અમદાવાદ : કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત, શહેરમાં તિરંગા યાત્રા પણ યોજાય...

અમિત શાહના હસ્તે અમદાવાદ મહાનગરપાલિકાના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેમજ જુનિયર ક્લાર્કને નિમણૂંક પત્ર અર્પણ કરવા સહિત લાભાર્થીઓને લાભ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ બન્યા અમદાવાદના મહેમાન

  • AMCના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાયું

  • જુનિયર ક્લાર્કને નિમણૂંક પત્ર-લાભાર્થીઓને લાભ વિતરણ

  • કેન્દ્રિય ગૃહમંત્રીના હસ્તે નારણપુરા-પલ્લવ બ્રિજનું ઉદ્ધાટન

  • શહેરના વિવિધ વિસ્તારોમાં તિરંગા યાત્રાનું પણ આયોજન

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના હસ્તે અમદાવાદ મહાનગરપાલિકાના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેમજ જુનિયર ક્લાર્કને નિમણૂંક પત્ર અર્પણ કરવા સહિત લાભાર્થીઓને લાભ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આજરોજ અમદાવાદના મહેમાન બન્યા હતાજ્યાં તેઓના હસ્તે મહાનગરપાલિકાના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેમજ જુનિયર ક્લાર્કને નિમણૂંક પત્ર અર્પણ કરવા સહિત લાભાર્થીઓ માટે લાભ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સોલા સાયન્સ સિટી ખાતે ગુજરાત રાજ્ય સહકારી સંઘ દ્વારા આયોજિત વિકસીત ભારતના નિર્માણમાં સહકારિતાની ભૂમિકાનું મહાસંમેલન યોજાયું હતું. ત્યારબાદ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના વરદ હસ્તે નારણપુરા પલ્લવ બ્રિજનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. આ બ્રિજના નિર્માણથી 1 લાખથી વધુ લોકોને ટ્રાફિક જામની સમસ્યાથી મુક્તિ મળશે.

તો બીજી તરફઓપરેશન સિંદૂરની સફળતાના શૌર્યગાન રૂપે તિરંગા યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહની હાજરીને ધ્યાનમાં રાખીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. દિવસ દરમ્યાન વિવિધ કાર્યક્રમો પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીઅમદાવાદ શહેરના તમામ ધારાસભ્યોસાંસદમેયરડેપ્યુટી મેયર સહિતના નેતાઓ તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.