અમદાવાદ : કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત, શહેરમાં તિરંગા યાત્રા પણ યોજાય...

અમિત શાહના હસ્તે અમદાવાદ મહાનગરપાલિકાના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેમજ જુનિયર ક્લાર્કને નિમણૂંક પત્ર અર્પણ કરવા સહિત લાભાર્થીઓને લાભ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ બન્યા અમદાવાદના મહેમાન

  • AMCના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાયું

  • જુનિયર ક્લાર્કને નિમણૂંક પત્ર-લાભાર્થીઓને લાભ વિતરણ

  • કેન્દ્રિય ગૃહમંત્રીના હસ્તે નારણપુરા-પલ્લવ બ્રિજનું ઉદ્ધાટન

  • શહેરના વિવિધ વિસ્તારોમાં તિરંગા યાત્રાનું પણ આયોજન

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના હસ્તે અમદાવાદ મહાનગરપાલિકાના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેમજ જુનિયર ક્લાર્કને નિમણૂંક પત્ર અર્પણ કરવા સહિત લાભાર્થીઓને લાભ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આજરોજ અમદાવાદના મહેમાન બન્યા હતાજ્યાં તેઓના હસ્તે મહાનગરપાલિકાના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેમજ જુનિયર ક્લાર્કને નિમણૂંક પત્ર અર્પણ કરવા સહિત લાભાર્થીઓ માટે લાભ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સોલા સાયન્સ સિટી ખાતે ગુજરાત રાજ્ય સહકારી સંઘ દ્વારા આયોજિત વિકસીત ભારતના નિર્માણમાં સહકારિતાની ભૂમિકાનું મહાસંમેલન યોજાયું હતું. ત્યારબાદ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના વરદ હસ્તે નારણપુરા પલ્લવ બ્રિજનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. આ બ્રિજના નિર્માણથી 1 લાખથી વધુ લોકોને ટ્રાફિક જામની સમસ્યાથી મુક્તિ મળશે.

તો બીજી તરફઓપરેશન સિંદૂરની સફળતાના શૌર્યગાન રૂપે તિરંગા યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહની હાજરીને ધ્યાનમાં રાખીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. દિવસ દરમ્યાન વિવિધ કાર્યક્રમો પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીઅમદાવાદ શહેરના તમામ ધારાસભ્યોસાંસદમેયરડેપ્યુટી મેયર સહિતના નેતાઓ તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

અમદાવાદ શહેર પોલીસનું “એક નયી સોચ” અભિયાન, શાળામાં વિદ્યાર્થીઓને ભણાવ્યા સલામતીના પાઠ...

અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ અને સતર્કતા ગ્રુપના સંયુક્ત ઉપક્રમે નવા નરોડા રોડ પર આવેલ એસ.એમ. શિક્ષણ સંકુલ ખાતે “એક નયી સોચ” અભિયાનનું આયોજન કરવામાં આવ્યું

New Update
  • અમદાવાદ શહેર પોલીસનુંએક નયી સોચ” અભિયાન

  • નરોડાની એસ.એમ.શિક્ષણ સંકુલ ખાતે કાર્યક્રમ યોજાયો

  • શાળાના વિદ્યાર્થી બાળકો ભણ્યા સલામતીના અનેક પાઠ

  • ટ્રાફિક નિયમનું પાલન કરવા પરિવારજનોને ફરજ પાડશે

  • સંયુક્ત પોલિસ કમિશનર સહિતના અધિકારીઓની હાજરી

અમદાવાદ શહેરના નવા નરોડા રોડ પર આવેલ એસ.એમ. શિક્ષણ સંકુલ ખાતે શહેર ટ્રાફિક પોલીસ અને સતર્કતા ગ્રુપ દ્વારાએક નયી સોચ” અભિયાન અંતર્ગત નાના બાળકો સલામતીના પાઠ ભણ્યા હતા. જે બાળકો હવે પરિવારજનોને હેલ્મેટ પહેરવા તેમજ ટ્રાફિક નિયમનું પાલન કરવા ફરજ પાડશે.

અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ અને સતર્કતા ગ્રુપના સંયુક્ત ઉપક્રમે નવા નરોડા રોડ પર આવેલ એસ.એમ. શિક્ષણ સંકુલ ખાતેએક નયી સોચ” અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત શહેરના માર્ગો પર હેલ્મેટ પહેર્યા વગર બેફામ ઝડપે દોડી રહેલા વાહન ચાલકોને તેમના જ સંતાનો હેલ્મેટ પહેરવા ફરજ પાડશે તે અંગે સંયુક્ત પોલિસ કમિશનર એન.એન.ચૌધરીએ બાળકોને સરળ ભાષામાં સંબોધન કર્યું હતું.

વધુમાં તેઓએ વિદ્યાર્થીઓના ટુ-વ્હીલર્સ પરઆઈ લવ હેલ્મેટ” “આઈ લવ માય ફેમિલીના સૂત્રો લખેલા સ્ટિકર લગાવીએક નયી સોચ” અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. સરકારે હેલ્મેટનો કાયદો બનાવ્યો છે. કારણ કેઅકસ્માત થાયતો માથાનું રક્ષણ થાય અને જીવ બચી જાય. દરેક ચાર રસ્તા પર ટ્રાફિક સિગ્નલ બનાવ્યા છેજ્યાં રેડ લાઈટ થાય તો ઉભા રહીએ. તો બીજી તરફટ્રાફિક નિયમ કાયદાનો ભંગ કરનાર વાહન ચાલકો સામે ટ્રાફિક પોલીસ કાર્યવાહી કરે છે. કારણ કેનાગરીકો સલામત અને સુરક્ષિત રહી શકે.

અત્રે ઉલ્લેખનીય છે કેનવી ભાવી પેઢી શિસ્તબદ્ધ અને સંયમી બનેકાયદાનું પાલન કરે તથા સલામતસુરક્ષિતસાવધાન અને સતર્ક બને તે માટેએક નયી સોચ” પ્રોજેક્ટ મહત્વપૂર્ણ અભિયાન છે. શાળાઓમાં ભણતા બાળકોમાં ટ્રાફિકના નિયમોની સમજ કેળવાય અને તે બાળકો તેમના માતા-પિતાને પણ હેલ્મેટ પહેરવા અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા જણાવે તે માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અમદાવાદJCP એન.એન.ચૌધરી, DCP બલદેવસિંહજી, ACP એસ.જે.મોદી, ACPD એસ. પુનડીયાશહેર ટ્રાફિક પોલીસ અને સતર્કતા ગ્રુપના સભ્યો સહિત મોટી સંખ્યામાં શાળા પરિવાર અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.