અમદાવાદ: રખડતા ઢોર મામલે મ.ન.પા.ની સામાન્ય સભા તોફાની બની,કોંગ્રેસે કર્યા પ્રહાર

અમદાવાદ મહાનગર પાલિકાની સામાન્ય સભા દરમ્યાન ભારે હોબાળો થયો હતો.

New Update
અમદાવાદ: રખડતા ઢોર મામલે મ.ન.પા.ની સામાન્ય સભા તોફાની બની,કોંગ્રેસે કર્યા પ્રહાર

અમદાવાદ મહાનગર પાલિકાની સામાન્ય સભા દરમ્યાન ભારે હોબાળો થયો હતો.રખડતા ઢોર મુદ્દે વિપક્ષે શાશક પક્ષને ઘેરવા પ્રયાસો કર્યા હતા જે મામલે વાતાવરણ તંગ બન્યું હતું

મંગળવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC)ની સામાન્ય સભા દરમિયાન હોબાળો મચી ગયો હતો. કોંગ્રેસે એક બાદ એક મુદ્દાઓને લઇને સત્તાપક્ષને ઘેરવાના પ્રયાસ કર્યા હતા. તો રખડતા ઢોર મુદ્દે કોંગ્રેસે સૂત્રોચ્ચાર કર્યા હતા. આ દરમિયાન કોંગ્રેસના કાઉન્સિલરોએ ભાજપ પર આક્ષેપો પણ લગાવ્યા હતા.

બેઠકમાં કોંગ્રેસના કમળાબેન ચાવડા એ આક્ષેપ કર્યો હતો કે, ગાયના નામે મત મેળવનાર ભાજપ પાછળથી ગાય માતાને નહીં પકડવાના હપ્તા પણ ઉઘરાવે છે. તેથી તપાસ થવી જોઇએ કે આ હપ્તાની રકમ કમલમ્ સુધી તો જતી નથીને? આવા પ્રશ્ન સાથે જ ભાજપના તમામ સભ્યો ઉભા થઇ ગયા હતા અને કોંગ્રેસ હાય હાયના નારા લગાવ્યા હતા. કોંગ્રેસના સભ્યોએ ભાજપ ભ્રષ્ટાચાર ના નારા લગાવ્યા હતા. કોંગ્રેસના તમામ સભ્યો મેયર અને કમિશનર ડાયસ તરફ ધસી જઈ મેયરના ડેસ્ક પર ચઢી ગયા હતા. ત્યારે મેયરના સુરક્ષા કર્મીઓ વચ્ચે આવી મેયરને કોર્ડન કર્યા હતા ભાજપના સભ્યો પણ ડાયસ પર આવી ગયા હતા. બંને પક્ષોના મહિલા સભ્યો વચ્ચે ઉગ્ર બોલાચાલી વચ્ચે ખેંચતાણ થઈ હતી

Read the Next Article

ગુજરાતી ફિલ્મ નિર્માતા મહેશ જીરાવાલાનું પ્લેન ક્રેશમાં મોતની પુષ્ટિ, પરિવારે મૃતદેહ સ્વીકાર્યો

વિમાન દુર્ઘટના બાદ ગુમ થયેલા ગુજરાતી ફિલ્મમેકર મહેશ જીરાવાલાના DNA મેચ થવા છતાં પરિવાર માનવા તૈયાર નહોતો કે, તે મૃતદેહ મહેશનો છે. જ્યારે હવે ફિલ્મમેકરના મૃત્યુની પુષ્ટિ થઈ છે

New Update
Mahesh Jirawala

અમદાવાદથી લંડન જઈ રહેલા એર ઇન્ડિયાનું વિમાન 12 જૂને દુર્ઘટનાગ્રસ્ત થઈ બી.જે મેડિકલ હોસ્ટેલમાં ક્રેશ થયું હતું. જે દુર્ઘટનામાં 280થી વધુ લોકોના મૃત્યુ થયા છે. આ દુર્ઘટનામાં મૃતકોની ઓળખ માટે ડીએનએ મેચ કરવાની કાર્યવાહી ચાલી રહી છે. વિમાન દુર્ઘટના બાદ ગુમ થયેલા ગુજરાતી ફિલ્મમેકર મહેશ જીરાવાલાના DNA મેચ થવા છતાં પરિવાર માનવા તૈયાર નહોતો કેતે મૃતદેહ મહેશનો છે. જ્યારે હવે ફિલ્મમેકરના મૃત્યુની પુષ્ટિ થઈ છેત્યારે પરિવારને તેમનો મૃતદેહ સોંપવામાં આવ્યો છે.

અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ ફિલ્મમેકર મહેશ જીરાવાલા ગુમ હોવાનું સામે આવ્યું હતું. જ્યારે મહેશ જીરાવાલાના DNA મેચ થવા છતાં તેમનું મૃત્યુ નીપજ્યું હોવાને લઈને પરિવાર માનવા તૈયાર નહોતો.

સમગ્ર મામલે પોલીસે સળગેલા એક્ટિવાના એન્જિન-ચેસીસ નંબર, સીસીટીવી સહિતના પુરાવા એકઠા કરીને મૃતકના પરિવારને માહિતી આપી હતી.આમ હવે જીરાવાલાના મોતની પુષ્ટિ થઈ છે, ત્યારે પરિવારે મહેશ જીરાવાલાનો મૃતદેહ સ્વીકાર્યો છે.

અમદાવાદના નરોડ વિસ્તારમાં રહેતા 34 વર્ષીય ગુજરાતી ફિલ્મ ડાયરેક્ટર મહેશ ગીરધરભાઈ કાલાવાડિયા ઉર્ફે જીરાવાલ ઘરથી નીકળ્યા હતા અને શાહીબાગ સિવિલ હોસ્પિટલની નજીકમાં ગુમ થયા હતા. આ મામલે કાર્તિકએ પોતાનો ભાઈ ગુમ થયાની નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ટેકનિકલ સોર્સ સહિતની પોલીસ તપાસમાં મહેશ વિમાન દુર્ઘટનામાં ભોગ બન્યો હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ પરિવાર આ વાતને માનવા તૈયાર ન હતો. જ્યારે દુર્ઘટનાગ્રસ્ત સ્થળેથી લેવામાં આવલા મૃતદેહ સાથે મહેશના પરિવારજનો DNA મેચ થતાં અને પોલીસે જરૂરી પુરાવા રજૂ કરતા અંતે મહેશનું મોત નીપજ્યું હોવાની પુષ્ટિ થઈ છે.