમ્બરમાં દસ્તાવેજ કરી આપવાનું કહીને પતિ પત્નિ ફરાર થઈ ગયાં હતાં.

આ બંટી બબલીએ આ જ પ્રકારે અન્ય લોકો સાથે પણ કરોડો રૂપિયાની ઠગાઈ આચરી હોવાની ચર્ચા ચાલી રહી છે. આરોપી ચિંતન શાહની અમદાવાદનાં સિંધુ ભવન રોડ પર આવેલી વૈભવી ઓફિસનું ભાડુ પણ ન આપી ફરાર થઈ જતા ઓફિસની બહાર જાહેર નોટીસ લગાડવામાં આવી છે.

Read the Next Article

અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ રદ, ટેકઓફ પહેલાં ખામી સર્જાઈ

અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ રદ કરવામાં આવી છે કારણ કે તેમાં ટેકઓફ પહેલાં ખામી સર્જાઈ હતી. જોકે, ફ્લાઇટ રદ થવાથી મુસાફરોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો

New Update
AMADAVAD PALIN RAD

ગયા અઠવાડિયે અમદાવાદમાં થયેલા ભયાનક વિમાન દુર્ઘટના બાદ, ઘણી સાવધાની રાખવામાં આવી રહી છે. અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ રદ કરવામાં આવી છે કારણ કે તેમાં ટેકઓફ પહેલાં ખામી સર્જાઈ હતી. જોકે, ફ્લાઇટ રદ થવાથી મુસાફરોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.

વિમાન દુર્ઘટના પછી પહેલીવાર એર ઇન્ડિયાની ફ્લાઇટ (AI-159) લંડન જતી હતી, પરંતુ પ્રસ્થાન પહેલાં, ફ્લાઇટની તપાસ કરવામાં આવી અને તેમાં ટેકનિકલ ખામી જોવા મળી અને પછી તેને ફ્લાઇટ માટે રદ કરવામાં આવી. આ ફ્લાઇટ ક્યારે ઉડશે તે અંગે કોઈ માહિતી નથી. આ ફ્લાઇટ કાલે ઉડશે કે નહીં તે અંગે કંઈ કહેવામાં આવ્યું નથી.
પ્રાપ્ત માહિતી અનુસાર, ટેકઓફ પહેલાં ફ્લાઇટમાં ખામી જોવા મળી હતી, જેના પછી ફ્લાઇટ રદ કરવામાં આવી હતી. જોકે, ફ્લાઇટ રદ થવાને કારણે ત્યાં હાજર ઘણા મુસાફરોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ ફ્લાઇટમાં મોટાભાગના લોકો રાજકોટ, આણંદ, હાલોલ, ખંભાતના મુસાફરો છે.

ફ્લાઇટ રદ કરવા અંગે મુસાફરોએ જણાવ્યું હતું કે એર ઇન્ડિયાની ટીમે જણાવ્યું હતું કે ફ્લાઇટ રદ કરવામાં આવી છે. AI 171 ને બદલે, હવે પ્લેનને AI 159 નંબર આપવામાં આવ્યો છે.પ્રાપ્ત માહિતી અનુસાર, આ ફ્લાઇટ આજે બપોરે 1:10 વાગ્યે ઉપડવાની હતી. પરંતુ સવારથી ફ્લાઇટ મોડી પડી રહી હતી. જોકે, હવે ખામીને કારણે આ ફ્લાઇટ રદ કરવામાં આવી છે.ગયા અઠવાડિયે ગુરુવારે અમદાવાદના મેઘનગરમાં થયેલા વિમાન દુર્ઘટના બાદ, એર ઇન્ડિયાની ફ્લાઇટ્સને સતત નુકસાન થઈ રહ્યું છે.