અમદાવાદ: પતિએ પ્રેમિકાનો કાંટો કાઢવા પત્ની સાથે મળી કરી હત્યા,જુઓ છે ચોંકાવનારો મામલો

New Update
અમદાવાદ: પતિએ પ્રેમિકાનો કાંટો કાઢવા પત્ની સાથે મળી કરી હત્યા,જુઓ છે ચોંકાવનારો મામલો

અમદાવાદનાં સાણંદમાં વર્ષ 2020માં થયેલ મહિલાની હત્યાનો ભેદ ઉકેલવામાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે. પોલીસે આ મામલામાં દંપત્તિ સહિત એક આરોપીની ધરપકડ કરી છે. પતિના મહિલા સાથે આડાસંબંધ હોય કાંટો કાઢવા પતિ પત્ની બન્નેએ ભેગા મળી મહિલાની હત્યા કરી હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે

સાણંદમાં આવેલી નર્મદા કેનાલમાં જાન્યુઆરી 2020 માં કોમલબેન નામની એક મહિલાની લાશ મળી આવી હતી જેની તપાસ કરતાં તે મહિલાની હત્યા થઇ હોવાનું સામે આવતા સાણંદ પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાયો હતો જે કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળતા એક મહિલા સહિત બે આરોપીની ધરપકડ કરી છે. આ દંપતીએ ભેગા થઈને કોમલની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે કોમલ બેન અને આરોપી હિતેન્દ્ર પટેલ વચ્ચે પ્રેમસંબંધ હોવાનું સામે આવતા જ આખરે કાંટો કાઢવા માટે થઈને હિતેન્દ્રભાઈ અને તેમના પત્નીએ ભેગા મળી કોમલ બેનની હત્યા કરી હાથ બાંધી અને સાણંદ પાસે આવેલી નર્મદા કેનાલ માં લાશ ફેંકી દીધી હતી

હિતેન્દ્ર પટેલ અને તેમના પત્ની સુનીતા બેને ભેગા મળી તેની હત્યાનો પ્લાન બનાવ્યો હતો હિતેશભાઈ અને કોમલ બેન બંને એકબીજાના પ્રેમમાં હતા અને હિતેશભાઈ તેમની પત્નીથી અલગ કોમલ બેન જોડે રહેતા હતા પરંતુ હિતેશભાઈ ને પોતાની ભૂલ સમજાતા પત્નીની માફી માગી અને કોમલબેનને મારી નાંખવાનો પ્લાન બનાવ્યો હતો અને ચામાં ઘેનની ગોળી પીવડાવી ત્યાર બાદ ઝેરી સ્પ્રે છાંટયા બાદ હાથ પગ બાંધી તેઓને નર્મદા કેનાલમાં ફેંકી દેવાતા તેમનું મોત નીપજયું હતું

થોડા સમય પહેલા આજ રીતે વડોદરાના પી.આઈ અજય દેસાઈ એ પણ આજ રીતે પોતાની પત્નીનો કાંટો કાઢવા તેની હત્યા કરી હતી અને સાણંદ હિતેશ પટેલે પણ તેની પ્રેમીકનો કાંટો કાઢવા તેની પત્ની જોડે મળી તેની પરમીકની હત્યા કરી નાખી હતી અને બન્ને કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ભેદ ઉકેલાયો હતો. 

Read the Next Article

“તેરા તુઝકો અર્પણ” : સાઇબર ક્રાઈમ સામે લડવાની નવી પહેલ માત્ર ટેક્નોલોજી નહીં, પણ ભરોસાની નવી ચાવી : DGP વિકાસ સહાય

ગુજરાત પોલીસની “તેરા તુઝકો અર્પણ” પહેલ નાગરિકોને એમની સાયબર ફ્રોડની ફરિયાદો પોલીસ સુધી પહોંચાડવા અને ઉકેલ મેળવવા મદદરૂપ થઈ રહી છે...

New Update
  • ગુજરાત રાજ્ય માટે અસરકારક સાઇબર ક્રાઇમ રિફંડ પોર્ટલ

  • પોલીસનાતેરા તુઝકો અર્પણ” અભિયાનને સાંપડ્યો પ્રતિસાદ

  • સાયબર ફ્રોડની ફરિયાદો પોલીસ સુધી પહોંચાડવામાં સરળતા

  • અનેક ભોગ બનનારને ઉકેલ મેળવવા મદદરૂપ થયું છે પોર્ટલ

  • સાઇબર ક્રાઈમ સામે લડવાની નવી પહેલ :DGP વિકાસ સહાય

સાઇબર ક્રાઇમ રિફંડ પોર્ટલતેરા તુઝકો અર્પણ” પહેલ ગુજરાત માટે અસરકારક સાબિત થઈ રહી છે. સામાન્ય જનતાને ટેકનોલોજીની માયાજાળમાં ફસાવી આજે અનેક છેતરપિંડીના કેસો બને છેત્યારે ગુજરાત પોલીસનીતેરા તુઝકો અર્પણ” પહેલ નાગરિકોને એમની સાયબર ફ્રોડની ફરિયાદો પોલીસ સુધી પહોંચાડવા અને ઉકેલ મેળવવા મદદરૂપ થઈ રહી છે. જુઓ કનેક્ટ ગુજરાતનો વિશેષ અહેવાલ...

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સરકારે'સાઈબર ક્રાઈમ રિફંડ પોર્ટલએટલે કેતેરા તુઝકો અર્પણ" અભિયાન શરૂ કર્યું છે. જે ઓનલાઇન ઠગાઈના શિકાર થયેલા લોકોને મદદરૂપ બને છે. પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાયએ જણાવ્યુ હતું કેઆ પોર્ટલ ઉપર ફરિયાદ કરવાની પ્રક્રિયા સરળ છે અને ફરિયાદ ઝડપથી પોલીસ સેલ સુધી પહોંચે છે.

જોકેઆ પોર્ટલ ઉપર કોઈ પણ સાયબર છેતરપિંડીનો ભોગ બનેલા વ્યક્તિ સીધી જ ફરિયાદ નોંધાવી શકે છે. જેને સાયબર ક્રાઇમ સેલ ટીમ દ્વારા ટ્રેક કરવામાં આવે છેત્યારબાદ પૈસા પરત મેળવવાની પ્રક્રિયા શરૂ થાય છે. આ ઉપરાંતહેલ્પલાઇન નંબર 1930 પર કૉલ કરીને પણ સાયબર ક્રાઇમની ફરિયાદ નોંધાવી શકાય છે.

આ પોર્ટલની ખાસિયત એ છે કેતે રીઅલ ટાઈમ ટ્રેકિંગની સુવિધા આપે છે. જેના કારણે નાગરિકોને વારંવાર પોલીસ સ્ટેશનના ધક્કા ખાવાની જરૂર પડતી નથી. અનેક કેસોમાં માત્ર 24થી 48 કલાકમાં પૈસા પાછા મળ્યા છે. ગાંધીનગરના રહેવાસી તબીબ પણ ઓનલાઇન છેતરપિંડીનો ભોગ બન્યા હતાત્યારે સાયબર સેલની મદદથી તેમને 48 કલાકમાં જ તેમના પૈસા પરત મળી ગયા છે. અત્રે ઉલ્લેખનીય છે કેહજારોથી વધુ લોકોને આ પોર્ટલ દ્વારા રાહત મળી ચૂકી છે. તેવામાં સાઇબર ક્રાઈમ સામે લડવાની આ નવી પહેલ માત્ર ટેક્નોલોજી નહીંપણ ભરોસાની નવી ચાવી છે.

Latest Stories