અમદાવાદ : પિતાની રાહે પુત્ર બન્યો આરોપી, ડ્રગ્સ પેડલર બની કરતો હતો કમાણી..!

અમદાવાદમાં ડ્રગ્સના દૂષણને નાથવા પોલીસ સતત પ્રયાસ કરી રહી છે, અને અનેકવાર દરોડા પણ પાડવામાં આવે છે

New Update
અમદાવાદ : પિતાની રાહે પુત્ર બન્યો આરોપી, ડ્રગ્સ પેડલર બની કરતો હતો કમાણી..!

અમદાવાદ શહેરમાં એમડી ડ્રગ્સ પકડાવવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. એસઓજી ક્રાઈમ બ્રાન્ચે શહેરના સારંગપુર વિસ્તારમાંથી 32 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે એક પેડલરને SOG પોલીસે ઝડપી પડ્યો હતો.

અમદાવાદમાં ડ્રગ્સના દૂષણને નાથવા પોલીસ સતત પ્રયાસ કરી રહી છે, અને અનેકવાર દરોડા પણ પાડવામાં આવે છે, ત્યારે અમદાવાદ SOG પોલીસને બાતમી મળી હતી કે, સારંગપુર પાણીની ટાંકી પાસે અબ્દુલ વાજિદ નામનો વ્યક્તિ એમડી ડ્રગ્સ વેચવા માટે આવી રહ્યો છે. જેના આધારે SOG ક્રાઈમે વોચ ગોઠવી અબ્દુલ વાજિદને રોકી તેની તપાસ કરતાં તેની પાસેથી 32 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. આ આરોપીના ગુનાહિત ઇતિહાસની વાત કરતાં પોલીસે જણાવ્યુ હતું કે, આ આરોપી બાળપણથી જ ડ્રગ્સ સાથે જોડાયેલો છે. કારણ કે, આરોપીનો પિતા અબ્દુલ વાહિદ મોટો ડ્રગ્સ પેડલર હતો. પિતાની ડ્રગ્સની હેરાફેરીના કારણે આરોપી વાજિદ ડ્રગ એડિક્ટ થયો હતો, અને તેના પિતાની સાથે જ ડ્રગ્સનો ધંધો શરૂ કર્યો હતો. આરોપી અગાઉ વાહન ચોરીના ગુનામાં પકડાયો હતો, અને છેલ્લા ઘણા વર્ષોથી ડ્રગ્સના વ્યસનની સાથે સાથે ડ્રગ્સ પેડલર તરીકેનું કામ કરતો હતો. SOG પોલીસે આરોપીને ઝડપી પાડી વધુ તપાસ કરતા તે શાહેઆલમમાં રહેતા રાશિદ નામના ડ્રગ્સ પેડલર પાસેથી ડ્રગ્સ લાવતો હોવાનું સામે આવ્યું છે, ત્યારે હાલ તો SOG પોલીસે વોન્ટેડ પેડલર રાશિદને પકડવા માટે જુદી જુદી ટીમો બનાવી શોધખોળ શરૂ કરી છે.

Read the Next Article

ગુજરાતી ફિલ્મ નિર્માતા મહેશ જીરાવાલાનું પ્લેન ક્રેશમાં મોતની પુષ્ટિ, પરિવારે મૃતદેહ સ્વીકાર્યો

વિમાન દુર્ઘટના બાદ ગુમ થયેલા ગુજરાતી ફિલ્મમેકર મહેશ જીરાવાલાના DNA મેચ થવા છતાં પરિવાર માનવા તૈયાર નહોતો કે, તે મૃતદેહ મહેશનો છે. જ્યારે હવે ફિલ્મમેકરના મૃત્યુની પુષ્ટિ થઈ છે

New Update
Mahesh Jirawala

અમદાવાદથી લંડન જઈ રહેલા એર ઇન્ડિયાનું વિમાન 12 જૂને દુર્ઘટનાગ્રસ્ત થઈ બી.જે મેડિકલ હોસ્ટેલમાં ક્રેશ થયું હતું. જે દુર્ઘટનામાં 280થી વધુ લોકોના મૃત્યુ થયા છે. આ દુર્ઘટનામાં મૃતકોની ઓળખ માટે ડીએનએ મેચ કરવાની કાર્યવાહી ચાલી રહી છે. વિમાન દુર્ઘટના બાદ ગુમ થયેલા ગુજરાતી ફિલ્મમેકર મહેશ જીરાવાલાના DNA મેચ થવા છતાં પરિવાર માનવા તૈયાર નહોતો કેતે મૃતદેહ મહેશનો છે. જ્યારે હવે ફિલ્મમેકરના મૃત્યુની પુષ્ટિ થઈ છેત્યારે પરિવારને તેમનો મૃતદેહ સોંપવામાં આવ્યો છે.

અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ ફિલ્મમેકર મહેશ જીરાવાલા ગુમ હોવાનું સામે આવ્યું હતું. જ્યારે મહેશ જીરાવાલાના DNA મેચ થવા છતાં તેમનું મૃત્યુ નીપજ્યું હોવાને લઈને પરિવાર માનવા તૈયાર નહોતો.

સમગ્ર મામલે પોલીસે સળગેલા એક્ટિવાના એન્જિન-ચેસીસ નંબર, સીસીટીવી સહિતના પુરાવા એકઠા કરીને મૃતકના પરિવારને માહિતી આપી હતી.આમ હવે જીરાવાલાના મોતની પુષ્ટિ થઈ છે, ત્યારે પરિવારે મહેશ જીરાવાલાનો મૃતદેહ સ્વીકાર્યો છે.

અમદાવાદના નરોડ વિસ્તારમાં રહેતા 34 વર્ષીય ગુજરાતી ફિલ્મ ડાયરેક્ટર મહેશ ગીરધરભાઈ કાલાવાડિયા ઉર્ફે જીરાવાલ ઘરથી નીકળ્યા હતા અને શાહીબાગ સિવિલ હોસ્પિટલની નજીકમાં ગુમ થયા હતા. આ મામલે કાર્તિકએ પોતાનો ભાઈ ગુમ થયાની નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ટેકનિકલ સોર્સ સહિતની પોલીસ તપાસમાં મહેશ વિમાન દુર્ઘટનામાં ભોગ બન્યો હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ પરિવાર આ વાતને માનવા તૈયાર ન હતો. જ્યારે દુર્ઘટનાગ્રસ્ત સ્થળેથી લેવામાં આવલા મૃતદેહ સાથે મહેશના પરિવારજનો DNA મેચ થતાં અને પોલીસે જરૂરી પુરાવા રજૂ કરતા અંતે મહેશનું મોત નીપજ્યું હોવાની પુષ્ટિ થઈ છે.