અમદાવાદ શહેરમાં 67મા બોડકદેવ પોલીસ મથકનું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ઉદઘાટન કરાયું...

મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં નવનિર્મિત બોડકદેવ પોલીસ સ્ટેશનના પીએસઓ સહિતના કર્મચારીઓએ ચાર્જ સાંભળ્યો હતો

New Update
અમદાવાદ શહેરમાં 67મા બોડકદેવ પોલીસ મથકનું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ઉદઘાટન કરાયું...

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદ શહેરના ઝોન-7માં સમાવિષ્ટ નવનિર્મિત 67મા બોડકદેવ પોલીસ મથકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.અમદાવાદ શહેરનો વિસ્તાર સતત વધતો જાય છે, ત્યારે હવે નવા પોલીસ મથકો પણ બની રહ્યા છે. ઝોન-7માં સમાવિષ્ટ નવનિર્મિત 67મા બોડકદેવ પોલીસ મથકનું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

Advertisment

નવનિર્મિત પોલીસ મથકમાં ડ્રોન કેમેરા યુનિટ, સાયબર ઈન્ટેલીજન્સ તેમજ નાર્કોટિકસ ટાસ્ક ફોર્સની સુવિધાઓ નિર્માણ પામી છે, ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોલીસ મથકમાં નિર્માણ પામેલી વિવિધ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. સ્ટેશન ડાયરીમાં પ્રથમ નોંધ મુખ્યમંત્રીના હસ્તે કરાઈ હતો. સાથો સાથ મુલાકાતીઓની યાદીમાં પ્રથમ નામ પણ મુખ્યમંત્રીનું લખવામાં આવ્યું હતું.

આ સાથે જ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં નવનિર્મિત બોડકદેવ પોલીસ સ્ટેશનના પીએસઓ સહિતના કર્મચારીઓએ ચાર્જ સાંભળ્યો હતો. મુખ્યમંત્રીના હસ્તે કેટલાક સહયોગીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અમદાવાદ મેયર કિરીટ પરમાર સહિત ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા હતા.

Advertisment
Read the Next Article

અમદાવાદના ચંડોળામાં લોખંડી સુરક્ષા વ્યવસ્થા સાથે ડિમોલિશનનો બીજો તબક્કો થશે શરૂ

ચંડોળા વિસ્તારમાં ડિમોલિશનનો બીજો તબક્કો શરૂ થશે. જેમાં અંદાજે અઢી લાખ ચોરસ મીટરથી વધુની જગ્યા પરના ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવશે. જેને લઈને શહેર પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં એક બેઠક મળી

New Update
Chandola LAke

અમદાવાદમાં તારીખ 20 મે થી ચંડોળા વિસ્તારમાં ડિમોલિશનનો બીજો તબક્કો શરૂ થશે. જેમાં અંદાજે અઢી લાખ ચોરસ મીટરથી વધુની જગ્યા પરના ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવશે. જેને લઈને આજે શહેર પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં એક બેઠક મળી હતી. જેમાં મહા નગરપાલિકા અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.

Advertisment

અમદાવાદનો ચંડોળા વિસ્તાર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને અનધિકૃત વસાહતો અને તેમાં પણ ખાસ કરીને બાંગ્લાદેશી નાગરિકોના રહેઠાણનું કેન્દ્ર બની ગયો છે. અધિકારીઓનું કહેવું છે કેચંડોળા તળાવ વિસ્તાર ઘણા લાંબા સમયથી ગેરકાયદે પ્રવૃત્તિઓ માટેનું કેન્દ્ર રહ્યો છે. અગાઉની ઝુંબેશમાં 1.5 લાખ ચોરસ મીટર વિસ્તાર પરના દબાણો દૂર કરવામાં આવ્યા હતા.

ડિમોલિશનના બીજા તબક્કામાં આશરે 2.5 લાખ ચોરસ મીટર ગેરકાયદે બાંધકામ હટાવવાનું આયોજન છે. જેના માટેની કામગીરીને સરળ બનાવવા માટે 25 સ્ટેટ રિઝર્વ પોલીસ ટીમો સહિત 3,000 થી વધુ પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવશે. જે સુરક્ષા જાળવવાની સાથે ડિમોલિશનના કામમાં કોઈ નડતરૂપ ન બને તે સુનિશ્ચિત કરવાનું રહેશે. 

ડિમોલિશન અંગે શહેર પોલીસ કમિશનર જી એસ મલિક દ્વારા પોલીસ અધિકારીઓ અને મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે વિશેષ બેઠક કરવામાં આવી હતી,અને ડિમોલિશન અંગે મહત્વની ચર્ચા કરવામાં આવી હતી.

Advertisment
Latest Stories