અમદાવાદ : નરોડામાં ત્રીજા માળેથી લિફ્ટ સીધી બેઝમેન્ટમાં પડતા ચકચાર,ત્રણ લોકોને સામાન્ય ઈજા

લિફ્ટમાં બે બાળકો, ચાર મહિલાઓ અને એક પુરુષ એમ સાત લોકો ફસાયા હતા. સ્થાનિક લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને લિફ્ટનો દરવાજો તોડી તમામ લોકોને બહાર કાઢ્યા

New Update
  • નરોડામાં બિલ્ડિંગમાં સર્જાઈ ઘટના

  • ત્રીજા માળેથી લિફ્ટ બેઝમેન્ટમાં ફસડાઈ

  • લિફ્ટમાં સવાર લોકોના જીવ તાળવે ચોંટ્યા

  • ફિફ્ટમાં સવારનો થયો આબાદ બચાવ

  • રેસ્ક્યુ કરીને લિફ્ટમાં ફસાયેલા લોકોને બહાર કઢાયા  

અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં લિફ્ટ ત્રીજા માળેથી સીધી બેઝમેન્ટમાં પડી હતી. જોકેસદનસીબે તમામનો આબાદ બચાવ થયો છે. આ ઘટનામાં ત્રણ લોકોને સામાન્ય ઈજાઓ થઈ છે. સ્થાનિકોએ તાત્કાલિક તમામ લોકોનું રેસ્ક્યૂ કરીને બહાર કાઢ્યા હતા.

અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલા દેવાશિષ ફ્લેટમાં ત્રીજા માળેથી લિફ્ટ સીધી બેઝમેન્ટમાં પડી હોવાની ઘટના બની હતી. લિફ્ટમાં બે બાળકોચાર મહિલાઓ અને એક પુરુષ એમ સાત લોકો ફસાયા હતા. સ્થાનિક લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને લિફ્ટનો દરવાજો તોડી તમામ લોકોને બહાર કાઢ્યા હતા. સ્થાનિક લોકોએ લિફ્ટના મેન્ટેનન્સને લઈને સવાલો ઉભા કર્યા હતા. ચોથા માળેથી તેઓ નીચે આવી રહ્યા હતા ત્યારે ત્રીજા માળ બાદ અચાનક જ લિફ્ટ સીધી બેઝમેન્ટમાં પડી હતી.

આ ઘટનાની જાણ થતા સ્થાનિક લોકો તાત્કાલિક નીચે દોડી આવ્યા હતા. લિફ્ટનો દરવાજો થોડો ખુલ્લો હતો,જેના કારણે લોકોએ દરવાજાને તોડી અને ત્રણ જ મિનિટમાં તમામ લોકોને સહી સલામત બહાર કાઢી લીધા હતા. આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ નથીપરંતુ લિફ્ટમાં ફસાયેલી ચાર મહિલાઓ અને બાળકો ખૂબ જ ગભરાઈ ગયા હતા.

Read the Next Article

ગુજરાતી ફિલ્મ નિર્માતા મહેશ જીરાવાલાનું પ્લેન ક્રેશમાં મોતની પુષ્ટિ, પરિવારે મૃતદેહ સ્વીકાર્યો

વિમાન દુર્ઘટના બાદ ગુમ થયેલા ગુજરાતી ફિલ્મમેકર મહેશ જીરાવાલાના DNA મેચ થવા છતાં પરિવાર માનવા તૈયાર નહોતો કે, તે મૃતદેહ મહેશનો છે. જ્યારે હવે ફિલ્મમેકરના મૃત્યુની પુષ્ટિ થઈ છે

New Update
Mahesh Jirawala

અમદાવાદથી લંડન જઈ રહેલા એર ઇન્ડિયાનું વિમાન 12 જૂને દુર્ઘટનાગ્રસ્ત થઈ બી.જે મેડિકલ હોસ્ટેલમાં ક્રેશ થયું હતું. જે દુર્ઘટનામાં 280થી વધુ લોકોના મૃત્યુ થયા છે. આ દુર્ઘટનામાં મૃતકોની ઓળખ માટે ડીએનએ મેચ કરવાની કાર્યવાહી ચાલી રહી છે. વિમાન દુર્ઘટના બાદ ગુમ થયેલા ગુજરાતી ફિલ્મમેકર મહેશ જીરાવાલાના DNA મેચ થવા છતાં પરિવાર માનવા તૈયાર નહોતો કેતે મૃતદેહ મહેશનો છે. જ્યારે હવે ફિલ્મમેકરના મૃત્યુની પુષ્ટિ થઈ છેત્યારે પરિવારને તેમનો મૃતદેહ સોંપવામાં આવ્યો છે.

અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ ફિલ્મમેકર મહેશ જીરાવાલા ગુમ હોવાનું સામે આવ્યું હતું. જ્યારે મહેશ જીરાવાલાના DNA મેચ થવા છતાં તેમનું મૃત્યુ નીપજ્યું હોવાને લઈને પરિવાર માનવા તૈયાર નહોતો.

સમગ્ર મામલે પોલીસે સળગેલા એક્ટિવાના એન્જિન-ચેસીસ નંબર, સીસીટીવી સહિતના પુરાવા એકઠા કરીને મૃતકના પરિવારને માહિતી આપી હતી.આમ હવે જીરાવાલાના મોતની પુષ્ટિ થઈ છે, ત્યારે પરિવારે મહેશ જીરાવાલાનો મૃતદેહ સ્વીકાર્યો છે.

અમદાવાદના નરોડ વિસ્તારમાં રહેતા 34 વર્ષીય ગુજરાતી ફિલ્મ ડાયરેક્ટર મહેશ ગીરધરભાઈ કાલાવાડિયા ઉર્ફે જીરાવાલ ઘરથી નીકળ્યા હતા અને શાહીબાગ સિવિલ હોસ્પિટલની નજીકમાં ગુમ થયા હતા. આ મામલે કાર્તિકએ પોતાનો ભાઈ ગુમ થયાની નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ટેકનિકલ સોર્સ સહિતની પોલીસ તપાસમાં મહેશ વિમાન દુર્ઘટનામાં ભોગ બન્યો હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ પરિવાર આ વાતને માનવા તૈયાર ન હતો. જ્યારે દુર્ઘટનાગ્રસ્ત સ્થળેથી લેવામાં આવલા મૃતદેહ સાથે મહેશના પરિવારજનો DNA મેચ થતાં અને પોલીસે જરૂરી પુરાવા રજૂ કરતા અંતે મહેશનું મોત નીપજ્યું હોવાની પુષ્ટિ થઈ છે.