અમદાવાદ: PM મોદીના હસ્તે દેશની સૌથી મોટી કિડની હોસ્પિટલનું લોકાર્પણ, અનેક વિકાસ કાર્યોની પણ આપી ભેટ

તમામ સુવિધાઓથી સજ્જ આ હોસ્પિટલમાં 10 મોડ્યુલર અને 12 નોન મોડ્યુલર ઓપરેશન થિયેટર સાથે કુલ 22 હાઈટેક ઓપરેશન થિયેટર આવેલા છે.

New Update
અમદાવાદ: PM મોદીના હસ્તે દેશની સૌથી મોટી કિડની હોસ્પિટલનું લોકાર્પણ, અનેક વિકાસ કાર્યોની પણ આપી ભેટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 દિવસથી ગુજરાતની મુલાકાતે છે ત્યારે આજે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં PM મોદીએ 1275 કરોડોના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું.આ પ્રસંગે PM મોદીએ તેમના સંબોધનમાં જણાવ્યુ હતું કે , 'ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ માટે નવી ઈમારત ઉપરાંત અપગ્રેડેડ બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ જેવી સુવિધાઓ શરૂ થઈ રહી છે. તે દેશની પ્રથમ સરકારી હોસ્પિટલ હશે કે જે સાયબરનાઇફ જેવી આધુનિક સુવિધાઓ પ્રદાન કરશે.

Advertisment

22 વર્ષ પહેલાં ગુજરાતમાં માત્ર 9 મેડિકલ કોલેજો હતી ને આજે 36 મેડિકલ કોલેજો છે. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વરિષ્ઠ મંત્રીઓ અધિકારીઓ અને ડોક્ટર્સ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા ૪૧૮ કરોડથી વધારેના ખર્ચે તૈયાર કરેલી આ હોસ્પિટલમાં અનેક વિશેષતા રહેલી છે. આ હોસ્પિટલમાં 850 બેડની ક્ષમતા ધરાવતી આ નવીન કિડની હોસ્પિટલ દેશની સૌથી મોટી અને ટોચની કિડની હોસ્પિટલ છે.

તમામ સુવિધાઓથી સજ્જ આ હોસ્પિટલમાં 10 મોડ્યુલર અને 12 નોન મોડ્યુલર ઓપરેશન થિયેટર સાથે કુલ 22 હાઈટેક ઓપરેશન થિયેટર આવેલા છે. જેમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ સહિત કીડનીને લગતા તમામ ઓપરેશન, લીવર ટ્રાન્સપ્લાન્ટ, પિત્તાશય ટ્રાન્સપ્લાન્ટ અને ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટ માટેની અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ છે.

Advertisment
Read the Next Article

અમદાવાદ : ચંડોળા ડિમોલિશનનો બીજો તબક્કો,ચાર દિવસ ચાલશે કામગીરી, ત્રણ હજારથી વધુ પોલીસ જવાનો તૈનાત

ડિમોલિશનની કાર્યવાહી સવારે સાતથી બપોરના એક તથા બપોરે ત્રણથી સાંજના છ વાગ્યા સુધી ચાલશે. જેના માટે 35થી વધુ જેસીબીનો ખડકલો કરી દેવાયો છે.

New Update
  • ચંડોળા તળાવ પાસે ડિમોલિશનનો બીજો તબક્કો

  • ત્રણ હજારથી વધુ પોલીસ જવાન તૈનાત

  • 35થી વધુ જેસીબી મશીનનો ખડકલો

  • ચાર દિવસ ચાલશે ડિમોલિશનની કામગીરી

  • ડિમોલિશન પૂર્ણ થયા બાદ બાઉન્ડ્રી વોલ બનશે

Advertisment

અમદાવાદના ચંડોળા તળાવ પાસે આજથી ડિમોલિશનનો બીજો તબક્કો શરૂ થયો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. ચાર દિવસમાં ડિમોલિશન પૂર્ણ કરી બાઉન્ડ્રી વોલ બનાવવામાં આવશે,તેમ જાણવા મળ્યું છે.

અમદાવાદના ચંડોળા તળાવ અને આસપાસ કરવામાં આવેલા ગેરકાયદે દબાણ હટાવવાના પહેલા તબક્કામાં આશરે દોઢ લાખ ચોરસ મીટર જમીન ખાલી કરાવવામાં આવી હતી. એવામાં આજથી ડિમોલિશનનો બીજો તબક્કો શરૂ થયો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. ચાર દિવસમાં ડિમોલિશન પૂર્ણ કરી બાઉન્ડ્રી વોલ બનાવવામાં આવશે.

ડિમોલિશનની કાર્યવાહી સવારે સાતથી બપોરના એક તથા બપોરે ત્રણથી સાંજના છ વાગ્યા સુધી ચાલશે. જેના માટે 35થી વધુ જેસીબીનો ખડકલો કરી દેવાયો છે. અસરગ્રસ્તોને ખસેડવા માટે AMTSની બસો તથા મેડિકલ ટીમો પણ તૈનાત કરવામાં આવી છે. બીજા તબક્કાનું ડિમોલિશન ચાર દિવસ સુધી ચાલશેતે પછી કાટમાળ હટાવ્યા બાદ સરકારી જમીનની આસપાસ બાઉન્ડ્રી વોલ બનાવવામાં આવશે.

આ અંગે વધુ માહિતી આપતા પોલીસ કમિશનર જી એસ મલિકે જણાવ્યું છેકે ડિમોલિશનની કાર્યવાહીમાં ત્રણ હજાર પોલીસ કર્મચારી, SRPની 25 કંપનીઓ બંદોબસ્ત માટે તૈનાત રહેશે. બીજા તબક્કામાં અઢી લાખ ચોરસ મીટર જમીન પરનું દબાણ દૂર કરવામાં આવશે.

Advertisment