અમદાવાદ:વરરાજા હાથીની અંબાડી પર સવાર થઈ કન્યાને પરણવા નિકળ્યા,લોકોમાં જમાવ્યું આકર્ષણ
અમદાવાદના મણિનગર ગોરના કુવા માર્ગ પર વરરાજા હાથીની અંબાડી પર સવાર થઈ જાન લઈને પરણવા આવતા લોકોમાં ભારે આકર્ષણ જન્માવ્યુ હતું
BY Connect Gujarat Desk2 Dec 2022 12:14 PM GMT
X
Connect Gujarat Desk2 Dec 2022 12:14 PM GMT
અમદાવાદના મણિનગર ગોરના કુવા માર્ગ પર વરરાજા હાથીની અંબાડી પર સવાર થઈ જાન લઈને પરણવા આવતા લોકોમાં ભારે આકર્ષણ જન્માવ્યુ હતું.
સમાન્યત: લગ્નપ્રસંગ દરમ્યાન વરરાજા કાર અથવા બગીમાં પરણવા જતાં હોય છે પરંતુ અમદાવાદમાં એક યુવાન હાથીની અંબાડી પર સવાર થઈ જાન લઈને કન્યાને પરણવા નીકળ્યા હતા.29 વર્ષીય સુરેશ વિઝુન અને 25 વર્ષીય કોમલ રાવલ પ્રભુતામા ડગ માડવા જય રહ્યા છે. સુરેશ ની બાળપણ થી જ ઈચ્છા હતી કે તે જ્યારે પણ પરણશે ત્યારે હાથી પર સવાર થઈ ને અંબાડી પર જશે અને તે ઇરછા અનુસાર જ તે હાથી પર અંબાડી લઈ પરણવા ગયા હતા આ દ્રશ્યો નિહાળવા મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા.
Next Story