અમદાવાદ: સાણંદમાં ગંદકીનું સામ્રાજ્ય; બોપલ-ગાંધીનગર બાયપાસ રોડ પર કચરાના ઢગલાથી લોકોમાં રોષ

સાણંદ શહેર એકબાજુ વિકાસની ગાડી પર ખુબ જ આગળ વધી રહ્યુ છે. ત્યારે બીજી બાજુ ગંદકીનું સામ્રાજ્ય પણ વધી રહ્યુ છે.

New Update
અમદાવાદ: સાણંદમાં ગંદકીનું સામ્રાજ્ય; બોપલ-ગાંધીનગર બાયપાસ રોડ પર કચરાના ઢગલાથી લોકોમાં રોષ

અમદાવાદ શહેરને બરાબર અડીને આવેલા સાણંદની બહાર જ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી આવે છે. સાણંદ તાલુકાના માધવનગર ગામ પાસે બોપલ-ગાંધીનગર બાયપાસ રોડ પર કચરાના ઢગલા હોવાથી ગામના લોકોમાં રોષ જોવા મળે છે.

સાણંદ શહેર એકબાજુ વિકાસની ગાડી પર ખુબ જ આગળ વધી રહ્યુ છે. ત્યારે બીજી બાજુ ગંદકીનું સામ્રાજ્ય પણ વધી રહ્યુ છે. સાણંદની બાજુમાં આવેલા માધવનગર ગામ પાસે બોપલ, ગાંધીનગર બાયપાસ પર સાણંદ નગરપાલિકા દ્વારા મટીરીયલ રીકવર ફેસીલીટી સેન્ટરમાં સાણંદ શહેરનો તમામ કચરો ઠાલવવામાં આવે છે સાથે જ મૃત્યુ પામેલા પશુ પણ અહીંયા નાખવામાં આવતા હોવાથી આજુબાજુના ગામોમાં ભારે પ્રમાણમાં દુર્ગંધ ફેલાય છે. આ ઉપરાંત ત્યાં લોકોને ફેંફસા, શ્વાસ લેવામાં તકલીફ જેવી બીમારી વધારે પ્રમાણમાં જોવા મળી આવે છે. આજુબાજુના ગામો દ્વારા અનેક વાર નગરપાલિકા ફરિયાદ કરવામાં આવી હોવા છતાં યોગ્ય નિકાલ કરવામાં આવ્યો નહિ હોવાનો ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.

Latest Stories
Read the Next Article

ગુજરાતી ફિલ્મ નિર્માતા મહેશ જીરાવાલાનું પ્લેન ક્રેશમાં મોતની પુષ્ટિ, પરિવારે મૃતદેહ સ્વીકાર્યો

વિમાન દુર્ઘટના બાદ ગુમ થયેલા ગુજરાતી ફિલ્મમેકર મહેશ જીરાવાલાના DNA મેચ થવા છતાં પરિવાર માનવા તૈયાર નહોતો કે, તે મૃતદેહ મહેશનો છે. જ્યારે હવે ફિલ્મમેકરના મૃત્યુની પુષ્ટિ થઈ છે

New Update
Mahesh Jirawala

અમદાવાદથી લંડન જઈ રહેલા એર ઇન્ડિયાનું વિમાન 12 જૂને દુર્ઘટનાગ્રસ્ત થઈ બી.જે મેડિકલ હોસ્ટેલમાં ક્રેશ થયું હતું. જે દુર્ઘટનામાં 280થી વધુ લોકોના મૃત્યુ થયા છે. આ દુર્ઘટનામાં મૃતકોની ઓળખ માટે ડીએનએ મેચ કરવાની કાર્યવાહી ચાલી રહી છે. વિમાન દુર્ઘટના બાદ ગુમ થયેલા ગુજરાતી ફિલ્મમેકર મહેશ જીરાવાલાના DNA મેચ થવા છતાં પરિવાર માનવા તૈયાર નહોતો કેતે મૃતદેહ મહેશનો છે. જ્યારે હવે ફિલ્મમેકરના મૃત્યુની પુષ્ટિ થઈ છેત્યારે પરિવારને તેમનો મૃતદેહ સોંપવામાં આવ્યો છે.

અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ ફિલ્મમેકર મહેશ જીરાવાલા ગુમ હોવાનું સામે આવ્યું હતું. જ્યારે મહેશ જીરાવાલાના DNA મેચ થવા છતાં તેમનું મૃત્યુ નીપજ્યું હોવાને લઈને પરિવાર માનવા તૈયાર નહોતો.

સમગ્ર મામલે પોલીસે સળગેલા એક્ટિવાના એન્જિન-ચેસીસ નંબર, સીસીટીવી સહિતના પુરાવા એકઠા કરીને મૃતકના પરિવારને માહિતી આપી હતી.આમ હવે જીરાવાલાના મોતની પુષ્ટિ થઈ છે, ત્યારે પરિવારે મહેશ જીરાવાલાનો મૃતદેહ સ્વીકાર્યો છે.

અમદાવાદના નરોડ વિસ્તારમાં રહેતા 34 વર્ષીય ગુજરાતી ફિલ્મ ડાયરેક્ટર મહેશ ગીરધરભાઈ કાલાવાડિયા ઉર્ફે જીરાવાલ ઘરથી નીકળ્યા હતા અને શાહીબાગ સિવિલ હોસ્પિટલની નજીકમાં ગુમ થયા હતા. આ મામલે કાર્તિકએ પોતાનો ભાઈ ગુમ થયાની નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ટેકનિકલ સોર્સ સહિતની પોલીસ તપાસમાં મહેશ વિમાન દુર્ઘટનામાં ભોગ બન્યો હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ પરિવાર આ વાતને માનવા તૈયાર ન હતો. જ્યારે દુર્ઘટનાગ્રસ્ત સ્થળેથી લેવામાં આવલા મૃતદેહ સાથે મહેશના પરિવારજનો DNA મેચ થતાં અને પોલીસે જરૂરી પુરાવા રજૂ કરતા અંતે મહેશનું મોત નીપજ્યું હોવાની પુષ્ટિ થઈ છે.

Latest Stories