અમદાવાદ : નિર્ણયનગરમાં અસામાજીકોનો આતંક, 25થી વધારે વાહનોમાં કરી તોડફોડ

હોકી-તલવાર સાથે અસામાજિક તત્વોનો આતંક સ્થાનિકોને માર્યો માર વિસ્તારને લીધો બાનમાં

New Update
અમદાવાદ : નિર્ણયનગરમાં અસામાજીકોનો આતંક, 25થી વધારે વાહનોમાં કરી તોડફોડ

અમદાવાદના નિર્ણયનગર વિસ્તારમાં અસામાજીક તત્વોએ મારક હથિયારો સાથે ધસી આવી 25થી વધારે વાહનોમાં તોડફોડ કરતાં સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહયો છે. છેલ્લા ઘણા સમયથી ગુંડા તત્વો અમદાવાદ શહેરના બાનમાં લેવાના પ્રયત્નો કરી રહ્યા છે.અસામાજીક તત્વોનો ખોફને પોતાની મુઠ્ઠીમાં લેવા પોલીસ સદંતર નિષ્ફળ નીવડી છે.લૂંટ, હુમલા અને ફાયરિંગની ઘટનાઓ વચ્ચે ગત મોડી રાત્રે વાહનોમાં તોડફોડ વધુ એક ઘટના નિર્ણયનગર વિસ્તારમાં સામે આવી..... જ્યાં બાઈકો સાથે આવેલા 20થી વધુ ગુંડાઓએ આખા વિસ્તારને બાનમાં લીધો......નંદન વન આવાસ યોજનામાં 25થી વધુ વાહનોમાં તોડફોડ કરી.....

ગુંડાઓએ ગાડીઓ અને રિક્ષાઓના કાચ તોડી નાખ્યાં હતાં. તેઓ લાકડી, હોકી અને તલવાર સાથે આવ્યા હતાં. આરોપીઓએ કેટલાક સ્થાનિકો ઉપર પણ હુમલો કર્યો હતો. તોડફોડ કરનારમાં મુખ્ય સૂત્રધાર રોહિત ઠાકોર નામનો શખ્સ હોવાનું રહીશો જણાવી રહયાં છે. અહીં આવેલા ગેરેજ સંચાલક પાસે વાહન અને પૈસાની લેતી દેતીમાં આ ઘટનાને અંજામ અપાયો હોવાનું લોકો માની રહ્યા છે...

Read the Next Article

અમદાવાદ શહેર પોલીસનું “એક નયી સોચ” અભિયાન, શાળામાં વિદ્યાર્થીઓને ભણાવ્યા સલામતીના પાઠ...

અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ અને સતર્કતા ગ્રુપના સંયુક્ત ઉપક્રમે નવા નરોડા રોડ પર આવેલ એસ.એમ. શિક્ષણ સંકુલ ખાતે “એક નયી સોચ” અભિયાનનું આયોજન કરવામાં આવ્યું

New Update
  • અમદાવાદ શહેર પોલીસનુંએક નયી સોચ” અભિયાન

  • નરોડાની એસ.એમ.શિક્ષણ સંકુલ ખાતે કાર્યક્રમ યોજાયો

  • શાળાના વિદ્યાર્થી બાળકો ભણ્યા સલામતીના અનેક પાઠ

  • ટ્રાફિક નિયમનું પાલન કરવા પરિવારજનોને ફરજ પાડશે

  • સંયુક્ત પોલિસ કમિશનર સહિતના અધિકારીઓની હાજરી

અમદાવાદ શહેરના નવા નરોડા રોડ પર આવેલ એસ.એમ. શિક્ષણ સંકુલ ખાતે શહેર ટ્રાફિક પોલીસ અને સતર્કતા ગ્રુપ દ્વારાએક નયી સોચ” અભિયાન અંતર્ગત નાના બાળકો સલામતીના પાઠ ભણ્યા હતા. જે બાળકો હવે પરિવારજનોને હેલ્મેટ પહેરવા તેમજ ટ્રાફિક નિયમનું પાલન કરવા ફરજ પાડશે.

અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ અને સતર્કતા ગ્રુપના સંયુક્ત ઉપક્રમે નવા નરોડા રોડ પર આવેલ એસ.એમ. શિક્ષણ સંકુલ ખાતેએક નયી સોચ” અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત શહેરના માર્ગો પર હેલ્મેટ પહેર્યા વગર બેફામ ઝડપે દોડી રહેલા વાહન ચાલકોને તેમના જ સંતાનો હેલ્મેટ પહેરવા ફરજ પાડશે તે અંગે સંયુક્ત પોલિસ કમિશનર એન.એન.ચૌધરીએ બાળકોને સરળ ભાષામાં સંબોધન કર્યું હતું.

વધુમાં તેઓએ વિદ્યાર્થીઓના ટુ-વ્હીલર્સ પરઆઈ લવ હેલ્મેટ” “આઈ લવ માય ફેમિલીના સૂત્રો લખેલા સ્ટિકર લગાવીએક નયી સોચ” અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. સરકારે હેલ્મેટનો કાયદો બનાવ્યો છે. કારણ કેઅકસ્માત થાયતો માથાનું રક્ષણ થાય અને જીવ બચી જાય. દરેક ચાર રસ્તા પર ટ્રાફિક સિગ્નલ બનાવ્યા છેજ્યાં રેડ લાઈટ થાય તો ઉભા રહીએ. તો બીજી તરફટ્રાફિક નિયમ કાયદાનો ભંગ કરનાર વાહન ચાલકો સામે ટ્રાફિક પોલીસ કાર્યવાહી કરે છે. કારણ કેનાગરીકો સલામત અને સુરક્ષિત રહી શકે.

અત્રે ઉલ્લેખનીય છે કેનવી ભાવી પેઢી શિસ્તબદ્ધ અને સંયમી બનેકાયદાનું પાલન કરે તથા સલામતસુરક્ષિતસાવધાન અને સતર્ક બને તે માટેએક નયી સોચ” પ્રોજેક્ટ મહત્વપૂર્ણ અભિયાન છે. શાળાઓમાં ભણતા બાળકોમાં ટ્રાફિકના નિયમોની સમજ કેળવાય અને તે બાળકો તેમના માતા-પિતાને પણ હેલ્મેટ પહેરવા અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા જણાવે તે માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અમદાવાદJCP એન.એન.ચૌધરી, DCP બલદેવસિંહજી, ACP એસ.જે.મોદી, ACPD એસ. પુનડીયાશહેર ટ્રાફિક પોલીસ અને સતર્કતા ગ્રુપના સભ્યો સહિત મોટી સંખ્યામાં શાળા પરિવાર અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories