અમદાવાદ : વ્યાજખોરોના ચુંગાલમાંથી શ્રમજીવી પરિવારોને છુટકારો અપાવવા લોન મેળો યોજાયો…

પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં લોન માટે જરૂરી દસ્તાવેજો ધરાવતા અરજદારોને લોન આપવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી.

Update: 2023-02-11 13:13 GMT

અમદાવાદ શહેરના વસ્ત્રાલ સ્થિત આઈ’ ડિવિઝન વિસ્તારમાં AMC ઓડિટોરિયમ ખાતે શ્રમજીવી પરિવારો માટે લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકોને વ્યાજખોરોના ચુંગાલમાંથી છુટકારો અપાવવા 5 પોલીસ મથકના પોલીસ ઈન્સપેક્ટર અને UCDના અધિકારીઓએ શ્રમજીવી પરિવારોને લોન માટે જરૂરી પુરાવાઓ મેળવ્યા હતા. આ સાથે જ સરકારની યોજના મુજબ બેન્ક અધિકારીઓને સાથે રાખીને લોન મેળાનું આયોજન કર્યું હતું, જ્યાં પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં લોન માટે જરૂરી દસ્તાવેજો ધરાવતા અરજદારોને લોન આપવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી.

Tags:    

Similar News