Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : શાહી ઠાઠ સાથે નીકળી ભગવાન જગન્નાથજીની જળયાત્રા, 'જય રણછોડ માખણચોર'ના નાદથી મંદિર ગૂંજી ઉઠ્યું

રથયાત્રા પૂર્વે અને પરંપરા પ્રમાણે આજે ભવ્ય જળયાત્રા નિજ મંદિરેથી નીકળી સાબરમતી નદીના ભૂદરના આરે પહોંચીને તમામ વિધિ પૂર્ણ કરીને પાછી ફરી છે

X

ભગવાન જગન્નાથજીની રથયાત્રા આ વખતે ધામધૂમથી નીકળવાની છે, ત્યારે રથયાત્રા પૂર્વે અને પરંપરા પ્રમાણે આજે ભવ્ય જળયાત્રા નિજ મંદિરેથી નીકળી સાબરમતી નદીના ભૂદરના આરે પહોંચીને તમામ વિધિ પૂર્ણ કરીને પાછી ફરી છે. ભક્તોને જય રણછોડ માખણચોરના નાદ સાથે નિજ મંદિર ગૂંજી ઉઠ્યું છે.

અમદાવાદના જમાલપુર સ્થિત મંદિરથી ભગવાન જગન્નાથની પરંપરા મુજબ જળ યાત્રા નીકળી હતી. મંદિર પરિસરમાં 108 કળશ શણગારીને લઈ જવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં, આ વર્ષે ધ્વજાપતાકા ખાસ આકર્ષણનું કેન્દ્ર છે. સાથે ગજરાજ પણ જળ યાત્રામાં જોડાયા હતા. જળયાત્રાનું રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ સંઘવી જગન્નાથ મંદિર પહોંચ્યા હતા. મંદિર પરિસરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો આવ્યો હતો. મંદિર પરિસરમાં ત્રણેય રથને શણગારવામાં આવ્યા છે. આ જળયાત્રાનું દેશના મોટા સાધુ સંતો, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી, પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, નીતિ પટેલ સહિત શહેરના અનેક પદાધિકારીઓ હાજર રહ્યા હતા.

Next Story