અમદાવાદ: પ્રથમ નોરતે ધોધમાર વરસાદ,ખેલૈયાઓમાં નિરાશા
BY Connect Gujarat7 Oct 2021 1:31 PM GMT
X
Connect Gujarat7 Oct 2021 1:31 PM GMT
અમદાવાદમાં ખેલૈયાઓ માટે માઠા સમાચાર સામે આવી રહ્યા છે કારણ કે અમદાવાદમાં પવન અને વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. બે વર્ષ બાદ ખેલૈયાઓ નવરાત્રી રમવાના છે ગરબે ઝૂમવા છે ત્યારે વરસાદ વરસતા ખેલૈયાઓ ચિંતામાં મુકાયા છે. અમદાવાદમાં ધોધમાર વરસાદ , પવન અને ગાજવીજળી ના કડાકા સાથે વરસાદ આવ્યો અને જેમને શેરીમાં અને સોસાયટી માં નવરાત્રી ની તૈયારીઓ કરવામાં આવી છે તે તૈયારીઓ પર વરસાદી પાણી ફરી વળ્યાં છે.ભારે ઉકળાટ અને બફારા બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી
Next Story