અમદાવાદ : ગુજરાત તો PM મોદીનો ગઢ છે, છતાં વડાપ્રધાને કેમ આવવું પડે છે વારંવાર : અશોક ગેહલોત

રાહુલ ગાંધીની યાત્રાથી દેશમાં ભાઈચારો ઊભો થશે તેવી આશા વ્યક્ત કરી હતી. વધુમાં ભાજપની સાથે જ આપ પર પ્રહાર કરતાં પણ કહ્યું હતું કે

New Update
અમદાવાદ : ગુજરાત તો PM મોદીનો ગઢ છે, છતાં વડાપ્રધાને કેમ આવવું પડે છે વારંવાર : અશોક ગેહલોત

અમદાવાદ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતે પ્રદેશ હોદ્દેદારો સાથે બેઠક કરી હતી. ત્યારબાદ પત્રકાર પરિષદમાં અશોક ગહલોતે ભાજપ સરકાર અને પીએમ મોદી પર શાબ્દિક પ્રહાર કર્યા હતા.

રાજ્યમાં ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે ગુજરાત કોંગ્રેસ દ્વારા સતત બેઠકોનો દોર કરવામાં આવી રહ્યો છે, ત્યારે મુખ્ય પર્યવેક્ષક અને રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત આજે અમદાવાદ આવ્યા હતા. અશોક ગહલોતે જણાવ્યું હતું કે, ગુજરાત PM મોદીનો ગઢ છે, છતાં PMને વારંવાર કેમ આવવું પડે છે.? તેઓએ પીએમ નરેન્દ્ર મોદી પૈસાનો વ્યય કરી રહ્યા હોવાનો પણ આરોપ લગાવ્યો હતો. તો રાહુલ ગાંધીની યાત્રાથી દેશમાં ભાઈચારો ઊભો થશે તેવી આશા વ્યક્ત કરી હતી.

" max-width="100%" class="video-element note-video-clip" height="360">

વધુમાં ભાજપની સાથે જ આપ પર પ્રહાર કરતાં પણ કહ્યું હતું કે, માત્ર પંજાબ જીતીને દેશને નંબર 1 બનાવવા નીકળ્યા છે. કેજરીવાલ અને પીએમ મોદી એક જ હોવાનો પણ આરોપ લગાવ્યો હતો. ભાજપ સરકાર આવ્યા બાદ દેશમાં હિંસાનું વાતાવરણ ઊભું થયું હોવાનું પણ કહ્યું હતું. વર્ષ 2022માં જો રાજ્યમાં કોંગ્રેસની સરકાર બનશે તો રાજસ્થાન અને છત્તીસગઢ ની તમામ યોજનાઓ લાગુ કરવામાં આવશે તેવું પણ રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતે જણાવ્યુ હતું. સમગ્ર બેઠક દરમ્યાન કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા, ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર સહિત પાર્ટીના વરિષ્ઠ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

અમદાવાદ : અલકાયદાના ગ્રુપની માસ્ટરમાઇન્ડ શમા પરવીનની ગુજરાત ATSએ બેંગલુરુથી ધરપકડ કરી...

અલકાયદા ઇન ઇન્ડિયા સબકોન્ટિનન્ટ સંગઠન(AQIS) ચલાવનાર 4 આતંકી ઝડપાયા બાદ આતંકી જૂથની માસ્ટરમાઇન્ડ બેંગલુરુની શમા પરવીનની ગુજરાત ATSએ ધરપકડ કરી છે.

New Update
  • અલકાયદાના 4 આતંકીની ધરપકડ બાદATSને મળી સફળતા

  • બેંગલુરુથી ઝડપાય અલકાયદાના ગ્રુપની માસ્ટરમાઇન્ડ મહિલા

  • અમદાવાદ-મોડાસાથી ઝડપાયેલા 4 આતંકીને આપતી માર્ગદર્શન

  • 3 એકાઉન્ટમાં જેહાદી ભાષણોચેટ સહિત પાક.ના સંપર્કો મળ્યા

  • શમા પરવીનનીATS દ્વારા ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરાય

ગત તા. 23 જુલાઈ 2025ના રોજ ગુજરાતATSએ અમદાવાદ અને મોડાસાના 2 સહિત અલકાયદાના 4 આતંકીની ધરપકડ કરી હતી. હવે આ 4 આતંકીના જૂથની માસ્ટરમાઇન્ડ એવી બેંગલુરુની શમા પરવીનનીATSએ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અલકાયદા ઇન ઇન્ડિયા સબકોન્ટિનન્ટ સંગઠન(AQIS) ચલાવનાર 4 આતંકી ઝડપાયા બાદ આતંકી જૂથની માસ્ટરમાઇન્ડ બેંગલુરુની શમા પરવીનની ગુજરાતATSએ ધરપકડ કરી છે. મહિલા આતંકવાદી સંગઠનના મુખ્ય હેન્ડલરોના સંપર્કમાં ભારતમાંથી આ જ યુવતી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આતંકી સંગઠન વધુ મજબૂત બનાવવું અને કેવી પ્રવૃત્તિ કરવી તે શમા પરવીન નક્કી કરતી હતી. અગાઉ પકડાયેલા 4 આતંકી પણ આ યુવતીના માર્ગદર્શનમાં કામ કરતા હતા. બીકોમ સુધીનો અભ્યાસ કરનારી શમાની અલગ અલગ ચેટ અને પાકિસ્તાનના સંપર્ક નંબરો પણ મળ્યા છે. જેની તપાસ કરવામાં આવી રહી છે. શમાનો મોબાઇલ અને અન્ય ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ કબજે કરવામાં આવ્યાં છે.

તેના મોબાઇલમાંથી 3 સોશિયલ મીડિયા એકાઉન્ટ મળ્યાં છે. એમાં અનેક લોકો આ વિચારધારાના હોવાનું નક્કી થયા બાદ તેને જોડવાની કામગીરી કરતી હતી. માત્ર એટલું જ નહીંતે ગ્રુપની ગતિવિધિ અને આગળની કામગીરી નક્કી કરતી હતી. 30 વર્ષીય શમા પરવીન મૂળ ઝારખંડની રહેવાસી છેઅને બેંગલુરુના હેબ્બલ વિસ્તારમાં ખાનગી કંપનીમાં નોકરી કરતા ભાઈ સાથે રહેતી હતી. હાલમાં આરોપી શમાને પૂછપરછ માટેATS કસ્ટડીમાં રાખવામાં આવી છેઅને વધુ વિગતો મળવાની રાહ જોવાઈ રહી છે.