અમદાવાદ : ગુજરાત તો PM મોદીનો ગઢ છે, છતાં વડાપ્રધાને કેમ આવવું પડે છે વારંવાર : અશોક ગેહલોત

રાહુલ ગાંધીની યાત્રાથી દેશમાં ભાઈચારો ઊભો થશે તેવી આશા વ્યક્ત કરી હતી. વધુમાં ભાજપની સાથે જ આપ પર પ્રહાર કરતાં પણ કહ્યું હતું કે

New Update
અમદાવાદ : ગુજરાત તો PM મોદીનો ગઢ છે, છતાં વડાપ્રધાને કેમ આવવું પડે છે વારંવાર : અશોક ગેહલોત

અમદાવાદ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતે પ્રદેશ હોદ્દેદારો સાથે બેઠક કરી હતી. ત્યારબાદ પત્રકાર પરિષદમાં અશોક ગહલોતે ભાજપ સરકાર અને પીએમ મોદી પર શાબ્દિક પ્રહાર કર્યા હતા.

Advertisment

રાજ્યમાં ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે ગુજરાત કોંગ્રેસ દ્વારા સતત બેઠકોનો દોર કરવામાં આવી રહ્યો છે, ત્યારે મુખ્ય પર્યવેક્ષક અને રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત આજે અમદાવાદ આવ્યા હતા. અશોક ગહલોતે જણાવ્યું હતું કે, ગુજરાત PM મોદીનો ગઢ છે, છતાં PMને વારંવાર કેમ આવવું પડે છે.? તેઓએ પીએમ નરેન્દ્ર મોદી પૈસાનો વ્યય કરી રહ્યા હોવાનો પણ આરોપ લગાવ્યો હતો. તો રાહુલ ગાંધીની યાત્રાથી દેશમાં ભાઈચારો ઊભો થશે તેવી આશા વ્યક્ત કરી હતી.

" max-width="100%" class="video-element note-video-clip" height="360">

વધુમાં ભાજપની સાથે જ આપ પર પ્રહાર કરતાં પણ કહ્યું હતું કે, માત્ર પંજાબ જીતીને દેશને નંબર 1 બનાવવા નીકળ્યા છે. કેજરીવાલ અને પીએમ મોદી એક જ હોવાનો પણ આરોપ લગાવ્યો હતો. ભાજપ સરકાર આવ્યા બાદ દેશમાં હિંસાનું વાતાવરણ ઊભું થયું હોવાનું પણ કહ્યું હતું. વર્ષ 2022માં જો રાજ્યમાં કોંગ્રેસની સરકાર બનશે તો રાજસ્થાન અને છત્તીસગઢ ની તમામ યોજનાઓ લાગુ કરવામાં આવશે તેવું પણ રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતે જણાવ્યુ હતું. સમગ્ર બેઠક દરમ્યાન કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા, ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર સહિત પાર્ટીના વરિષ્ઠ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisment
Read the Next Article

અમદાવાદ: સાણંદમાં 19 વર્ષીય યુવકની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી

પાનના ગલ્લા ઉપર જ 19 વર્ષીય યુવકનેછરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. 19 વર્ષીય ભરત બળદેવભાઈ પટેલ જેની પ્રેમ સંબંધના કારણે હત્યાનિપજાવી કાઢવામાં આવી

New Update
Sanand Murder
અમદાવાદ ગ્રામ્યના સાણંદ વિસ્તારમાં 19 વર્ષીય યુવકનીહત્યા થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. સમગ્ર ઘટનાની જાણ સાણંદ GIDC પોલીસે તપાસ કરતાહત્યાનો આરોપી કાયદાના સંઘર્ષમાં આવેલો સગીર નિકળ્યો છે. જેણે પાનના ગલ્લા ઉપર જ 19 વર્ષીય યુવકનેછરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. 19 વર્ષીય ભરત બળદેવભાઈ પટેલ જેની પ્રેમ સંબંધના કારણે હત્યાનિપજાવી કાઢવામાં આવી છે.
Advertisment
મૃતક યુવક સાણંદ તાલુકાના જોલાપુર ગામમાં પાનનો ગલ્લોચલાવતો હતો. 21મી મેના રાત્રે મૃતક જ્યારે પાનના ગલ્લે બેઠો હતો ત્યારે સગીરયુવક ત્યા આવ્યો હતો. અને ગુટકા લેવાના બહાને મૃતક સાથે વાતચીત હાથ ઘરી હતી. મૃતકજ્યારે ગુટકા લેવા માટે બેધ્યાન થયો ત્યારે સગીરે તેની પાસે રહેલ છરીના 2-3 ઘા મૃતકની છાતીમાં ઝીંકી દીધા હતા.
આ ઘટના નજરે જોનાર વ્યક્તિઓએ તુરંત પોલીસને જાણ કરીને મૃતકનેપ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સારવાર માટે ખસેડ્યો હતો. જોકે ફરજ પર હાજર ડોક્ટરોએભરતને મૃત જાહેર કર્યો હતો. જેને લઈ સાણંદ GIDC પોલીસે ગુનો નોંધી તજવીજ હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીયછે કે મૃતક યુવકની પ્રેમ સંબંધમાં હત્યા કરવામાં આવી છે મૃતક ભરત અને સગીરની બહેન વચ્ચે છેલ્લા 2 વર્ષથી પ્રેમસંબંધ હતો અને અગાઉ 6 મહિના પહેલા જ સગીર યુવકે તેની બહેન સાથેના પ્રેમસંબંધ બાબતેમૃતક વચ્ચે માથાકૂટ થઈ હતી. જેમાં સગીર યુવકે તેની બહેન સાથે પ્રેમ સંબંધ ન રાખવાતેમજ વાતચીત ન કરવા માટે ધમકી આપી હતી.
Advertisment