અમદાવાદમાં 220 જેટલા રોડ બેસી જાય તેવી સ્થિતિ, આ તો કયા પ્રકારની પ્રીમોંસૂન કામગીરી..?

જયારે ચોમાસુ નજીક આવે ત્યારે તંત્ર પ્રિમોન્સુન પ્લાનના નામે માત્ર ખોદકામ કરી મૂકી દે છે. જેની સામે જનતાને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

New Update
અમદાવાદમાં 220 જેટલા રોડ બેસી જાય તેવી સ્થિતિ, આ તો કયા પ્રકારની પ્રીમોંસૂન કામગીરી..?

ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે. અમદાવાદ ખાડાવાદ બનતા વાર નહિ લાગે કારણ કે ઠેર ઠેર ખોદકામ કરીને બેઠેલું તંત્ર જાહેર ચેતવણીના બોર્ડ લગાવીને સંતોષ માની રહ્યું છે.અમદાવાદનાં 220થી વધુ રસ્તાઓની હાલત વણસી છે.

જયારે ચોમાસુ નજીક આવે ત્યારે તંત્ર પ્રિમોન્સુન પ્લાનના નામે માત્ર ખોદકામ કરી મૂકી દે છે. જેની સામે જનતાને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે તંત્ર માત્ર દિલાસો આપી જનતાને મૂર્ખ બનાવે છે. AMC ની પ્રિ મોન્સૂન ની કામગીરીને લઈને શહેરીજનોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોમાં કહેવા અનુસાર આ રોડ છેલ્લા 2 મહિનાથી વધારે સમય થઈ ગયો છે અને આ રોડ આ પરિસ્થિતિમાં છે. અહીંથી પસાર થઈએ ત્યારે મુશ્કેલી પડે છે ધૂળની ડમરીઓ જ ઊડતી મળે છે. જેના કારણે વાહન ચાલકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તો બીજી બાજુ ચોમાસાને લઈને તંત્ર સજ્જ હોવાના બણગાં ફૂંકવા માં આવે છે પણ પ્રિમોન્સૂન કામગીરી પૂર્ણ ન કરી શકનાર AMC બેરિકેટ કરીને લોકોને ચેતવણી રહ્યું છે. જો કે શહેરના 220 રોડ બેસી જાય તેવી સ્થિતિ છે.

મહાકાળી મંદિર થી મહિલા ગાર્ડન રોડ આખો રોડ બંધ કરી દીધો છે, આખે આખો રોડ ચારેય બાજુ થી કોર્ડન કરીને સાવધાન બોર્ડ લગાવી દીધા છે. ખોદકામ વાળા રોડ પર બેરિકેટિંગ કરીને શહેરીજનોને ચેતવણી આપવામાં આવી છે. ભારે વરસાદને લીધે જો પાણી ભરાયા તો રોડ બેસી જાય તેવી સ્થિતિ છે. શહેરમાં અનેક જગ્યાઓ પર એક પ્રિમોન્સૂનના નામે ખોદકામ કરવામાં આવ્યુ હતું અને હવે તે જ જગ્યાઓ પર જાહેર ચેતવણીના બોર્ડ લગાવવામાં આવ્યા છે.

Read the Next Article

અમદાવાદ : અલકાયદા સાથે જોડાયેલા 4 શખ્સોની ગુજરાત ATSએ ધરપકડ કરી, AQISની વિચારધારાનો કરતાં હતા પ્રચાર-પ્રસાર

ગુજરાત ATSએ અલકાયદા સાથે જોડાયેલા 4 લોકોની ધરપકડ કરી છે. આ 4 આરોપીમાં 2 વ્યક્તિ ગુજરાતના અમદાવાદ અને મોડાસાની છે, જ્યારે 2 વ્યક્તિ દિલ્હી અને નોઈડાની હોવાનું સામે આવ્યું છે.

New Update
  • ATSએ અલકાયદા સાથે જોડાયેલા શખ્સોની ધરપકડ

  • AQISની વિચારધારાનો કરતાં હતા પ્રચાર-પ્રસાર

  • જેહાદ અંગે લિટરેચર ગ્રુપમાં પણ કરતાં હતા પોસ્ટ

  • ઓપરેશન સિંદૂર સમયની કેટલીક પોસ્ટ પણ મળી

  • અમદાવાદ અને મોડાસાની 2 શખ્સોનો સમાવેશ

  • 2 શખ્સ દિલ્હી અને નોઈડાના હોવાનું સામે આવ્યું

ગુજરાતATSએ અલકાયદા સાથે જોડાયેલા 4 લોકોની ધરપકડ કરી છે. આ 4 આરોપીમાં 2 વ્યક્તિ ગુજરાતના અમદાવાદ અને મોડાસાની છેજ્યારે 2 વ્યક્તિ દિલ્હી અને નોઈડાની હોવાનું સામે આવ્યું છે.

અલકાયદાના દક્ષિણ એશિયા ક્ષેત્ર સાથે જોડાયેલાAQIS (અલકાયદા ઇન ઇન્ડિયા સબકોન્ટિનન્ટ)ની વિચારધારાનો પ્રચાર-પ્રસાર કરનાર મોહમ્મદ ફૈક મોહમ્મદ રિઝવાનમોહમ્મદ ફરદીન મોહમ્મદ રઈસસેફુલ્લા કુરેશી મહમદ રફીક અને ઝીશાન અલી આસિફ અલીની ગુજરાતATSએ ધરપકડ કરી છે. આ 4 આરોપીમાં 2 વ્યક્તિ ગુજરાતના અમદાવાદ અને મોડાસાની છેજ્યારે 2 વ્યક્તિ દિલ્હી અને નોઈડાની હોવાનુંATSની તપાસમાં સામે આવ્યું છે. તેઓ સોશિયલ મીડિયા અને કેટલીક સસ્પેક્ટ એપ્લિકેશન દ્વારા અલકાયદાની વિચારધારા સાથે જોડાઈને એને ફેલાવવા સુધીની કામગીરીમાં સક્રિય હતા. માત્ર એટલું જ નહીંતેઓ જેહાદ અંગે લિટરેચર ગ્રુપમાં પોસ્ટ કરતા હતા. ઓપરેશન સિંદૂર સમયની કેટલીક પોસ્ટ પણ મળી આવી છે.

ગુજરાતATSએ ધરપકડ કર્યા બાદ અમદાવાદ અને મોડાસાના આરોપીને કોર્ટમાં રજૂ કરાતા 14 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. આ અંગેATS DIG સુનીલ જોશીએ જણાવ્યું હતું કે, ATSના ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાયને ગત તા. 10 જૂને 5 ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ અંગે માહિતી મળી હતી. જેમાં શરિયત યા શહાદતફરદીન 3મુજાહિદ્દ 1મુજાહિદ્દ 3 અને સેફુલ્લા મુજાહિદ્દ 313 આ 5 એકાઉન્ટ અંગે માહિત મળી હતી. આ 5 એકાઉન્ટ એ એક પ્રોસ્ક્રાઈબ ટેરેરિસ્ટ ઓર્ગેનાઈઝેશન છે. જે અલકાયદા ઇન ઇન્ડિયા સબકોન્ટિનન્ટની વિચારધારાનો પ્રચાર પ્રસાર કરી રહ્યા હતા. એટલું જ નહીંભારતીય યુવાઓને ધાર્મિક રીતે દેશ વિરોધી કાર્યવાહી કરવા માટે ઉશ્કેરણી કરી રહ્યા હતા.