અમદાવાદ : નરોડામાં ત્રીજા માળેથી લિફ્ટ સીધી બેઝમેન્ટમાં પડતા ચકચાર,ત્રણ લોકોને સામાન્ય ઈજા

લિફ્ટમાં બે બાળકો, ચાર મહિલાઓ અને એક પુરુષ એમ સાત લોકો ફસાયા હતા. સ્થાનિક લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને લિફ્ટનો દરવાજો તોડી તમામ લોકોને બહાર કાઢ્યા

New Update
  • નરોડામાં બિલ્ડિંગમાં સર્જાઈ ઘટના

  • ત્રીજા માળેથી લિફ્ટ બેઝમેન્ટમાં ફસડાઈ

  • લિફ્ટમાં સવાર લોકોના જીવ તાળવે ચોંટ્યા

  • ફિફ્ટમાં સવારનો થયો આબાદ બચાવ

  • રેસ્ક્યુ કરીને લિફ્ટમાં ફસાયેલા લોકોને બહાર કઢાયા 

અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં લિફ્ટ ત્રીજા માળેથી સીધી બેઝમેન્ટમાં પડી હતી. જોકેસદનસીબે તમામનો આબાદ બચાવ થયો છે. આ ઘટનામાં ત્રણ લોકોને સામાન્ય ઈજાઓ થઈ છે. સ્થાનિકોએ તાત્કાલિક તમામ લોકોનું રેસ્ક્યૂ કરીને બહાર કાઢ્યા હતા.

અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલા દેવાશિષ ફ્લેટમાં ત્રીજા માળેથી લિફ્ટ સીધી બેઝમેન્ટમાં પડી હોવાની ઘટના બની હતી. લિફ્ટમાં બે બાળકોચાર મહિલાઓ અને એક પુરુષ એમ સાત લોકો ફસાયા હતા. સ્થાનિક લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને લિફ્ટનો દરવાજો તોડી તમામ લોકોને બહાર કાઢ્યા હતા. સ્થાનિક લોકોએ લિફ્ટના મેન્ટેનન્સને લઈને સવાલો ઉભા કર્યા હતા. ચોથા માળેથી તેઓ નીચે આવી રહ્યા હતા ત્યારે ત્રીજા માળ બાદ અચાનક જ લિફ્ટ સીધી બેઝમેન્ટમાં પડી હતી.

આ ઘટનાની જાણ થતા સ્થાનિક લોકો તાત્કાલિક નીચે દોડી આવ્યા હતા. લિફ્ટનો દરવાજો થોડો ખુલ્લો હતો,જેના કારણે લોકોએ દરવાજાને તોડી અને ત્રણ જ મિનિટમાં તમામ લોકોને સહી સલામત બહાર કાઢી લીધા હતા. આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ નથીપરંતુ લિફ્ટમાં ફસાયેલી ચાર મહિલાઓ અને બાળકો ખૂબ જ ગભરાઈ ગયા હતા.

Read the Next Article

અમદાવાદ શહેર પોલીસનું “એક નયી સોચ” અભિયાન, શાળામાં વિદ્યાર્થીઓને ભણાવ્યા સલામતીના પાઠ...

અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ અને સતર્કતા ગ્રુપના સંયુક્ત ઉપક્રમે નવા નરોડા રોડ પર આવેલ એસ.એમ. શિક્ષણ સંકુલ ખાતે “એક નયી સોચ” અભિયાનનું આયોજન કરવામાં આવ્યું

New Update
  • અમદાવાદ શહેર પોલીસનુંએક નયી સોચ” અભિયાન

  • નરોડાની એસ.એમ.શિક્ષણ સંકુલ ખાતે કાર્યક્રમ યોજાયો

  • શાળાના વિદ્યાર્થી બાળકો ભણ્યા સલામતીના અનેક પાઠ

  • ટ્રાફિક નિયમનું પાલન કરવા પરિવારજનોને ફરજ પાડશે

  • સંયુક્ત પોલિસ કમિશનર સહિતના અધિકારીઓની હાજરી

અમદાવાદ શહેરના નવા નરોડા રોડ પર આવેલ એસ.એમ. શિક્ષણ સંકુલ ખાતે શહેર ટ્રાફિક પોલીસ અને સતર્કતા ગ્રુપ દ્વારાએક નયી સોચ” અભિયાન અંતર્ગત નાના બાળકો સલામતીના પાઠ ભણ્યા હતા. જે બાળકો હવે પરિવારજનોને હેલ્મેટ પહેરવા તેમજ ટ્રાફિક નિયમનું પાલન કરવા ફરજ પાડશે.

અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ અને સતર્કતા ગ્રુપના સંયુક્ત ઉપક્રમે નવા નરોડા રોડ પર આવેલ એસ.એમ. શિક્ષણ સંકુલ ખાતેએક નયી સોચ” અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત શહેરના માર્ગો પર હેલ્મેટ પહેર્યા વગર બેફામ ઝડપે દોડી રહેલા વાહન ચાલકોને તેમના જ સંતાનો હેલ્મેટ પહેરવા ફરજ પાડશે તે અંગે સંયુક્ત પોલિસ કમિશનર એન.એન.ચૌધરીએ બાળકોને સરળ ભાષામાં સંબોધન કર્યું હતું.

વધુમાં તેઓએ વિદ્યાર્થીઓના ટુ-વ્હીલર્સ પરઆઈ લવ હેલ્મેટ” “આઈ લવ માય ફેમિલીના સૂત્રો લખેલા સ્ટિકર લગાવીએક નયી સોચ” અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. સરકારે હેલ્મેટનો કાયદો બનાવ્યો છે. કારણ કેઅકસ્માત થાયતો માથાનું રક્ષણ થાય અને જીવ બચી જાય. દરેક ચાર રસ્તા પર ટ્રાફિક સિગ્નલ બનાવ્યા છેજ્યાં રેડ લાઈટ થાય તો ઉભા રહીએ. તો બીજી તરફટ્રાફિક નિયમ કાયદાનો ભંગ કરનાર વાહન ચાલકો સામે ટ્રાફિક પોલીસ કાર્યવાહી કરે છે. કારણ કેનાગરીકો સલામત અને સુરક્ષિત રહી શકે.

અત્રે ઉલ્લેખનીય છે કેનવી ભાવી પેઢી શિસ્તબદ્ધ અને સંયમી બનેકાયદાનું પાલન કરે તથા સલામતસુરક્ષિતસાવધાન અને સતર્ક બને તે માટેએક નયી સોચ” પ્રોજેક્ટ મહત્વપૂર્ણ અભિયાન છે. શાળાઓમાં ભણતા બાળકોમાં ટ્રાફિકના નિયમોની સમજ કેળવાય અને તે બાળકો તેમના માતા-પિતાને પણ હેલ્મેટ પહેરવા અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા જણાવે તે માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અમદાવાદJCP એન.એન.ચૌધરી, DCP બલદેવસિંહજી, ACP એસ.જે.મોદી, ACPD એસ. પુનડીયાશહેર ટ્રાફિક પોલીસ અને સતર્કતા ગ્રુપના સભ્યો સહિત મોટી સંખ્યામાં શાળા પરિવાર અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.