અમદાવાદ: પૂર્વ વિસ્તારમાં ભર બપોરે જાહેરમાં એક વ્યક્તિની છરીના ઘા મારી હત્યા

ધોળા દિવસે જાહેરમાં એક યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરવામાં આવી હતી. આરોપીએ તીક્ષ્ણ હથિયારના ઘા મારીને ફરાર

Update: 2021-10-19 11:13 GMT

અમદાવાદમાં પૂર્વ વિસ્તારમાં હત્યાના બનાવનો સિલસિલો યથાવત છે. આજે ધોળા દિવસે જાહેરમાં એક યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરવામાં આવી હતી. અમરાઈવાડી રિંગ રોડ પાસે ના ભવાનીનગરમા આરોપીએ યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા મારીને ફરાર થઈ ગયો હતો॰ અમદાવાદમાં પૂર્વ વિસ્તાર અમરાઈવાડીમાં યોગેન્દ્ર પરમાર નામના યુવકની હત્યા કરવામાં આવી હતી. આજે ધોળા દિવસે બપોરે 12 થી 1 ની વચ્ચે જાહેરમાં તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરી દેવામાં આવી હતી. આરોપી સંજય ધુલિયાએ આ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. હત્યાના થોડા સમય પહેલા કોઈ બાબતે ઝઘડો ચાલતો હતો ત્યાં આ મારનાર યોગેન્દ્ર તેમને છૂટા પાડવા ગયો હતો. જે બાબતે અદાવત રાખી આરોપી સંજય યોગેન્દ્રને ઘરની બહાર બોલાવી તીક્ષ્ણ હથિયારના ઘા મારી ફરાર થઈ ગયો છે. યોગેન્દ્રને ઈજા પહોંચતા તેને તાત્કાલિક સારવાર માટે એલ.જી હોસ્પિટલમાં દાખલ કરવમાં આવ્યો હતો પરંતુ ત્યાં તેને ડોકટરે મૃત જાહેર કર્યો હતો. આ સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે 

Tags:    

Similar News